Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં હોળીની અનોખી પરંપરા: 'વાલમ બાપા'ની નનામી કાઢી આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ

જૂનાગઢમાંહોળીની ઉજવણી પરંપરાગત શ્રદ્ધા અને સામાજિક સંદેશ સાથે કરવામાં આવે છે. જૂના નાગરવાડામાં (Nagarwada) આઝાદી કાળથી યુવાનો દ્વારા 'વાલમ બાપા'ની કાલ્પનિક નનામી કાઢવાની અનોખી પરંપરા છે. હાસ્ય અને મનોરંજન સાથે આ સરઘસ દ્વારા વ્યસનમુક્તિનો પ્રબળ સંદેશ આપવામાં આવે છે અને અંતે નનામીને હોળીમાં હોમી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.
junagadh માં હોળીની અનોખી પરંપરા   વાલમ બાપા ની નનામી કાઢી આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ
Advertisement
  • Junagadh Holi 2026: હોળીની પરંપરા નરસિંહ મહેતાના કાળથી જીવંત
  • નાગરવાડામાં 'વાલમ બાપા'ની અનોખી નનામી કાઢવામાં આવે છે
  • આ રમૂજી પરંપરા દ્વારા વ્યસનમુક્તિનો સામાજિક સંદેશ અપાય છે
  • યુવાનો હાસ્ય સાથે નશાથી થતા નુકસાન સામે જાગૃતિ લાવે છે

Junagadh Holi 2026: ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જૂનાગઢ (Junagadh) શહેર અને જિલ્લાનું સ્થાન હંમેશા અગ્રેસર રહ્યું છે. અહીંના દરેક તહેવારોમાં ભક્તિ, પરંપરા અને સામાજિક સંદેશનો સમન્વય જોવા મળે છે. ખાસ કરીને હોળી (Holi) અને ધુળેટી (Dhuleti) ના પર્વને જૂનાગઢવાસીઓ પોતાની આગવી શૈલીમાં ઉજવે છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

Junagadh Holi 2026: નરસિંહ મહેતાના કાળથી ચાલતી પરંપરા

જૂનાગઢમાં હોળીની પરંપરા આદિ કવિ અને કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા (Narsinh Mehta) ના સમયથી અવિરત ચાલી આવે છે. હોળીની પૂર્વ સંધ્યાએ સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. શહેરના વિવિધ ચોક અને વિસ્તારોમાં સાર્વજનિક હોળીનું આયોજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ હોળીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જ્યારે ક્યાંક વિશેષ રૂપે 'કમળાહોળી' (Kamla Holi) પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત છે.

Advertisement

Junagadh Holi 2026: નાગરવાડાની અનોખી 'વાલમ બાપા'ની નનામી

જૂનાગઢના જૂના નાગરવાડા (Junagadh Nagarwada) વિસ્તારમાં આઝાદી બાદથી એક અત્યંત રોચક અને હાસ્યસભર પરંપરા શરૂ કરવામાં આવી છે. અહીંના યુવાનો હોળીના દિવસે 'વાલમ બાપા' (Valam Bapa) નામના એક કાલ્પનિક પાત્રની આબેહૂબ નનામી તૈયાર કરે છે. વાંસ અને ઘાસની મદદથી તૈયાર કરાયેલા આ પુતળાને લાલ કપડું ઓઢાડીને વાસ્તવિક ઠાઠડી જેવું સ્વરૂપ આપવામાં આવે છે. આ પરંપરા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ગહન સામાજિક સંદેશ છુપાયેલો છે. આ નનામી યાત્રામાં મહિલાઓ અને નાના બાળકો પણ જોડાય છે, જેઓ ઢોલ-મંજીરાના તાલે પરંપરાગત ગીતો ગાય છે.

Advertisement

junagadh_holi_2026_gujaratfirst

વ્યસનમુક્તિ અને સામાજિક એકતાનો સંદેશ

આ અનોખી સ્મશાનયાત્રા જ્યારે રસ્તાઓ પરથી પસાર થાય છે, ત્યારે વાતાવરણ હાસ્ય અને સંદેશથી ભરાઈ જાય છે. સામાન્ય રીતે સ્મશાનયાત્રામાં 'રામ બોલો ભાઈ રામ' બોલવામાં આવે છે, પરંતુ અહીં યુવાનો કંઈક અલગ જ સૂત્રોચ્ચાર કરે છે. યુવાનો પ્રશ્ન પૂછે છે, "કોણ મરી ગયું?" અને સામે જવાબ મળે છે, "વાલમ બાપા!" ફરી પ્રશ્ન થાય છે, "કેમ કરતા મરી ગયા?" ત્યારે જવાબ મળે છે, "બીડી પીતા-પીતા!"

આ રમૂજી સૂત્રોચ્ચાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને વ્યસનમુક્તિ (De-addiction) પ્રત્યે જાગૃત કરવાનો છે. બીડી કે અન્ય નશાના કારણે સ્વાસ્થ્યને થતા નુકસાનને હાસ્યના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સાંજે આ નનામીને વિસ્તારમાં ફેરવીને પવિત્ર હોળીની જ્વાળાઓમાં હોમી દેવામાં આવે છે, જે અનિષ્ટના નાશનું પ્રતીક છે.

સમુદાયની ભાગીદારી

આ આયોજનથી માત્ર મનોરંજન જ નથી મળતું, પરંતુ વિસ્તારમાં સામાજિક એકતા (Social Unity) પણ મજબૂત બને છે. હોળીના ફાળાથી લઈને સમગ્ર વ્યવસ્થામાં દરેક જ્ઞાતિ-જાતિના લોકો સહભાગી બને છે. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી અવનવી પરંપરાઓ દ્વારા તહેવારની ગરિમા જાળવવામાં આવે છે. આમ, જૂનાગઢની હોળી એ માત્ર રંગોનો ઉત્સવ નથી, પણ પરંપરા, પરિવર્તન અને સામાજિક સુધારણાનું સુંદર સંગમ છે.

આ પણ વાંચોઃ Rajkot: દેવપરા ગ્રુપનું ભવ્ય આયોજન, ગોંડલમાં થશે સૌથી મોટું હોલિકા દહન

આ પણ વાંચોઃ Dakor માં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત, સાદા ડ્રેસમાં મહિલા પોલીસની બાજ નજર!

Tags :
Advertisement

.

×