Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

junagadh: ન નોકરી મળી, ન પૈસા પાછા આવ્યા! ભરતીના નામે છેતરાતા પહેલા આ જરૂર વાંચજો

Junagadh:  જૂનાગઢ જિલ્લામાં રેલવેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પુત્રને રેલવેમાં ઊંચા હોદ્દા પર નોકરી અપાવવાની લાલચ આપી 32 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે.
junagadh  ન નોકરી મળી  ન પૈસા પાછા આવ્યા  ભરતીના નામે છેતરાતા પહેલા આ જરૂર વાંચજો
Advertisement
  • જૂનાગઢ (Junagadh ) માં રેલવેમાં નોકરીના બહાને છેતરપિંડી
  • ઉંચા હોદ્દા પર નોકરી આપવાની લાલચે 32 લાખની છેતરપિંડી
  • રેલવેના નકલી ઓર્ડર અને દસ્તાવેજ બનાવી છેતરપિંડી
  • ભોગ બનનારે માણવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
  • વિવેક ચૌહાણ, રવિ ચોટલિયા, જસપાલ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ

Junagadh :  જૂનાગઢ (Junagadh) જિલ્લામાં રેલવેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પુત્રને રેલવેમાં ઊંચા હોદ્દા પર નોકરી અપાવવાની લાલચ આપી 32 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે.

જૂનાગઢ (Junagadh ) માં રેલવેમાં નોકરીના બહાને છેતરપિંડી

મળતી માહિતી મુજબ, છેતરપિંડી કરનારા શખ્સોએ ફરિયાદીના પુત્રને રેલવે વિભાગમાં પ્રતિષ્ઠિત અને ઉચ્ચ હોદ્દા પર સરકારી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. આ વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ રેલવેના સહી-સિક્કા વગરના નકલી ઓર્ડર અને અન્ય બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે ફરિયાદીને વિશ્વાસમાં લઈ, સમયાંતરે કુલ 32 લાખ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી.

Advertisement

Junagadh Railway Job Fraud - Gujarat first

Advertisement

દસ્તાવેજો નકલી હોવાનું માલૂમ પડ્યું

જ્યારે લાંબો સમય વીતવા છતાં નોકરી ન મળી અને આપવામાં આવેલા દસ્તાવેજો નકલી હોવાનું માલૂમ પડ્યું, ત્યારે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. અંતે, ન્યાય મેળવવા માટે તેમણે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે.

આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ મામલે માણાવદર પોલીસ સ્ટેશનમાં ત્રણ મુખ્ય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે:

1. વિવેક પ્રફુલભાઈ ચૌહાણ
2. રવિ ચોટલિયા
3. જસપાલ ભટ્ટી

પોલીસે આ ત્રણેય વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અંગેની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે.

Junagadh Railway Job Fraud - Gujarat first

લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

આ કિસ્સો ફરી એકવાર લાલબત્તી સમાન છે કે સરકારી નોકરી મેળવવા માટે ક્યારેય કોઈ વચેટિયા કે એજન્ટોના પ્રલોભનમાં આવવું જોઈએ નહીં. રેલવે જેવી સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા માત્ર અધિકૃત બોર્ડ (RRB) દ્વારા જ કરવામાં આવે છે. હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો કે અગાઉ આચરવામાં આવેલી આવી કોઈ છેતરપિંડીની કડીઓ શોધવા માટે તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો:  Rajkot: ઇકો કાર સાથેની ટક્કર બાદ કારમાં શું એવું મળ્યું કે લોકો ચોંકી ગયા?

Tags :
Advertisement

.

×