Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: હવે પછી રવેડીમાં સંસારીઓ નહીં જોડાઈ શકે? મુખ્યમંત્રીને લખાયો પત્ર

જૂનાગઢની મહાશિવરાત્રીની રવેડીમાં સંસારી લોકોના વધતા જમાવડા સામે સાધુ-સંતોએ વિરોધ નોંધાવ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે રવેડીમાં માત્ર અખાડાના સાધુઓ જ જોડાય. સંસારીઓ ભગવા વસ્ત્રો પહેરી રવેડીમાં જોડાતા હોવાથી પરંપરાનું ઉલ્લંઘન થતું હોવાનું અને શ્રદ્ધાળુઓની લાગણી દૂભાતી હોવાનું સંતોએ જણાવ્યું છે.
junagadh  હવે પછી રવેડીમાં સંસારીઓ નહીં જોડાઈ શકે  મુખ્યમંત્રીને લખાયો પત્ર
Advertisement
  • Junagadh ની મહાશિવરાત્રીની રવેડીમાં માત્ર સાધુ સંતો જોડાય તેવી માંગ
  • અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
  • મેંદરડાના ખાખી મઢીના સંતે પણ જમાવડા અંગે નારાજગી દર્શાવી

Junagadh Ravedi Controversy: જૂનાગઢના ગિરનાર (Girnar) ની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડી (Ravedi) ના સ્વરૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રી (Chief Minister) ને પત્ર લખીને એવી માંગ કરી છે કે આ રવેડીમાં માત્ર અધિકૃત સાધુ-સંતો જ જોડાય. મેંદરડા (Mendarda) ના ખાખી મઢી (Khakhi Madhi) ના સંતે પણ રવેડીમાં સંસારીઓના વધતા જમાવડા અંગે ઉગ્ર નારાજગી દર્શાવી છે.

Junagadh માં સનાતન પરંપરાના ઉલ્લંઘનનો આક્ષેપ

સંતોનો મુખ્ય આક્ષેપ છે કે શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી આ પવિત્ર રવેડીમાં હવે ભગવા વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સંસારી (Householders) લોકો જોડાઈ રહ્યા છે. આ પ્રવૃત્તિને સનાતન ધર્મ (Sanatan Dharma) ની પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. રવેડીના દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓ (Devotees) ના મનમાં સાધુઓ પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે, પરંતુ જ્યારે સંસારી લોકો સાધુના વેશમાં રવેડીમાં જોડાય છે ત્યારે ભાવિકોની લાગણીને ઠેસ પહોંચે છે.

Advertisement

જૂની પરંપરા અને અખાડાઓની મર્યાદા

સાધુ-સંતોના જણાવ્યા અનુસાર, પ્રાચીન સમયમાં આ રવેડીમાં માત્ર જૂના અખાડા (Juna Akhada), અગ્નિ અખાડા (Agni Akhada), આહવાન અખાડાના મહામંડલેશ્વરો (Mahamandaleshwars), નાગા સાધુઓ (Naga Sadhus) અને સાધ્વીઓ જ જોડાતા હતા. આ એક આધ્યાત્મિક પ્રક્રિયા હતી જેમાં કઠોર તપસ્યા કરનાર સાધુઓ જ ભાગ લેતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સામાજિક લોકોની સંખ્યા રવેડીમાં વધી ગઈ છે, જેને કારણે આ વર્ષે ઘણા ખરા સાચા સાધુ-સંતો રવેડીથી અળગા રહ્યા હતા.

Advertisement

Junagadh માં આગામી વર્ષ માટે કડક અમલની માંગ

ધાર્મિક સંસ્થાઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે આગામી વર્ષથી રવેડીમાં માત્ર જે તે અખાડાના સાધુ-સંતો જ હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે. ભવનાથ (Bhavnath) ની પવિત્રતા અને રવેડીની ગરિમા જાળવી રાખવા માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો બનાવવાની માંગણી કરવામાં આવી છે, જેથી સનાતન સંસ્કૃતિની આ વિશિષ્ટ પરંપરામાં કોઈ ખલેલ ન પહોંચે.

આ પણ વાંચોઃ Gujarat Toll Collection: છેલ્લા 5 વર્ષમાં ગુજરાત National Highway પર આટલા કરોડ વસૂલાયો ટોલ ટેક્સ!

Tags :
Advertisement

.

×