સોમનાથના 100 વર્ષ જૂના રોડના વિવાદનો કેસ: કોઈ રોડ બંધ ન હોવાનો સરકારનો HC માં દાવો
Gujarat High Court: સોમનાથ (Somnath) ના 100 વર્ષ જૂના રોડ વિવાદમાં સરકારે ગુજરાત હાઈકોર્ટ (High Court) માં દાવો કર્યો છે કે મંદિરનો મુખ્ય માર્ગ ખુલ્લો છે અને માત્ર સુરક્ષા માટે દીવાલ બની છે. હાઈકોર્ટે કલેક્ટર (Collector) દ્વારા 4 મહિના સુધી જવાબ ન આપવા સામે સવાલ ઉઠાવી ટકોર કરી કે જાહેર માર્ગ અંગે એકતરફી નિર્ણય ન લેવાય. હવે આગામી સુનાવણી 22 જૂને નકશા સાથે હાથ ધરાશે.
Advertisement
Somnath Temple Road Controversy: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ (Somnath) માં આવેલા આશરે 100 વર્ષ જૂના ઐતિહાસિક રોડને બંધ કરવાના મામલે અત્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદિત મામલો હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ પહોંચ્યો છે, જ્યાં આ કેસની સુનાવણી દરમિયાન ભારે કાયદાકીય દલીલો જોવા મળી હતી. અરજદાર દ્વારા હાઈકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂનો જાહેર જનતાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ આક્ષેપોને નામંજૂર કરવામાં આવ્યા છે અને હાઈકોર્ટ સમક્ષ પોતાનો સત્તાવાર પક્ષ મૂકવામાં આવ્યો છે.

