Junagadh: વિસાવદરમાં ખેડૂતોનો હોબાળો, મગફળી કેન્દ્રમાં દાદાગીરી કરી પૈસા લેતા AAP નેતા વિરુદ્ધ ફરિયાદ
- જૂનાગઢ (Junagadh) વિસાવદરમાં આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી
- જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા, ભદ્રેશ અને રવી ડોબરીયા સામે ફરિયાદ
- ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદ્દે પૈસા લેવાનો આક્ષેપ
- માંડાવડ મગફળી કેન્દ્રમાં દાદાગીરી કર્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- ખોટી રીતે પૈસા ઉઘરાવ્યાનો આક્ષેપ કરી શ્રમીક સાથે કરી મારામારી
- એટ્રોસીટી, ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી સહિતની નોંધાઈ ફરિયાદ
Junagadh: જૂનાગઢ વિસાવદરમા આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી સામે આવી છે જેમાં તેમના પર ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદે પૈસા લેવાનો આક્ષેપ લાગ્યો છે. બે દીવસ પહેલાં પણ આપના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ માંડાવડ મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે હાજર રહેલ ખેડુતોએ જાહેરમા આપના કાર્યકરો ખોટી રીતે અહી મગફળી કેન્દ્રમા દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તમામ ખેડૂતોએ એક જાહેર નિવેદન પણ બહાર પાડયું હતુ. આ મામલે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા,ભદ્રેશ,તેમજ રવી ડોબરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
વિસાવદરમાં AAP જિલ્લા પ્રમુખની દાદાગીરી
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા સહિત તેમના સાથીઓ પર ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે માંડાવડ મગફળી કેન્દ્રમાં થયેલી ઘટનાના સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એટ્રોસીટી, ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી જેવા કલમોનો સમાવેશ કરાયો છે.
મારામારી અને પૈસા માંગવાનો આરોપ
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ટેકાના ભાવે મગફળી પાસ કરાવવા માટે તેમની પાસેથી પૈસા માંગવામાં આવે છે અને વિરોધ કરનારને ધમકાવવામાં આવે છે.આ ઘટનાની વિગતો અનુસાર, બે દિવસ પહેલા AAPના પ્રમુખ અને કાર્યકર્તાઓ માંડાવડ મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે હાજર ખેડૂતોએ જાહેરમાં આરોપ લગાવ્યો કે AAPના કાર્યકર્તાઓ કેન્દ્રમાં દાદાગીરી કરીને ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. ખેડૂતોએ એક જાહેર નિવેદન પણ જારી કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ ગઈ કાલે AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા કેન્દ્ર પર પહોંચ્યા અને ખોટી રીતે પૈસા ઉઘરાવવાના આરોપોને લઈને શ્રમિક સાથે મારામારી કરી. આ દરમિયાન અભદ્ર વાણી વિલાસ અને જાહેરમાં મારામારીની ઘટના બની હોવાનું કહેવાય છે.
પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
ફરિયાદમાં હરેશ સાવલીયા સહિત ભદ્રેશ અને રવી ડોબરીયાના નામનો ઉલ્લેખ કરાયો છે. ખેડૂતોએ કહ્યું કે આ પ્રકારની દાદાગીરીથી તેઓ પરેશાન છે અને તેમને આર્થિક નુકસાન થાય છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે, જોકે AAP તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.


