Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: હોમગાર્ડ જવાનનો જીવ લેનાર કારચલાક સામે નોંધાયો ગુનો

Jamnagar-Kalavad હાઈવે પર ITI પાસે 16 ડિસેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જામનગર તરફથી આવતી બેફામ કારે એક્ટિવા સવાર 35 વર્ષીય હોમગાર્ડ જવાન ગિરીશ પરમારને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. કાલાવડ ટાઉન પોલીસે કાર ચાલક વિરુદ્ધ BNS હેઠળ ગુનો નોંધી, કારના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
jamnagar  હોમગાર્ડ જવાનનો જીવ લેનાર કારચલાક સામે નોંધાયો ગુનો
Advertisement
  • Jamnagar: કાલાવડ-જામનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
  • હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોત થયું
  • પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા અડફેટે લેતા અકસ્માત
  •   એક્ટિવા ચાલક હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું મોત
  • કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો
  • પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

Jamnagar:સૌરાષ્ટ્રના માર્ગો પર અકસ્માતની વણઝાર યથાવત છે, ત્યારે જામનગર-કાલાવડ હાઈવે (Jamnagar-Kalawad Highway) પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 16 ડિસેમ્બરની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક હોમગાર્ડ જવાને (Home Guard jawan) પોતાનો જીવ ગુમાવ્યો હતો. બેફામ ઝડપે આવતી કારે એક્ટિવા સવાર જવાનને એવી જોરદાર ટક્કર મારી હતી કે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાલાવાડ પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

હોમગાર્ડ જવાને ઘટનાસ્થળે જ દમ તોડ્યો

મળતી માહિતી મુજબ, કાલાવડ ITI પાસે આ અકસ્માત સર્જાયો હતો. 16 ડિસેમ્બરની રાત્રે 35 વર્ષિય હોમગાર્ડ જવાન ગિરીશભાઈ પરમાર (Girishbhai Parmar) પોતાનું એક્ટિવા લઈને ઉભા  હતા. આ સમયે જામનગર તરફથી પૂરપાટ ઝડપે અને બેદરકારીભરી રીતે આવતી એક અજાણી કારે ગિરીશભાઈના સ્કૂટરને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભંયકર હતી કે ગિરીશભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો એકઠા થાય તે પહેલાં જ ગંભીર ઈજાઓને કારણે હોમગાર્ડ જવાનનું સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Advertisement

jamnagar accident_gujarat_first

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

અકસ્માત સર્જનાર કાર ચાલક અંધારાનો લાભ ઉઠાવી પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાલાવડ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 35 વર્ષીય ગિરીશ પરમારના અકાળે અવસાનથી તેમના પરિવાર અને હોમગાર્ડ દળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ કાર્યવાહી અને ગુનો દાખલ

આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસે (Kalavad Town Police) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ આ નંબરના આધારે કાર માલિક અને ચાલકની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ Kutch: વિશ્વના સૌથી નાની ઉંમરના ગાયક તરીકેનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ હવે ભારતના નામે નોંધાયો, જાણો

Tags :
Advertisement

.

×