Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Guatam Adani: ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ મુન્દ્રાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના

ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ જૂના પારિવારિક સંબંધો નિભાવતા મુંદ્રાના (Mundra) ઝરપરા (Zarpara) ગામની મુલાકાત લીધી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા સામાજિક આગેવાન સ્વ. ભારુભાઈ ગઢવીના (Bharubhai Gadhvi) ઘરે પહોંચ્યા હતા અને તેમના અવસાન પર પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૌતમભાઈએ આ મુલાકાત દ્વારા માનવીય સંવેદના અને જૂના સ્નેહીઓ પ્રત્યેનો આદર પ્રગટ કર્યો હતો.
guatam adani  ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ મુન્દ્રાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના
Advertisement
  • Guatam Adani: ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ માનવીય સંબંધોને આપી અગ્રતા
  • મુન્દ્રા તાલુકાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના
  • ભારૂભાઇ ગઢવીના ઘરે સાંત્વના મુલાકાતે પહોંચ્યા હતા ગૌતમભાઈ અદાણી

Guatam Adani: અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ (Gautam Adani) સાબિત કરી દીધું છે કે ગમે તેટલી વ્યસ્તતા હોય, પરંતુ માનવીય સંબંધો અને જૂના સાથીદારોનું સ્થાન હંમેશા સર્વોપરી હોય છે. કચ્છના (Kutch) મુંદ્રા (Mundra) તાલુકાના ઝરપરા (Zarpara) ગામે ગૌતમ અદાણી હેલિકોપ્ટર (Helicopter) મારફતે ઓચિંતા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક આગેવાન સ્વ. ભારુભાઈ ગઢવીના (Bharubhai Gadhvi) પરિવારને સાંત્વના પાઠવવાનો હતો.

ભારુભાઈ ગઢવીનું નિધન અને જૂના સંભારણા

ઝરપરા ગામના પ્રતિષ્ઠિત સામાજિક અને ગ્રામીણ આગેવાન ભારુભાઈ ગઢવીનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. ભારુભાઈ માત્ર એક ગ્રામીણ આગેવાન જ નહીં, પરંતુ ગૌતમભાઈ અદાણીના અંગત અને જૂના સ્નેહી પણ હતા. ગૌતમભાઈએ ભારુભાઈના નિધનના સમાચાર સાંભળતા જ તમામ કામો પડતા મૂકીને રૂબરૂ જવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

હેલિકોપ્ટર મારફતે ઝરપરા આગમન

ગૌતમભાઈ અદાણી ખાસ હેલિકોપ્ટર (Helicopter) દ્વારા ઝરપરા (Zarpara) ગામની સીમમાં ઉતરાણ કર્યું હતું. ત્યાંથી તેઓ સીધા જ સ્વ. ભારુભાઈ ગઢવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એક વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિને પોતાના આંગણે જોઈને ગામના લોકો અને ગઢવી પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો. ગૌતમભાઈએ પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ અત્યંત સાદગીપૂર્વક ગઢવી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

Advertisement

પરિવાર સાથે બેસી વ્યક્ત કરી સંવેદના

ગૌતમભાઈ અદાણીએ ગઢવી પરિવારના સભ્યો સાથે બેસીને ભારુભાઈની માંદગી અને અંતિમ સમય અંગે વિગતો મેળવી હતી. તેમણે પરિવારના મોભી ગુમાવવાના દુઃખમાં સહભાગી થઈ આશ્વાસન (Condolence) પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારુભાઈ જેવા નિષ્ઠાવાન અને સામાજિક વ્યક્તિની ખોટ માત્ર પરિવારને જ નહીં, પણ સમગ્ર સમાજને પડશે. ગૌતમભાઈએ પરિવારને હિંમત આપતા કહ્યું હતું કે તેઓ હંમેશા તેમની સાથે છે.

સમાજમાં મુલાકાતની પ્રશંસા

આ મુલાકાત બાદ સમગ્ર કચ્છ (Kutch) પંથકમાં ગૌતમભાઈ અદાણીની આ સાદગી અને જૂના સંબંધો નિભાવવાની રીતની ભારે પ્રશંસા થઈ રહી છે. એક તરફ જ્યાં કોર્પોરેટ જગતમાં સમયની કિંમત લાખોમાં હોય છે, ત્યાં ગૌતમભાઈએ એક સામાન્ય ગ્રામીણ આગેવાનના ઘરે જઈને સાચા અર્થમાં 'માનવતા' અને 'ઋણ સ્વીકાર'ના દર્શન કરાવ્યા છે.

આ પણ વાંચોઃ Adani Energy ની સુપરફાસ્ટ રફ્તાર, 24 મહિનામાં 1 કરોડ સ્માર્ટ મીટર લગાવ્યા; રોજ લગાવે છે આટલા મીટર!

Tags :
Advertisement

.

×