ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: ધોળા દિવસે યુવકનો જીવ લેનાર આરોપી પકડાયો, જાણો સમગ્ર મામલો

Jamnagar માં દિગ્વિજય પ્લોટ ખાતે બુધવારે પિતરાઈ ભાઈ દિલીપ ચૌહાણે જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડાની છરીના ઘા ઝીંકી હત્યા કરી. આરોપીની પત્ની મૃતક સાથે રહેતી હોવાથી અને લગ્ન કરવા માંગતી હોવાથી આ હત્યાનો અંજામ આપ્યો. પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેની સામે અગાઉ પણ ગુન્હાઓ નોંધાયેલા છે.
03:21 PM Dec 12, 2025 IST | Mahesh OD
Jamnagar માં દિગ્વિજય પ્લોટ ખાતે બુધવારે પિતરાઈ ભાઈ દિલીપ ચૌહાણે જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડાની છરીના ઘા ઝીંકી હત્યા કરી. આરોપીની પત્ની મૃતક સાથે રહેતી હોવાથી અને લગ્ન કરવા માંગતી હોવાથી આ હત્યાનો અંજામ આપ્યો. પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેની સામે અગાઉ પણ ગુન્હાઓ નોંધાયેલા છે.

Jamnagar Crime:જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનો દિવસ એક ખૂની ખેલ ખેલાયો હતો. ધોળા દિવસે સરા જાહેર એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે (Jamnagar Police) હત્યારા આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર મામલા પરથી પડદો ઊંચક્યો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાનું મૂળ કારણ એક પ્રેમ પ્રકરણ (Love Affair) હતું અને મૃતકનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો.

આરોપીની પત્ની સાથે મૃતકને હતા સંબંધો

આ બનાવમાં મૃતક યુવક જીતેન્દ્ર ઉર્ફે જયેશ જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 28) ની દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બુધવારે બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી તે ચોંકાવનારી હતી. મૃતક જીતેન્દ્ર ચાવડા (Jitendra Chavda) અને આરોપી દિલીપ ચૌહાણ (Dilip Chauhan) બંને પિતરાઈ ભાઈઓ થાય છે. હત્યારો આરોપી દિલીપ ચૌહાણે કબૂલાત કરી હતી કે તેની પત્ની મૃતક જીતેન્દ્ર સાથે રહેતી હતી અને તે જીતેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતી હતી. આ પ્રેમસંબંધને કારણે બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. આ જ અદાવત અને ગુસ્સાના કારણે દિલીપ ચૌહાણે ઉશ્કેરાઈને જીતેન્દ્ર પર છરી વડે હુમલો કર્યો હતો અને તેની હત્યાનો અંજામ આપ્યો હતો.

દિલીપ ચૌહાણ વિરુધ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે

આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ બાદ પોલીસ તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે, હત્યાના ગુનામાં ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર છે. દિલીપ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં મારામારી, ધમકી કે અન્ય પ્રકારના ગંભીર  ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હત્યારા આરોપી દિલીપ ચૌહાણે હત્યાના કૃત્યમાં અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ, અને હત્યાનું પૂર્વઆયોજન હતું કે કેમ, તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં પોલીસે આરોપીના કાયદેસરના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ, ફાયર NOC રિન્યુ ન કરતા કાર્યવાહી

Tags :
Crime NewsCrime UpdateDay Light MurderDigvijay PlotDilip ChauhanGujarat CrimeGujarat PoliceGujarat SamacharGujaratFirstJamnagarJamnagar CrimeJitendra Chavdalove affair murderPitarai Bhai Hatyarapolice investigationSibling Rivalry
Next Article