Junagadh: ખેડુતે છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડેલ ઉભુ કર્યું, ઓછા ખર્ચે મેળવ્યું વધુ ઉત્પાદન
- જૂનાગઢના (Junagadh) આલીધ્રા ગામના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક મળવતા થયા
- ખેડુતો હાલ પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ સમૃધ્ધ બન્યા
- દીલીપભાઈ ફળદુ છેલ્લા દસ વર્ષથી કરે છે પ્રાકૃતિક ખેતી
- પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડેલ ઉભુ કર્યું છે
- ખેતરમાં જીવામૃતનો પ્લાન્ટ પણ ઉભો કર્યો છે
- જમીન બંજર બનતા અટકી સાથે પાણીના સ્તર ઉંચા આવ્યા
Junagadh: ગુજરાતના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોના કારણે વધતા જતા ખર્ચ અને જમીનની ઘટતી જતી ફળદ્રુપતા વચ્ચે હવે પ્રાકૃતિક ખેતી (Natural farming) ખેડૂતો માટે આશાનું કિરણ બની છે.ત્યારે જૂનાગઢ (Junagadh) જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના દીલીપભાઈ ફળદુ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડેલ ઉભુ કર્યું છે.
પંચસ્તરીય મોડેલ શું છે?
આ મોડેલમાં એક જ ખેતરમાં વિવિધ સ્તરે પાકો વાવવામાં આવે છે
નીચલા સ્તરે: ધાન્ય પાકો અને મિશ્ર ધાન્ય.
મધ્યમ સ્તરે: શાકભાજી.
ઉપરના સ્તરે: ફળોના વૃક્ષો.
આનાથી જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે, ઉત્પાદન વધે છે અને આવકમાં વધારો થાય છે. ગુજરાતમાં આ મોડેલ અન્ય ખેડૂતો પણ અપનાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના દીલીપભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા તમામ પ્રકારના ફળો, શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. સાથે ધાન્ય પાકોમાં પણ એક બીજા ધાન્ય સાથે વાવેતર કરી પોતાની જણસના ખૂબ ઉંચા ભાવ મેળવે છે. પોતાના ખેતરમાં તેમણે જીવામૃતનો પ્લાન્ટ ઉભો કર્યો છે અને તેના દ્વારા તે તમામ પાકોને જીવામૃતનુ પીયત આપે છે.
મુખ્ય વિશેષતાઓ અને લાભો
દીલીપભાઈએ પોતાના ખેતરમાં જીવામૃત પ્લાન્ટ ઉભો કર્યો છે. જીવામૃત (દેશી ગાયના છાણ-મૂત્ર આધારિત પ્રાકૃતિક ખાતર) ડ્રિપ ઇરિગેશન દ્વારા પાકોને આપવામાં આવે છે. આનાથી રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી.
પર્યાવરણીય લાભો
પ્રાકૃતિક ખેતીથી જમીન બંજર બનતા અટકી છે સાથે પાણીના સ્તર ઉંચા આવ્યા છે અને પાણીના સ્વાદમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. તેમજ પોતાની ખેતીમાં છાશનો પ્રાકૃતિક રીતે ઉપયોગ કરી આજે ઝેર મુક્ત વાવેતર કરી પોતાની જમીનને નવુ રૂપ આપ્યું છે.
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક
રાસાયણિક તેમજ પેસ્ટીસાઈડ ખેતી ને તીલાંજલી આપી ખેડુતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક મળતી હોવાથી ખેડુતો હાલ પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ સમૃધ્ધ બની રહ્યો છે.
આ પણ વાંચો: Junagadh: આ ખેડૂત છેલ્લા 15 વર્ષથી માત્ર 1 વિઘામાં કરી રહ્યા પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી!, જાણો


