Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.
visavadar by election   વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો  હવે 16 વચ્ચે ચૂંટણી જંગ  જાણો કારણ
Advertisement
  1. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 3 ફોર્મ પરત ખેંચાયા (Visavadar by-Election)
  2. હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
  3. સિહોરનાં પતિ-પત્નીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું
  4. કલ્પનાબેન અને અનિલ ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યું
  5. દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું

Visavadar by-Election : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મ પૈકીનાં 3 ફોર્મ પરત ખેંચાયા છે. આથી, હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા 16 થઈ છે.

આ પણ વાંચો - Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

Advertisement

સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. આ પહેલા ઉમેદવારોની સંખ્યા 19 હતી. જો કે, 3 ઉમેદવારોએ કોઈ કારણસર ફોર્મ પરત ખેંચી લેતા ઉમેદવારોની સંખ્યા 16 એ પહોંચી છે. માહિતી અનુસાર, સિહોરનાં પતિ-પત્ની અનિલ ચાવડા અને કલ્પનાબેન ચાવડાએ અપક્ષમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત, દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું છે. સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો આ ત્રણેય ઉમેદવારોએ દાવો કર્યો છે. જો કે, ફોર્મ પરત ખેંચાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

15 ઉમેદવારથી વધુ ઉમેદવાર હોવાથી 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ

જણાવી દઈએ કે, ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. 15 ઉમેદવારથી વધુ ચૂંટણી મેદાનમાં હોવાથી હવે 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ થશે. વિસાવદર બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) માટે 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. અગાઉ ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા હતા.

આ પણ વાંચો - Dwarka : ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં, નાની ઉંમરની યુવતીનું મોત

Tags :
Advertisement

.

×