RCB vs PBKS Final Match : આજે એક ટીમનો ટાઈટલ દુકાળ ખતમ થશે
- અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ
- નમો સ્ટેડિયમમાં RCB અને પંજાબ વચ્ચે મેચ
- RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે આરપારનો જંગ
- બંને ટીમે અત્યાર સુધી IPL ખિતાબ જીત્યો નથી
- વરસાદ આવે તો પણ મેચ રદ નહીં થાય!
- BCCIએ મેચ પૂર્ણ કરવા 120 મિનિટનો વધારાનો સમય
- ફાઈનલને લઈને BCCIએ 4 જૂનનો રિઝર્વ ડે રાખ્યો
IPL 2025 Final : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઈનલ મેચ આજે 3 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ બંને ટીમો માટે ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે બંને ટીમો અત્યાર સુધી IPLનું ટાઈટલ જીતી શકી નથી. આ વખતે, અમદાવાદના આ ભવ્ય મેદાન પર એક ટીમનો 17 વર્ષનો ટાઈટલ દુકાળ સમાપ્ત થશે, અને IPLને નવો ચેમ્પિયન મળશે.
બંને ટીમોની ફાઈનલ સુધીની સફર
RCBએ પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમે 9 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જે ચાહકો માટે ઉત્સાહનો વિષય છે. બીજી તરફ, પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ 5 વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને 11 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. બંને ટીમોની આ સફર રોમાંચક અને નાટકીય રહી છે, જે આ મેચને વધુ રસપ્રદ બનાવે છે.
📍 Narendra Modi Stadium, Ahmedabad
📸 The 2⃣ captains gear up for Final Face-off ❤️
𝗔𝗥𝗘. 𝗬𝗢𝗨. 𝗥𝗘𝗔𝗗𝗬? ⏳ #TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/WG0cS0iTVv
— IndianPremierLeague (@IPL) June 2, 2025
નવો ચેમ્પિયન નિશ્ચિત
IPLના 17 વર્ષના ઈતિહાસમાં RCB અને PBKS એવી બે ટીમો છે, જેમણે હજુ સુધી ટ્રોફી જીતી નથી. આ ફાઈનલ મેચ એટલે એક નવી શરૂઆત, જ્યાં એક ટીમ ઈતિહાસ રચશે. બંને ટીમોના ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ મેચ માત્ર ટાઈટલ જીતવાની નહીં, પરંતુ વર્ષોના નિષ્ફળતાના દુકાળને ખતમ કરવાની પણ લડાઈ છે.
Prediction Time 💭
Who will carve their name in the 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 𝘽𝙤𝙤𝙠𝙨? 🤔
Let us know 👇#TATAIPL | #Final | #RCBvPBKS | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/ZwAKXED1iX
— IndianPremierLeague (@IPL) June 2, 2025
વરસાદની આશંકા હોવા છતાં મેચ પૂર્ણ થશે
BCCIએ આ ફાઈનલ મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેચ પૂર્ણ કરવા માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 4 જૂનનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, જેથી વરસાદના કારણે મેચ રદ થાય છે તો બીજા દિવસે ચાહકો મેચનો આનંદ લઇ શકે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક છે. આ સ્ટેડિયમની ભવ્યતા અને ચાહકોનો ઉત્સાહ આ ફાઈનલને યાદગાર બનાવશે. RCB અને પંજાબની ટીમો આ મેદાન પર પોતાનો શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : IPL 2025 : પંજાબની જીત બાદ હવે નક્કી..! આ વર્ષે ટુર્નામેન્ટને મળશે એક નવો ચેમ્પિયન