Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર!, AI નો દુરુપયોગ કરી રચાયો કારસો!

Jamnagar ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવા AI ટેકનોલોજીથી વિકૃત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે. વિશાલ કણસાગરા સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. સસ્તી પ્રસિદ્ધિ અને નાણાં પડાવવાના ઈરાદે સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ અંગે ખોટી પોસ્ટ કરવા બદલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar  પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર   ai નો દુરુપયોગ કરી રચાયો કારસો
Advertisement
  • Jamnagar: પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનો કારસો
  • એક શખ્સે રાઘવજીભાઈ પટેલને બદનામ કરતી પોસ્ટ મુકી
  • રૂપિયા પડાવવા અને પ્રસિદ્ધિ મેળવવા આવું કૃત્ય કર્યુ!
  • AIથી ફોટો જનરેટ કરીને સોશિયલ મીડિયા પર મુક્યા
  • પૂનમ માડમ, હેમંતભાઇ ખવા અંગે પણ પોસ્ટ કરી ખોટી માહિતી

Jamnagar: આધુનિક યુગમાં ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે, તેટલી જ તે હવે નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે મુસીબત બની રહી છે. ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના વર્તમાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ (Raghavjibhai Patel) ને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર સામે આવ્યું છે. આ મામલે રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી સાયબર ક્રાઈમ (Cyber Crime) માં ફરિયાદ નોંધાવી છે.

AI દ્વારા વિકૃત તસ્વીરો બનાવી કરાઈ પોસ્ટ

આરોપ છે કે વિશાલ કણસાગરા (Vishal Kanasagra) નામના એક શખ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ્સ શેર કરી હતી. આરોપી છે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી રાઘવજીભાઈના ફોટાઓ સાથે ચેડાં કર્યા હતા અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કર્યા હતા. આ માત્ર ફોટા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ આરોપીએ ઉશ્કેરણીજનક અને બદનક્ષીભર્યા લખાણો સાથેના વીડિયો પણ વાયરલ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar: 'ઢોર ડબ્બામાં માટે પૂરતી સગવડ નથી!', સભામાં વિપક્ષી નગરસેવકોએ અનેક મુદ્દે ઉઠાવ્યા સવાલો

Advertisement

કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ!

રાઘવજીભાઈ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમુક લોકો દ્વારા તેમને આવનારા સમયમાં કોઈ મહત્વના હોદ્દા ન મળે અને તેમની રાજકીય કારકિર્દીને નુકસાન થાય તેવા બદઈરાદા સાથે આ લખાણો લખવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, માત્ર મને જ નહીં પરંતુ સાંસદ પૂનમબેન માડમ (Poonamben Maadam) અને પરિમલભાઈ નથવાણી (Parimalbhai Nathwani) જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિશે પણ ખોટી માહિતી ફેલાવી તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. એવો પણ આરોપ છે કે વિશાલ કણસાગરાએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા તો રાજકીય દબાણ ઊભું કરી નાણાં પડાવવાના આશયથી આ કૃત્ય કર્યું હોઈ શકે છે.

Jamnagar: પોલીસ કાર્યવાહી અને તપાસ

આ ગંભીર મામલાને ધ્યાને લઈને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ (Cyber ​​Crime Police) દ્વારા ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ માત્ર વિશાલ કણસાગરા જ છે કે પછી અન્ય કોઈ રાજકીય વિરોધીઓનો પણ હાથ છે.

આ પણ વાંચોઃ Vadodara: ફેમસ થવાની ઘેલછામાં યુવકે ચાલુ કારની છત પર બેસી કર્યા સ્ટંટ!, જુઓ

Tags :
Advertisement

.

×