Jamnagar: ધોળા દિવસે યુવકનો જીવ લેનાર આરોપી પકડાયો, જાણો સમગ્ર મામલો
Jamnagar માં દિગ્વિજય પ્લોટ ખાતે બુધવારે પિતરાઈ ભાઈ દિલીપ ચૌહાણે જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડાની છરીના ઘા ઝીંકી હત્યા કરી. આરોપીની પત્ની મૃતક સાથે રહેતી હોવાથી અને લગ્ન કરવા માંગતી હોવાથી આ હત્યાનો અંજામ આપ્યો. પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેની સામે અગાઉ પણ ગુન્હાઓ નોંધાયેલા છે.
Advertisement
- Jamnagar માં યુવક હત્યા કેસમાં આરોપીની ધરપકડ
- જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડા નામના યુવકની થઈ હતી હત્યા
- આરોપી મૃતકનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું
- આરોપી દિલીપ ચૌહાણે છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
- આરોપીની પત્ની મૃતક સાથે સબંધમાં હોવાને લઈ હત્યા
- પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી
Jamnagar Crime:જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનો દિવસ એક ખૂની ખેલ ખેલાયો હતો. ધોળા દિવસે સરા જાહેર એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે (Jamnagar Police) હત્યારા આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર મામલા પરથી પડદો ઊંચક્યો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાનું મૂળ કારણ એક પ્રેમ પ્રકરણ (Love Affair) હતું અને મૃતકનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો.

