ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોનો વિરોધ

ધુતારપર ગામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી દીધી છે. મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર તે બગડી જાય છે.
02:18 PM Oct 12, 2025 IST | SANJAY
ધુતારપર ગામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી દીધી છે. મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર તે બગડી જાય છે.
Onion, Farmer, Jamnagar, Protest, Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Jamnagar: ધુતારપર ગામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી દીધી છે. મહેનત અને મોંઘા ખર્ચે ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર તે બગડી જાય છે.

ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો

ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. જામનગર પંથકના ગામડાઓના ખેડૂતોએ આ રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જેમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટનું ધ્યાન ખેંચ્યું છે.

જગતના તાતે મહામહેનતે પકવેલ ડુંગળી રોડ પર ફેકવા મજબૂર બન્યા

જગતના તાતે મહામહેનતે પકવેલ ડુંગળી રોડ પર ફેકવા મજબૂર બન્યા છે. ડુંગળીનો પુરતો ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને તેમણે ડુંગળીના પોષણ સમ ભાવ મળે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે રાતોના ઉજાગરા કરીને તૈયાર કરેલી ડુંગળીના બજારમાં મણ દીઠ 150 રૂપિયા ભાવ મળે છે.

Jamnagar: ડુંગળી તૈયાર કરવામાં વીઘા દીઠ 40 હજારનો ખર્ચ થતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો

ડુંગળી તૈયાર કરવામાં વીઘા દીઠ 40 હજારનો ખર્ચ થતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ત્યારે ઓછા ભાવના લીધે વાવેતર ખર્ચ પણ ન નીકળતો હોવાની વાત કરી છે. આટલા ઓછા ભાવે તો ખેડૂતોને વાવેતરમાં કરેલો ખર્ચ પણ ન નીકળે, તો નફાની તો વાત જ શું કરવી? ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. જેના લીધે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

ખેડૂતો પાસે હાલ કોઈ વ્યવસ્થા નથી

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ખેડૂતોને ભાવ મળતા નથી, જેના લીધે ખેડૂતો પાસે હાલ કોઈ વ્યવસ્થા નથી, પૈસા નથી. મજૂરોને પૈસા ચુકવવાના છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. મગફળીમાં ભાવ મળતા નથી. કપાસમાં તો સરકારે પહેલાથી જ ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દીધી છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો: Helicopter Crash: અમેરિકાના લોસ એન્જલસમાં હેલિકોપ્ટર ક્રેશ, ટેક ઓફ બાદ તરત જમીન પર પટકાયું

Tags :
farmerGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsJamnagarOnionProtestTop Gujarati News
Next Article