Jamnagar મનપાની ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા, આટલા ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ!
- Jamnagar મનપા માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ
- શહેર કાર્યાલય પર પ્રભારી સેન્સ લેવા પહોંચ્યા
- પ્રભારી લલીત વસોયા સહિતની ટીમ સેન્સ લેવા બેઠી
Jamnagar: આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી લલિતભાઈ વસોયા (Lalit Vasoya) અને તેમની નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા (Sense Process) શરૂ કરવામાં આવી છે. મનપાની તમામ 64 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવા માટે પક્ષના નેતાઓએ સંભવિત દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળવાની શરૂઆત કરી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ જમીની સ્તરના કાર્યકરોનો અભિપ્રાય જાણીને જનતામાં લોકપ્રિય હોય તેવા ચહેરાઓને તક આપવાનો છે.
Jamnagar: પ્રભારીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક
જામનગર શહેરના કોંગ્રેસ કાર્યાલય પર સવારથી જ કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો. પ્રભારી લલિતભાઈ વસોયા સહિતની ઉચ્ચ સ્તરીય ટીમ સેન્સ લેવા માટે બેઠી છે. ચૂંટણી લડવા માંગતા અનેક દાવેદારોએ પોતપોતાના બાયોડેટા સાથે હાજરી આપી છે. પ્રભારીઓએ દરેક વોર્ડના અને અન્ય સમીકરણોને ધ્યાને રાખીને દાવેદારો સાથે ચર્ચા કરી છે.
તમામ 64 બેઠકો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત
લલિતભાઈ વસોયાએ કહ્યું કે જામનગર (Jamnagar) ની તમામ 64 બેઠકો પર પક્ષ પોતાના અધિકૃત ઉમેદવારો ઉતારશે. કાર્યકરોનો ઉત્સાહ જોતાં લાગે છે આ વખતે કોંગ્રેસનો ઝંડો લહેરાશે. વિકાસના મુદ્દાઓને જનતાની વચ્ચે લઈ જઈશું. કોંગી કાર્યકરો એકજૂથ થઈ મનપા ચૂંટણી લડશે. આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી નામોની જાહેરાત કરવામાં આવશે. જામનગરમાં સત્તાધારી પક્ષને પછાડવા માટે કોંગ્રેસે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે.
આ પણ વાંચોઃ Jamnagar: જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આજથી ચૂંટાયેલી પાંખની વિદાય, શું પક્ષોના સમીકરણો બગડશે?


