Junagadh Politics: માળિયા હાટીનામાં પૂર્વ સરપંચ સહિત 50 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો
- Junagadh ના માળિયા હાટીનામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ
- પૂર્વ સરપંચ સહિત 50 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ
- ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને પક્ષ પલટો કર્યો
- જૂથળ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ મજબૂત
Junagadh Politics: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local Body Elections) પડઘમ વાગી રહ્યા છે ત્યારે જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં કોંગ્રેસને (Congress) મોટો ફટકો પડ્યો છે. જૂથળ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી પાણીધ્રા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ગત મોડી રાત્રે ‘ઓપરેશન’ (Operation) પાર પાડ્યું છે.
Junagadh ના માળિયા હાટીનામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ
માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ગત મોડી રાત્રે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાણીધ્રા ગામના પૂર્વ સરપંચ (Former Sarpanch) સહિત કોંગ્રેસના 50 જેટલા પીઢ આગેવાનો અને સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ (Joined BJP) કર્યો હતો. ભાજપની વિચારધારા (Ideology) અને વિકાસલક્ષી કાર્યોથી પ્રેરાઈને આ તમામ કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું.
રાજકીય સમીકરણો
માળિયા હાટીના તાલુકો રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે જૂનાગઢ જિલ્લામાં આ તાલુકામાં સૌથી વધુ 5 જિલ્લા પંચાયતની (District Panchayat) બેઠકો આવેલી છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાયાના કાર્યકરો અને પૂર્વ સરપંચનું ભાજપમાં ભળવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ પલટાથી આગામી ચૂંટણીના સમીકરણો (Equations) બદલાય તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Rajkot માં ભાજપનું શક્તિ પ્રદર્શન, DyCM હર્ષભાઈ સંઘવીનો ભવ્ય રોડ શો, જાણો સમગ્ર કાર્યક્રમની વિગતો


