Jamnagar: ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં મોટી બેદરકારી, વેજ પાસ્તામાંથી નીકળ્યા નોનવેજના ટુકડા
જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાં પરેશભાઈ ચુડાસમા નામના ગ્રાહકે પવિત્ર નિર્જળ એકાદશીના દિવસે ઝોમેટો (Zomato) મારફતે વેજ પાસ્તા મંગાવ્યા હતા, જેમાંથી નોનવેજના ટુકડા નીકળતા વ્રતભંગ થયો હતો. ગ્રાહકના આક્રોશ બાદ હોટેલ સંચાલકે ભૂલ સ્વીકારી રિફંડ આપ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ હવે જામનગર મનપાના ફૂડ વિભાગે હોટેલ સામે તપાસ અને કડક કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
Advertisement
Jamnagar News: ગુજરાતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી (Online Food Delivery) કંપનીઓની ગંભીર બેદરકારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) મારફતે શુદ્ધ શાકાહારી પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે આ પાર્સલ ઘરે આવ્યું અને ગ્રાહકે તેને ખાવા માટે ખોલ્યું, ત્યારે તેમાંથી નોનવેજ (Non-Vegetarian) એટલે કે માંસાહારી ભોજનના ટુકડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

