Governor Acharya Devvrat નો Junagadh પ્રવાસ, એજ્યુકેશન ફેસ્ટિવલથી લઈને પદવીદાન સુધીનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- Governor Acharya Devvrat આજે Junagadh માં
- રાજ્યપાલ એજ્યુકેશન ફેસ્ટિવલમાં રહેશે હાજર
- નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ
- ચતુર્થ દીક્ષાંત સમારોહમાં ગર્વનર ઉપસ્થિત રહેશે
Governor Junagadh Visit:જૂનાગઢ (Junagadh) માં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે પધારી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, રાજ્યપાલ આજે સવારે 10.45 કલાકે જૂનાગઢમાં આયોજિત એજ્યુકેશન ફેસ્ટિવલમાં (Education Festival) હાજરી આપશે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદો સાથે સંવાદ કરશે.
Governor Acharya Devvrat આજે Junagadh માં
ત્યારબાદ, બપોરે 11.30 કલાકે તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના (Bhakta Kavi Narsinh Mehta University) ચતુર્થ દીક્ષાંત સમારોહમાં (4th Convocation Ceremony) મુખ્ય અતિથિ તરીકે સહભાગી બનશે. આ ગૌરવશાળી સમારોહનું આયોજન શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan Temple) ખાતે કરવામાં આવ્યું છે.
રાજ્યપાલની ઉપસ્થિતિમાં પદવીદાન
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના આ મહત્વના શૈક્ષણિક ઉત્સવને લઈને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Surendranagar Fire News: લીંબડીના રહેણાંક મકાનમાં ભીષણ આગનું તાંડવ, દંપતી જીવતા ભુંજાયા


