Girnar News: ગિરનાર યાત્રીઓ માટે મોટા સમાચાર, સિંહના હુમલા બાદ બંધ કરાયેલી ગિરનારની સીડી ફરી શરૂ
Girnar News: જૂનાગઢ (Junagadh) ના ગિરનારમાં સિંહના હુમલામાં બાળકનું મોત થતાં બંધ કરાયેલી ગિરનાર સીડી આજે વહેલી સવારથી પ્રવાસીઓ માટે પુનઃ શરૂ કરાઈ છે. વન વિભાગે (Forest Department) હુમલો કરનાર સિંહ સહિત 3 વન્યજીવોને રેસ્કયૂ કરી સક્કરબાગ ઝૂ મોકલ્યા છે. વિસ્તાર સુરક્ષિત જણાતા અંબાજી અને દત્ત ભગવાનના દર્શન ફરી શરૂ થયા છે.
Advertisement
Girnar News: ગિરનાર (Girnar) ની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગિરનારની સીડી પર સિંહ દ્વારા એક બાળક પર હુમલો કરી તેને ફાડી ખાવાની કમકમાટીભરી ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સીડી પર મુકવામાં આવેલો પ્રતિબંધ આજે સવારથી હટાવી લેવામાં આવ્યો છે. વન વિભાગ (Forest Department) દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અને વન્ય પ્રાણીઓને રેસ્કયૂ કર્યા બાદ આજે વહેલી સવારથી ગિરનારની સીડી યાત્રીકો માટે ફરીથી ખુલ્લી મૂકી દેવામાં આવી છે.

