કેશોદમાં અકસ્માત: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી બન્યા દેવદૂત, ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા
Jitubhai Vaghani News: કેશોદના કોયલાણા ગામે કાર અને પશુ વચ્ચે થયેલા અકસ્માતમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી (Agriculture Minister Jitu Vaghani) ઇજાગ્રસ્તની મદદે આવ્યા હતા. સાથે રહેલા પોલીસકર્મીએ (Police Personnel) તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ 108 ની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરાઈ હતી.
Advertisement
Keshod News: જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod) તાલુકામાં એક પ્રશંસનીય માનવતાવાદી ઘટના સામે આવી છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી (Agriculture Minister Jitu Vaghani) મુલાકાત દરમિયાન માર્ગ પર થયેલા એક ગંભીર અકસ્માતમાં તાત્કાલિક ઇજાગ્રસ્તની મદદે પહોંચ્યા હતા. મંત્રી અને તેમની સુરક્ષામાં રહેલા પોલીસકર્મીઓની ત્વરિત કામગીરીને કારણે ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી શકી હતી.

