Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh ના Mangrol પાસે ખાનગી બસ પલટી, નીલગાયને બચાવવા જતા Accident, 2 મહિલાના મોત

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ નજીક રહીજ ગામે યાત્રાળુઓની ખાનગી બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત (Accident) થયો છે. ભાવનગરથી દ્વારકા જઈ રહેલી આ બસમાં અંદાજે 35 મુસાફરો સવાર હતા. નીલગાય આડી ઉતરતા બસ પલટી જતા 2 મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 12 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત (Injured) થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
junagadh ના  mangrol પાસે ખાનગી બસ પલટી  નીલગાયને બચાવવા જતા accident  2 મહિલાના મોત
Advertisement
  • જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં યાત્રાળુઓની ખાનગી બસ પલટી
  • ભાવનગરથી દ્વારકા જઈ રહેલી બસમાં અંદાજે 35 યાત્રાળુઓ હતા સવાર
  • કરુણ દુર્ઘટનામાં 2 મહિલા યાત્રાળુના ઘટનાસ્થળે જ કરુણ મોત
  • માર્ગ પર અચાનક નીલગાય આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો

Junagadh Mangrol Bus Accident: જૂનાગઢ જિલ્લામાં માંગરોળના રહીજ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. ભાવનગરથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની ખાનગી બસ (Private Bus) રહીજ ગામ પાસે પલટી મારી ગઈ હતી. આ બસમાં કુલ 35 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. માર્ગ પર અચાનક નીલગાય આડી પડવાના કારણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 2 મહિલા યાત્રાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સાથે જ આ અકસ્માતમાં નીલગાયનું (Animal Death) પણ મોત નીપજ્યું છે.

Junagadh Mangrol Bus Accident_GUJARAT 02

Advertisement

ઈજાગ્રસ્તોને 108 મારફતે માંગરોળ અને જૂનાગઢ ખસેડાયા

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી (Rescue Operation) શરૂ કરી હતી. બસમાં સવાર 10 થી 12 જેટલા યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે માંગરોળની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રએ પણ ઈજાગ્રસ્તોની સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

Advertisement

આ પણ વાંચો---- Tharad Sessions Court નો મોટો ચુકાદો, યુવતીની Murder કરનાર અશ્વિન પરમારને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી

માંગરોળ પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બસને માર્ગ પરથી દૂર કરાવીને વાહન વ્યવહાર (Traffic) રાબેતા મુજબ શરૂ કરાવ્યો છે. પ્રાથમિક માહિતી (Primary Information) મુજબ વહેલી સવારે નીલગાય રસ્તા પર આવતા આ દુર્ઘટના બની હોવાનું જણાય છે. પોલીસે બંને મૃતક મહિલાઓના શબને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. યાત્રા પર નીકળેલા ભાવનગરના પરિવારોમાં આ ઘટનાથી ભારે માતમ છવાઈ ગયો છે.

Junagadh Mangrol Bus Accident_GUJARAT 01

આ પણ વાંચો---- Naswadi માં કાળમુખો Triple Accident, એસટી બસ અને ટ્રક વચ્ચે બાઈક કચડાઈ, ભાજપ અગ્રણીના ભાઈનું મોત

 

Tags :
Advertisement

.

×