Jamnagar : ટેકાના ભાવે મગફળીની મંદ ગતિએ થઈ રહી છે ખરીદી, દિવસો સુધી પેમેન્ટ ન મળતું હોવાનો આક્ષેપ
- Jamnagar : યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા મંદગતિએ
- જિલ્લાના અન્ય કેન્દ્રોની તુલનાએ જામનગર યાર્ડ કેન્દ્ર ખૂબ જ પાછળ
- યાર્ડમાં મગફળી રિજેક્શનનું પ્રમાણ પણ વધુ
- ખરીદ પ્રક્રિયાના દિવસો બાદ ખેડૂતોને પેમેન્ટ નથી મળતું
- માવઠાએ મગફળીને નુકશાન પહોચાડ્યું છે ખેડૂતોની રાવ
- મંદગતિએ અને વિલંબના કારણે પડતર પાક વધુ બગડ્યો
Jamnagar : ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાકની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે. પરંતુ જો ટેકાના ભાવે થતી ખરીદીની પ્રક્રિયા મંદગતિએ થાય તો શું કરવું તે માટો સવાલ થાય છે. બસ આવી જ ઘટના જામનગરથી સામે આવી છે. જામનગર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા મંદગતિએ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના અન્ય કેન્દ્રોની તુલનાએ જામનગર યાર્ડ કેન્દ્ર ખૂબ જ પાછળ હોય તેવા આરોપો પણ લગાવવામાં આવી રહ્યાં છે.
યાર્ડમાં મગફળી રિજેક્શનનું પ્રમાણ પણ વધુ(Jamnagar)
આ વર્ષે માવઠાના માર હેઠળ ખેડૂતો દબાઈ ગયા છે. ત્યારે ટેકાના ભાવે ખરીદી તો થાય છે પરંતુ ખરીદીના દિવસો બાદ પણ પાકનું પેમેન્ટ ન થતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મંદગતિએ અને વિલંબના કારણે પડતર પાક વધુ બગડ્યો છે.
ખરીદીના દિવસો બાદ પણ પેમેન્ટ ન મળતું હોવાનો આક્ષેપ
ખેડૂતોનો પાક બગડવાથી વેપારીઓ પણ પાકનો સારો ભાવ આપતા ન હોવાની ખેડૂતોએ રાવ પાડી છે. જો કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા મંદગતિએ થતી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર જિલ્લાના અન્ય કેન્દ્રોની તુલનાએ (Jamnagar) જામનગર યાર્ડ કેન્દ્ર ખૂબ જ પાછળ છે. તેમજ માર્કેટ યાર્ડમાં મગફળી રિજેક્શનનું પ્રમાણ પણ વધુ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Junagadh: 'મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો' યુવાનને મરવા કોણે મજબૂર કર્યો?


