Jamnagar મનપા દ્વારા મણિયાર શેરીમાં 5 દુકાનોનું ડિમોલિશન, દબાણકર્તાઓમાં ફફડાટ
- Jamnagar મનપા દ્વારા પાંચ દુકાનોનું ડિમોલિશન
- દબાણકારોને કારણદર્શક નોટિસ અપાયા બાદ કાર્યવાહી
- મણિયાર શેરીમાં ગેરકાયદે 5 દુકાનોને તોડી પાડવામાં આવી
Jamnagar: જામનગર મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદો અને આયોજનના ભાગરૂપે આજે શહેરના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ મણીયાર શેરી (Maniyar Sheri) વિસ્તારમાં મનપાની ટીમે પાંચ દુકાનો તોડી પાડી છે. આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Jamnagar મનપાની નોટિસ છતાં બાંધકામ દૂર કરાયું ન હતુ
મળતી વિગતો અનુસાર મણીયાર શેરી (Maniyar Sheri) વિસ્તારમાં 5 જેટલી દુકાનોનું નિર્માણ કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી લીધા વિના કરવામાં આવ્યું હતું. જામનગર (Jamnagar) મનપાની એસ્ટેટ શાખા (Estate Department) દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ કાયદેસરની 'કારણદર્શક નોટિસ' (Show Cause Notice) આપવામાં આવી હતી. જોકે, નોટિસની અવધિ પૂર્ણ થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે આ બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું, જેના પરિણામે આજે કડક અમલીકરણ કરવામાં આવ્યું હતું.
Jamnagar Corporation Demolition : જામનગર મનપા દ્વારા પાંચ દુકાનોનું ડિમોલિશન
દબાણકારોને કારણદર્શક નોટિસ અપાયા બાદ કાર્યવાહી
પાંચ હાટડી વિસ્તારમાં મંજૂરી વગર ખડકી દેવાઈ હતી દુકાનો
મણિયાર શેરીમાં ગેરકાયદે 5 દુકાનોને તોડી પાડવામાં આવી
શહેરમાં દબાણ ખડકી દેનારા તત્વોમાં ફાફડાટ… pic.twitter.com/VNLfXVJuYi— Gujarat First (@GujaratFirst) March 12, 2026
Jamnagar: પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી
આ ગીચ વિસ્તારમાં કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ (Police) બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાના અધિકારીઓ અનવર ગજ્જણ (Anwar Gajjan) અને ધર્મેન્દ્રસિંહ (Dharmendrasinh) ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ કામગીરી પાર પાડી હતી. આ કડક પગલાથી દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ Jamnagar: હાપામાં મસાલા કંપનીમાં અગ્નિતાંડવ, કરોડોના સૂકા મરચા બળીને ખાખ!


