Junagadh: ગિરનારના અંબાજી મંદિર ખાતે દારૂ-નોનવેજ પાર્ટી મામલે કાર્યવાહી, 6 સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલ અંબાજી શક્તિપીઠ ખાતે થયેલી દારૂ અને નોનવેજ પાર્ટીની ઘટનાએ ભારે વિવાદ ઉભો કર્યો છે. આ ઘટનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલે ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસની માંગ ઉઠી છે।
Advertisement
- Junagadh: ગિરનાર પર અપવિત્રતા! શક્તિપીઠમાં દારૂ-નોનવેજ પાર્ટીનો વિવાદ
- ગિરનાર અંબાજી શક્તિપીઠમાં પાર્ટીથી ભક્તોમાં રોષ
- ‘ધાર્મિક લાગણીઓને ઠેસ’ગિરનાર મામલે ઉગ્ર પ્રતિક્રિયા
- પવિત્ર સ્થળે પાર્ટી! સમાજમાં આક્રોશ ઉફાન પર
- ગિરનાર પર કોણે યોજી આ વિવાદાસ્પદ પાર્ટી?
- મંદિરમાં અપમાનજનક કૃત્ય સામે કડક કાર્યવાહી ની માંગ
- દારૂ-નોનવેજ મામલે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ
- શક્તિપીઠમાં અપવિત્રતા મુદ્દે તલસ્પર્શી તપાસની માંગ
- ગિરનાર મામલે ષડયંત્રની આશંકા, સત્ય બહાર લાવવાની માંગ
Junagadh: જૂનાગઢ જિલ્લાના પવિત્ર ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા અંબાજી શક્તિપીઠ (Ambaji Shaktipeeth) ખાતે થયેલી દારૂ (Liquor) અને નોનવેજ (Non-Veg) પાર્ટી મામલે ભારે વિવાદ (Controversy) ઊભો થયો છે. આ ઘટનાએ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ (Religious Sentiments)ને ઠેસ પહોંચાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

