મુંબઈના 'હિટમેન'ને વાગ્યું ગ્રહણ: રોહિત શર્મા ઈજાના કારણે પંજાબ સામેની મેચમાંથી બહાર!
- મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે માઠા સમાચાર!
- પંજાબ કિંગ્સ સામેની મેચમાંથી રોહિત શર્મા આઉટ
- RCB સામેની મેચમાં હેમસ્ટ્રિંગમાં થઈ હતી ગંભીર ઈજા
- છઠ્ઠી ઓવરમાં રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયા હતા રોહિત
- વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી નાઈટ ગેમમાં રોહિતની ખલશે ખોટ
Rohit Sharma Rule Out : મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં અત્યારે ચિંતાના વાદળો છવાયેલા છે. એક તરફ ટીમ જીત માટે ફાંફા મારી રહી છે, ત્યાં બીજી તરફ ટીમના સૌથી મજબૂત સ્તંભ ગણાતા રોહિત શર્મા Rohit Sharma Injury Update ને કારણે આગામી મેચ ગુમાવવાના છે.
🛑 Rohit Sharma Injury Update:
- Rohit skipped team nets on Tuesday
- No signs of a hamstring tear detected so far
- Mumbai Indians likely to play it safe
- Final call may be left to Rohit himself for the April 16 gameBottom line:
- Not serious (as of now)
- But MI… pic.twitter.com/qboVlcrW15— Rohan💫 (@rohann__45) April 14, 2026
સીઝનનું સમીકરણ: મુંબઈની હાલત કફોડી
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન કોઈ દુઃસ્વપ્ન જેવી રહી છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચોનો રિપોર્ટ કાર્ડ કંઈક આવો છે:
MI વિ RR: રાજસ્થાનનો 27 રનથી વિજય
MI વિ DC: દિલ્હીની 6 વિકેટે જીત
MI વિ RCB: બેંગલુરુ સામે 18 રનથી હાર
MI વિ KKR: આ એકમાત્ર મેચમાં મુંબઈએ જીતનો સ્વાદ ચાખ્યો હતો.
Rohit Sharma Rule Out : શા માટે રોહિતનું હોવું જરૂરી હતું?
રોહિત શર્મા આ વખતે અલગ જ અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. 165 ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવી રહેલો રોહિત પંજાબના બોલરો માટે મોટો ખતરો હતો. હેમસ્ટ્રિંગની ઈજાએ મુંબઈની રણનીતિને વેરવિખેર કરી દીધી છે. વાનખેડેમાં પંજાબ સામેનો મુકાબલો હવે હાર્દિક પંડ્યા અને કંપની માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.
હવે શું?
શું રોહિત માત્ર એક જ મેચ ગુમાવશે કે લાંબો સમય બહાર રહેશે? આ સવાલનો જવાબ આજે સાંજે મળવાની આશા છે. પંજાબની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે મુંબઈ માટે પ્લેઓફની આશા જીવંત રાખવા આ મેચ જીતવી અનિવાર્ય છે.
તમારી શું રાય છે, રોહિત વગર મુંબઈ પંજાબને હરાવી શકશે?
આ પણ વાંચો : KKR Captaincy Controversy : સતત 5 હાર બાદ રહાણેની છુટ્ટી નક્કી? આ વિસ્ફોટક ખેલાડી સંભાળી શકે છે કમાન


