Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: હાપામાં મસાલા કંપનીમાં અગ્નિતાંડવ, કરોડોના સૂકા મરચા બળીને ખાખ!

 જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મધુસુદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં બપોર બાદ ભીષણ આગ લાગી હતી. સૂકા મરચાના જથ્થામાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે અને તીખા ધુમાડાથી લોકોના શ્વાસ રૂંધાયા હતા. ફાયર બ્રિગેડે (Fire Brigade) કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે આગનું કારણ હજુ અકબંધ છે.
jamnagar  હાપામાં મસાલા કંપનીમાં અગ્નિતાંડવ  કરોડોના સૂકા મરચા બળીને ખાખ
Advertisement
  • Jamnagar: હાપાની મસાલા કંપનીમાં ભીષણ આગ
  • મધુસુદન કંપનીના ગ્રાઉન્ડમાં અચાનક આગ લાગી
  • બપોર બાદ સૂકા મરચાના જથ્થામાં અગ્નિતાંડવ

Jamnagar Fire Incident: જામનગર નજીક આવેલા હાપા (Hapa) ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જાણીતી મસાલા બનાવતી મધુસુદન કંપની (Madhusudan Company) માં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વિશાળ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા સૂકા મરચાના જથ્થામાં અચાનક આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી.

આગ એટલી પ્રચંડ હતી કે હજારો ટન સૂકા મરચા બળવાને કારણે આસપાસના વિસ્તારમાં તીખો અને ઘાટો ધુમાડો પ્રસરી ગયો હતો. આ ઝેરી અને તીખા ધુમાડાના કારણે આસપાસમાં રહેતા લોકો અને રાહદારીઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આસપાસના રસ્તાઓ પર અવરજવર મર્યાદિત કરવામાં આવી હતી.

Advertisement

Jamnagar: ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડ (Jamnagar Fire Brigade) ની ટીમ અનેક ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં કરોડો રૂપિયાની કિંમતનું સૂકું મરચું બળીને ખાખ થઈ ગયું છે, જેનાથી કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.

Advertisement

આગનું કારણ અકબંધ

ભીષણ આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Jetpur: સોના જેવો ઘઉંનો પાક રાખમાં ફેરવાયો! PGVCL ની બેદરકારીના આક્ષેપ, જાણો કેવી રીતે લાગી આગ?

Tags :
Advertisement

.

×