Junagadh : ઓઝત 2 ડેમના દરવાજાનું રિપેરીંગ કામ શરૂ, પોરબંદરના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
- Junagadh જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત-2
- પ્રથમ વખત ડેમના દરવાજાની કામગીરી હાથ ધરવામાં આવી
- કુલ 25 દરવાજાની કામગીરી હાથ ધરાશે
- જૂનાગઢ જિલ્લાના 38 ગામોને સાવચેત કરાયા
- પોરબંદર જિલ્લાના 11 ગામોને સાવચેત કરાયા
Junagadh : જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત ડેમ2 (ozat dam 2) માં આજથી પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓઝત ડેમના કુલ 25 દરવાજાની (door) મરામત કરવાની હોવાથી પ્રથમ વખત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કુલ 25 દરવાજામાં રબ્બર સિંલીંગ તેમજ 6 દરવાજા યોગ્ય રીતે ખુલતા ના હોવાથી તેની કામગીરી કરી પાણીનો (water) વ્યય અટકે તે માટે કામગીરી કરાઈ રહી છે. ઓઝત ડેમ 2માં 300 જેટલા ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે અને સિંચાઈ માટે પણ નિયમાનુસાર પાંચ થી છ પાણી આપી દેવામાં આવ્યા છે. ડેમમાંથી ખૂબ ધીમી ગતીએ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની નીચે આવતા જૂનાગઢ જિલ્લાના 36 તેમજ પોરબંદર જિલ્લાના 11 ગામોને (village) સાવચેતી રાખવામાં જણાવવામાં આવ્યું છે.
નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના
તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અંદાજે 318 MCFT જેટલું પાણી અત્યંત ધીમા પ્રવાહે નદીમાં વહેવડાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે નદીની કુલ વહન ક્ષમતાના માત્ર 10મા ભાગ જેટલું જ પાણી છોડવાનું આયોજન છે. આ કામગીરીને પગલે જૂનાગઢ જિલ્લાના 38 અને પોરબંદર જિલ્લાના 11 ગામો મળી કુલ 49 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આણંદપુર, શાપુર, વંથલી અને ટીકર વીયર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા આદેશ અપાયા છે.
6 દરવાજાની આંતરિક કામગીરી કરાઈ રહી છે
ડેમની ક્ષમતા પ્રમાણે 10 ટકા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદર અને જૂનાગઢના ગામડાઓના સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે, તો અધિકારીઓનું વધુમાં કહેવું છે કે, આ મામલે કોઈ પણ પાણીકાપ મૂકવામાં આવ્યો નથી અને પાણી રાબેતા મૂજબ વિતરણ કરવામાં આવ્યું છે, ડેમના દરવાજાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, આગામી સમયમાં વરસાદની સિઝન હોવાના કારણે કામગીરી થઈ શકે તેમ નથી એટલે હાલ ઉનાળાના સમયમાં ડેમના દરવાજાની રિપેરિંગ કામગીરી કરાઈ રહી છે.
આ પણ વાંચો : World Water Day 2026 : નર્મદે સર્વદે: સમૃદ્ધ ગુજરાતનો આધાર


