Girnar Ambaji Temple માં દારૂ-નોનવેજની મિજબાનીના મામલે ઘટસ્ફોટ, પૂજારી સહિત 5 સામે ગુનો નોંધવા આદેશ!
- જૂનાગઢ અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ પાર્ટીનો ઘટસ્ફોટ!
- પવિત્ર ગિરનાર પર શ્રદ્ધા ખરડાઈ, કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ
- સીડી વાટે દારૂ અને માંસાહાર ઉપર લઈ જઈ પાર્ટી કર્યાનો ખુલાસો
- પૂજારી સહિત 5 સામે આર્થિક ઉચાપત અને બેદરકારીનો નોંધાશે ગુનો
- 22 ઓક્ટોબરે યોજાયેલી મિજબાનીમાં સગીરો પણ સામેલ હોવાનું ખૂલ્યું
Girnar Ambaji Temple : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરમાં (Ambaji Temple) પવિત્રતા ખરડાઈ હોવાની ઘટના સામે આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પર્વતની ટોચ પર આવેલા આ મંદિરમાં પ્રતિબંધિત ગણાતા દારૂ અને નોનવેજની પાર્ટી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સમગ્ર મામલે જૂનાગઢ કલેક્ટરે (Junagadh Collector) સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Girnar Ambaji Temple : કેવી રીતે રજાયો પાપનો ખેલ?
તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, આ શરમજનક ઘટના ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બની હતી. પવિત્ર મંદિર પરિસરમાં દારૂ (Liquor) અને માંસાહારની મિજબાની કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બધી વસ્તુઓ સીડી મારફતે છુપાવીને મંદિર સુધી પહોંચાડવામાં આવી હતી. આ પાર્ટીમાં (Party) બે સગીર વયના કિશોરો અને અન્ય પુખ્ત લોકો સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ગિરનાર જેવા પવિત્ર સ્થળે જ્યાં લોકો મોક્ષની કામના માટે આવે છે, ત્યાં આવી અસામાજિક પ્રવૃત્તિ થવી એ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કરે છે.
Junagadh માં Ambaji Temple એ દારૂ પાર્ટીના મુદ્દે ખુલાસો | Gujarat First
દારૂ અને નોનવેજની પાર્ટી કરવામાં આવી હોવાનો ખુલાસો
મંદિરમાંથી પૈસા પણ લેવામાં આવ્યા હોવાનો થયો છે ઘટસ્ફોટ
સમગ્ર મામલે જુનાગઢ કલેક્ટરે સત્તાવાર કરી પ્રેસ કોન્ફરન્સ
22 ઓક્ટોબર 2025એ કરવામાં આવી હતી પાર્ટી… pic.twitter.com/nmHoW9yjQe— Gujarat First (@GujaratFirst) March 17, 2026
નાણાકીય ગેરરીતિ અને ઉચાપત
આ કેસમાં માત્ર પવિત્રતાના ભંગનો જ મુદ્દો નથી, પરંતુ આર્થિક ઉચાપતનો મામલો પણ સામે આવ્યો છે. મંદિરના ભંડોળમાંથી અંગત મોજશોખ માટે પૈસા વાપરવામાં આવ્યા હોવાનો ગંભીર ખુલાસો થયો છે. નાણાકીય બેદરકારી (Financial Mismanagement) અને મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ કલેક્ટરે મંદિરના પૂજારી (Priest) સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. કલેક્ટરે પોલીસ તંત્રને બે અલગ-અલગ પોલીસ ફરિયાદ (Police Complaint) દાખલ કરવા સૂચના આપી છે, જેમાં દારૂબંધીના ભંગ અને આર્થિક ગેરરીતિના પાસાઓનો સમાવેશ થાય છે.
તંત્રનો કડક સંદેશ
જૂનાગઢ કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ ધાર્મિક સ્થળની ગરિમા સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં. ગિરનાર અંબાજી મંદિર (Girnar Ambaji Temple) એ લાખો ભક્તોની સંવેદના સાથે જોડાયેલું સ્થળ છે. હાલમાં પૂજારી સહિતના જવાબદારો વિરુદ્ધ કાયદાકીય ગાળિયો કસવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ આકરા પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો : Junagadh માં શ્રદ્ધા સાથે ખીલવાડ, અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની મહેફિલનો વાયરલ વીડિયો


