Jamnagar ના વિકાસનો 'રોડમેપ' તૈયાર! મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 26 મુદ્દાઓ સાથે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો
- Jamnagar મનપા માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર
- મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જાહેર કર્યો મેનિફેસ્ટો
- વિકાસને સ્પર્શતા 26 મુદ્દાઓનો મેનિફેસ્ટોમાં સમાવેશ
- શહેરના આધુનિકીકરણ અને સુવિધાઓ પર મૂકાયો ભાર
- સર્વાંગી વિકાસ માટે ભાજપે તૈયાર કર્યો છે વિશેષ રોડમેપ
Jamnagar BJP Manifesto:જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ શહેરના વિકાસ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) જાહેર કરી દીધો છે.
Jamnagar મનપા માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર
કેબિનેટ મંત્રી (Cabinet Minister) અર્જુનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia) ની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના આધુનિકીકરણ (Modernization) અને જનસુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જામનગર મહાનગરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને દ્રષ્ટિપૂર્ણ અને જનહિતકારી મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટીનું આ મેનીફેસ્ટો જામનગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોના સુખાકારી માટે પ્રતિબદ્ધતા… pic.twitter.com/IN5v0dFnWm
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 15, 2026
26 મુદ્દાઓમાં વણાયું જામનગરનું ભવિષ્ય
ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં કુલ 26 (26) મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોડમેપ (Roadmap) માં શહેરના આંતરમાળખાકીય વિકાસ (Infrastructure Development), પીવાનું શુદ્ધ પાણી, રોડ-રસ્તા, લાઈટ અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ સાથે જામનગરને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાની દિશામાં વિવિધ આયોજનો રજૂ કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ (Press Conference) દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, આ મેનિફેસ્ટો જામનગરના સર્વાંગી વિકાસ (All-round Development) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.
આ પણ વાંચો: LPG ship reaches Kutch: ઉર્જા સંકટ ટળ્યું! LPG જહાજ MV જગ વિક્રમ 20,400 મેટ્રિક ટન ગેસ લઈને કચ્છ પહોંચ્યું


