Norovirus : કેરેબિયન ક્રુઝ પર વાયરસનો વિસ્ફોટ, 3 હજાર પૈકી 115 લોકો સંક્રમિત
- Norovirus નામનો નવો ખતરો સામે આવ્યો છે
- જલ્દીથી ફેલાય તેવા વાયરસના કારણે ફફડાટ વ્યાપ્યો
- આપણે જાતને વાયરસથી બચવા ઉપાયો કરવા જરૂરી
Norovirus : આજકાલ દુનિયાભરમાં ઘણી બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે, તેમાં નોરોવાયરસનો ખતરો ઉમેરાયો છે. તાજેતરમાં, કેરેબિયન પ્રિન્સેસ ક્રુઝ શિપ પર નોરોવાયરસ ફાટી નીકળ્યો હતો (Caribbean Princess Cruise Ship), જેમાં આશરે 3 હજારમાંથી 115 જેટલા મુસાફરો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે (Virus Out Break). આ વાયરસ ખૂબ જ ચેપી છે, અને મોટી સંખ્યામાં લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો, આ જોખમ વધુ વધી શકે છે. ખાસ કરીને ભીડવાળી જગ્યાએ જોખમ વધારે રહેતું હોય છે.
Norovirus, સરળતાથી ફેલાઇ શકે
નોરોવાયરસ એક ખૂબ જ ચેપી વાયરસ છે. જેમાં તમને ઉલટી, ઝાડા અને પેટમાં સોજો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. જો તેને અવગણવામાં આવે તો, આ સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે, જેના કારણે નિવારણ મુશ્કેલ બને છે. આ રોગ ફેલાવવા માટે ફક્ત થોડા વાયરલ કણો પૂરતા છે.
આ પણ વાંચો - Heatwave Diet : ભીષણ ગરમીમાં બાળકોને આ જંગ ફૂડથી દૂર જ રાખો !
Norovirus, આ લક્ષણોનું ખાસ ધ્યાન રાખો
નોરોવાયરસના કેટલાક લક્ષણો જેને તમારે ક્યારેય અવગણવા જોઈએ નહીં, તેમાં ઉબકા, પેટમાં ખેંચાણ અથવા દુખાવો, ઉલટી અને ઝાડા, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને તાવનો સમાવેશ થાય છે.
બાળકોમાં વધુ સાવચેતી જરૂરી
આ વાયરસ ગંદા ખોરાક કે પાણીના કારણે ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી અને ગંદા પાણીથી ધોયેલા શાકભાજી ખાવાથી આનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે, તેથી તમારે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે.
પુષ્કળ પાણી પીવાની સલાહ
આપણે નોરોવાયરસથી પોતાને બચાવવું પડશે. વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવાની સાથે તમારે હંમેશા તમારી સાથે હેન્ડ સેનિટાઇઝર રાખવું જોઈએ. ચેપગ્રસ્ત વ્યક્તિના ઘરે જવાનું કે, તેને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. વ્યક્તિએ પુષ્કળ પાણી પીવું જોઈએ, સ્વચ્છ રહેવું જોઈએ અને ખાદ્ય પદાર્થો ધોયા પછી જ ખાવા જોઈએ. તમારે બહારથી વધુ પડતું બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. નહિંતર, તમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમને કોઈ લક્ષણો દેખાય, તો તમારે ડૉક્ટર પાસે જવું પડશે અને સલાહ લેવી પડશે.
આ પણ વાંચો - હાહાકાર મચાવતા Hanta Virus સામે સરકાર સતર્ક, જાણો કેટલો છે ખતરો


