Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: ટ્રેક પર 6 સિંહ દેખાતા પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી...!

Junagadh: વેરાવળ-જૂનાગઢ ટ્રેન કાશીયાનેસ પાસે પહોંચતા ટ્રેક પર 6 સિંહો જોવા મળ્યા હતા. પાયલટ અનીશ શેખે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. વન વિભાગની ટીમ અને રામભાઈ ટ્રેકરે સ્થળ પર પહોંચી સિંહોને સુરક્ષિત જંગલમાં રવાના કર્યા હતા, ત્યારબાદ ટ્રેન આગળ વધી હતી.
junagadh  ટ્રેક પર 6 સિંહ દેખાતા પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક  પછી
Advertisement
  • કાશીયાનેસ પાસે રેલવે ટ્રેક પર 6 સિંહો ચડી આવ્યા
  • પાયલટ અનીશ શેખે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી
  • પાયલટની સૂઝબૂઝથી 6 સિંહોનો જીવ બચ્યો
  • રામભાઈ ટ્રેકર અને વન વિભાગે સિંહોને જંગલમાં ખસેડ્યા
  • ટ્રેક ક્લિયર થયા બાદ ટ્રેન સલામત રવાના થઈ

Junagadh: એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલ (Gir forest) અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે, પરંતુ ક્યારેક આ વન્યજીવો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આજે આવી જ એક સંભવિત મોટી દુર્ઘટના વેરાવળ-જૂનાગઢ (Veraval-Junagadh) રેલવે લાઇન પર ટળી હતી. લોકો પાયલટની ત્વરિત સૂઝબૂઝ અને સતર્કતાને કારણે ગીરના સાવજોના જીવ બચ્યા છે.

6 સિંહનું ટોળું દેખાયું!

પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળથી જૂનાગઢ તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેન જ્યારે કાશીયાનેસ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેકના વળાંક પર કંઈક હલચલ જોવા મળી હતી. ટ્રેન તેના નિર્ધારિત વેગમાં હતી, પરંતુ ટ્રેનના પાયલટ અનીશ શેખની નજર ટ્રેક પર પડી અને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ટ્રેક પર એક-બે નહીં પણ આખું 6 સિંહો (Lions) નું ટોળું આરામથી લટાર મારી રહ્યું હતું.

Advertisement

પાયલટની સતર્કતા

સમય સુચકતા વાપરીને લોકો પાયલટ અનીશ શેખે (Loko Pilot Anish Sheikh) વિલંબ કર્યા વગર તત્કાલ ઈમરજન્સી બ્રેક (Emergency brake) લગાવી દીધી હતી. જંગલ વિસ્તાર હોવાથી વન્યજીવોના જોખમને ધ્યાને રાખી પાયલટ હંમેશા સાવધ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોને ટ્રેક પર જોઈને ટ્રેનને સલામત અંતરે રોકી દેવી એક પડકાર હતો. અનીશ શેખની આ સતર્કતાને કારણે સિંહો ટ્રેનની અડફેટે આવતા બચી ગયા હતા.

Advertisement

સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર કરાયા

ટ્રેન ઉભી રહી જતાં મુસાફરોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. પાયલટ દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી. સમાચાર મળતાની સાથે જ વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. રામભાઈ ટ્રેકર સહિતની નિષ્ણાત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેકરોએ ખૂબ જ સાવચેતીપૂર્વક સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર કરી જંગલના સુરક્ષિત વિસ્તાર તરફ રવાના કર્યા હતા.

Junagadh: અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે

સિંહોને સલામત રીતે ટ્રેક પરથી દૂર કરાયા બાદ જ વન વિભાગે ટ્રેનને આગળ વધવા માટે લીલી ઝંડી આપી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન ટ્રેન થોડો સમય માટે રોકી રાખવામાં આવી હતી. ગીર વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહોના મોતના કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે.

આ પણ વાંચોઃ 'ન છૂટછાટ અપાઈ છે, ન અપાશે', Aravalli ક્ષેત્ર અંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે શું કરી સ્પષ્ટતા!, જાણો

Tags :
Advertisement

.

×