આપ નેતા અરવિંદ કેજરીવાલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા
- ઇડી દ્વારા જેલમાં ધકેલાયા બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
- આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું- અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર મહોર લાગી
- 'ઈડીનો દુરુપયોગ કરી ભાજપે ઈમાનદાર નેતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો'
- 'અરવિંદ કેજરીવાલ દેશનાં ઇમાનદાર નેતા છે, હતા અને રહેશે'
અગાઉ ઇડી દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ન્યાયાલયના ચુકાદાથી અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર મહોર લાગી છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, ઈડીનો દુરુપયોગ કરી ભાજપે ઈમાનદાર નેતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટના ચુકાદાથી અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર મહોર : ઇસુદાનભાઈ ગઢવી
એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ આમ આદમી પાર્ટી નેતા અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પકડીને જલમાં ધકેલવામાં આવ્યા હતા, જે બાબતે કોર્ટે તેમણે નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે હવે ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ન્યાયાલયના ચુકાદાથી અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર મહોર લાગી છે.
'ઈડીનો દુરુપયોગ કરી ભાજપે ઈમાનદાર નેતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો'
આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ આરોપ લગાવી કહ્યું કે, ઈડીનો દુરુપયોગ કરી ભાજપે ઈમાનદાર નેતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલ દેશનાં ઇમાનદાર નેતા છે, હતા અને રહેશે. ઇસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે, હું ન્યાયાલયનો દિલથી આભાર માનું છું કે તેમણે સત્યની સાથે ઊભા રહીને ન્યાય આપ્યો.
આ પણ વાંચો - Gandhinagar: આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કેવી રીતે મળશે લાભ?


