Junagadh: 'મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો' યુવાનને મરવા કોણે મજબૂર કર્યો?
- Junagadh માં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- ભાવસિંહ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ કરી આત્મહત્યા
- જાનથી મારી નાખવાની ધમકીને લઈ યુવાને ગળાફાંસો ખાધો
- કેશોદના કાલવાણી ગામની ઘટના
Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના કાલવાણી ગામે ( Kalvani village) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં યુવાને એક શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના પિતાએ ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, ખાસ કરીને જ્યારે મૃતક યુવાને મરતા પહેલા એક વીડિયો વાયરલ કરીને પોતાને મરવા મજબૂર કરનાર શખ્સોના નામ જાહેર કર્યા હોવાનું કહેવાઈ છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદના કાલવાણી ગામે રહેતા ભાવસિંહ (Bhavsinh) ઉર્ફે મયુર અમુભાઈ ધાના (Mayur Amubhai Dhana) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી છે. યુવાનના આ પગલાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે, આ આત્મહત્યા પાછળ ગંભીર કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક ભાવસિંહ છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યો હતો. દિકારાના મોતને લઈ પિતાએ રડતાં રડતાં વેદના ઠાલવી છે.
મરતાં પહેલા વીડિયો બનાવ્યો!
મૃતકની ફાઈલ તસ્વીર
જાણકારી મળી રહી છે કે આત્મહત્યાનું પગલું ભરતાં પહેલા ભાવસિંહે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેને અને તેના પરિવારને કેટલાક શખ્સો દ્વારા સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે તે ભારે દબાણ અને ભય હેઠળ હતો.
આ પણ વાંચોઃ "મારે બોલવું નથી પરંતુ લોકો મોઢામાં આંગળી નાખી બોલાવે છે" , સિંગર Aarti Sangani એ ઠાલવી વેદના
પરિવાર પર અગાઉ પણ થયો હતો ત્રાસ
આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ પરિવાર અગાઉ પણ ત્રાસનો ભોગ બની ચૂક્યો છે. મૃતક ભાવસિંહના પિતાએ પણ થોડા સમય પૂર્વે અન્ય ઈસમોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પિતાના આપઘાતના પ્રયાસ બાદ પણ આ પરિવારને ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મૃતકના પિતાએ કહ્યું અનિરુધસિંહ ભોજુભાઈ જોખીયા (AnirudhSingh Bhojubhai Jokhia) નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી અમને આપી હતી. જેથી મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો છે.
Junagadh: પોલીસની કામગીરી સામે પિતાના સવાલ!
મૃતક યુવાનના પિતાએ કેશોદ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે અગાઉ પણ અનેક વખત પોલીસમાં રજૂઆતો કરી હતી અને ત્રાસ આપનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નહોતા." આ મામલે અંતે મૃતકના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં (Keshod Police Station) અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જોખીયા (AnirudhSingh Bhojubhai Jokhia) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પિતાનો આક્ષેપ છે કે અનિરુદ્ધસિંહે જ તેમના પુત્રને મરવા માટે મજબૂર કર્યો હતો અને તેને સતત ધમકાવતો હતો. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Vadodara: ગટરના મેનહોલે યુવકનો જીવ લીધા બાદ કમિશનરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?


