Junagadh : ભવનાથના મેળામાં કિન્નર અખાડા મહામંડલેશ્વર ગીરનારી માતાએ Gujarat First સાથે કરી વાતચીત
- જૂનાગઢના ભવનાથમાં કિન્નર અખાડા સાથે મુલાકાત
- કિન્નર અખાડા મહામંડલેશ્વર ગીરનારી માતા સાથે વાતચીત
- ગીરનારી સ્વીટુ માતાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
- સનાતન ધર્મ આદી અનાદીકાળથી છેઃ સ્વીટુ માતા
- હવે લોકો ઘરવાપસી કરી રહ્યા છેઃ સ્વીટુ માતા
Junagadh : જૂનાગઢના મિની કુંભ ગણાતા ભવનાથના મેળામાં આસ્થાના અનેક રંગો જોવા મળી રહ્યા છે, જેમાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવી રહી છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગીરનારી સ્વીટુ માતાએ સનાતન ધર્મના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સનાતન ધર્મ આદિ-અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે અને તે વિશ્વનો સૌથી પ્રાચીન માર્ગ છે.
વર્તમાન સમયના પરિવર્તન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મૂળ તરફ વળીને 'ઘરવાપસી' કરી રહ્યા છે. શિવરાત્રીના આ પાવન પર્વ પર સ્વીટુ માતાએ ધર્મના સંરક્ષણ અને સંસ્કૃતિના જતન માટે યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી.
આ પણ વાંચો : Junagadh : ભવનાથના મેળામાં સેવાનું ઘોડાપૂર! ગુજરાત પોલીસને સાથે 150 લોકોની ટીમ સેવામાં ખડેપગે


