1 એપ્રિલથી સોમનાથ મંદિરની બદલાશે ઓળખ, મહાદેવનું ત્રિશૂળ બનશે Somnath Trust નવી ઓળખ
- Somnath Trust 77 વર્ષ પછી બદલશે પોતાનો લોગો
- 1 એપ્રિલથી સોશિયલ મીડિયા પર દેખાશે નવો લોગો
- નવા લોગોમાં ત્રિશૂળની ભવ્ય ઇમેજ રાખવામાં આવી
- જુના લોગોમાં મંદિરનો સ્તંભ દર્શાવવામાં આવ્યો હતો
- મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ્સ સાથે નવો લોગો લાગશે
- ટ્રસ્ટના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર લોગો બદલાઈ જશે
- સોમનાથમાં વિકાસ કાર્યોની સાથે હવે આધુનિક ઓળખ બનશે
Somnath Trust : ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) મંદિરનું સંચાલન કરતા સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 77 વર્ષના લાંબા ગાળા બાદ ટ્રસ્ટ હવે પોતાની પરંપરાગત ઓળખ એટલે કે લોગો (Logo) બદલવા જઈ રહ્યું છે. આગામી 1 એપ્રિલ (1st April) થી સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર ઓળખ તરીકે નવો લોગો અમલમાં આવશે.
નવા લોગોમાં દેખાશે મહાદેવના ત્રિશૂળની ભવ્યતા
વર્ષોથી સોમનાથ ટ્રસ્ટના જૂના લોગોમાં મંદિરનો સ્તંભ (Temple Pillar) દર્શાવવામાં આવતો હતો, જે શ્રદ્ધાનું પ્રતીક હતું. જોકે, બદલાતા સમય અને આધુનિકતાને ધ્યાને રાખીને ટ્રસ્ટે હવે નવા લોગોમાં ભગવાન શિવના શસ્ત્ર એવા ત્રિશૂળ (Trident) ની ભવ્ય ઇમેજને સ્થાન આપ્યું છે. આ નવો લોગો અત્યંત આકર્ષક, તેજસ્વી અને આધુનિક ગ્રાફિક્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે સોમનાથની પૌરાણિકતા અને અર્વાચીનતાનો સુમેળ સાધે છે.
1 એપ્રિલથી સોમનાથ મંદિરની બદલાશે ઓળખ
ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલથી સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ જેવા કે ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને એક્સ (X - Twitter) પર આ નવો લોગો સત્તાવાર રીતે કાર્યરત કરી દેવામાં આવશે. એટલું જ નહીં, સોમનાથ મંદિર પરિસર (Temple Premises) માં પણ મોટા હોર્ડિંગ્સ (Hoardings) અને સાઈન બોર્ડ્સ પર જૂના લોગોના સ્થાને નવો લોગો લગાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટની તમામ સ્ટેશનરી, લેટરપેડ અને ડિજિટલ એપ્લિકેશન્સ પર પણ આ ફેરફાર જોવા મળશે.
ડિજિટલ પ્લેટફોર્મ પર સોમનાથનો નવો અવતાર
સોમનાથમાં હાલમાં અનેક વિકાસ કાર્યો (Development Works) ચાલી રહ્યા છે. યાત્રીઓની સુવિધા અને મંદિરના સુશોભન માટે કરોડોના ખર્ચે પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા છે, ત્યારે ટ્રસ્ટની આ નવી ઓળખ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયા પર ભક્તો આ નવા લોગોને આવકારી રહ્યા છે અને ત્રિશૂળની પ્રતિકૃતિવાળા આ લોગોની ભવ્યતા વિશે ચર્ચાઓ કરી રહ્યા છે. આ ફેરફાર માત્ર એક ગ્રાફિકલ બદલાવ નથી, પરંતુ તે સોમનાથ ટ્રસ્ટની નવી ગતિશીલતા અને ભવિષ્યના વિઝનને દર્શાવે છે.
આ પણ વાંચો: Somnath Corridor: મિલકત ધારકો માટે સરકારનો રાહતભર્યો નિર્ણય, બાંધકામ પરવાનગી પ્રક્રિયા થઈ સરળ


