Jamnagar માં આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ, માંગણીઓ નહિ સંતોષાય તો..!
જામનગરમાં 400 જેટલા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ પૂરતા વળતર અને વધારાના કામના ભારણ સામે એક દિવસની હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. અગાઉની રજૂઆતો નિષ્ફળ રહેતા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Advertisement
- Jamnagar માં 400 આંગણવાડી વર્કરોનો વિરોધ
- હેલ્પર અને કર્મચારીઓની એક દિવસની હડતાળ
- પૂરતા વળતર સહિતની વિવિધ સમસ્યાને લઈને દેખાવ
Jamnagar Anganwadi Worker Strike: જામનગર જિલ્લામાં આજે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંદાજે 400 જેટલા આંગણવાડી વર્કરો (Anganwadi Workers) એક દિવસની હડતાળ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતા વળતર (Remuneration) કરતા કામગીરીનું ભારણ અનેકગણું વધારે છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જોડાઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

