Cynicism philosophy : જ્યારે વિશ્વવિજેતા સિકંદર એક ફકીર પાસે હારી ગયો!
Cynicism philosophy : એક દિવસ વિશ્વવિજયી અલેક્ઝાન્ડર મહાન(AlexanderThe Great), ડાયોજીનીસ(Diogenes)ને મળવા આવ્યો.
તે સમયે ડાયોજીનીસ દરિયાકિનારે સૂર્યપ્રકાશમાં બેઠો હતો.
અલેક્ઝાન્ડર બોલ્યો:
“હું અલેક્ઝાન્ડર મહાન. તને જે માંગવું હોય મને કહેજે.”
ડાયોજીનીસ શાંતિથી બોલ્યો:
“હા હું માંગણી કરું છું કે — તમે જરા સાઈડમાં ઊભા રહો. તમે મારા સૂર્યને ઢાંકી રહયા છો.”
એના જવાબથી મહાન અલેક્ઝાન્ડર ખૂબ પ્રભાવિત થયા બોલ્યાં....
“જો હું અલેક્ઝાન્ડર ન હોત,
તો ચોક્કસ ડાયોજીનીસ બનવું પસંદ કરત.”
કોણ હતો આ ડાયોજીનીસ...?
એ મહાન ગ્રીક ફિલોસોફર હતો
જેની મુખ્ય ફિલોસોફી (Cynicism) — કહે છે મનુષ્યનું સૌથી મોટું સ્વાતંત્ર્ય છે – સમાજના દેખાડા, ઉચ્ચ વર્ગનો ઘમંડ, પદ, પ્રતિષ્ઠાથી મુક્ત થવું
આજના ભૌતિકવાદી યુગમાં, જ્યાં લોકો 'સોશિયલ સ્ટેટસ' અને 'દેખાડા' પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં ડાયોજીનીસના વિચારો એક અરીસા સમાન છે.
ડાયોજીનીસના જીવનમાંથી મળતા મુખ્ય બોધપાઠ:
- સાચી સંપત્તિ સંતોષમાં છે: સિકંદર પાસે આખું વિશ્વ જીતવાની સત્તા હતી, છતાં તે ડાયોજીનીસની શાંતિ જોઈને પ્રભાવિત થયો. જેની પાસે કશું જ નથી, છતાં જેને કશાની જરૂર નથી, તે જ ખરો રાજા છે.
- સમાજના બંધનોમાંથી મુક્તિ: આપણે અડધું જીવન એ વિચારવામાં વિતાવીએ છીએ કે "લોકો શું કહેશે?" ડાયોજીનીસે સાબિત કર્યું કે જ્યારે તમે લોકોના ઓપિનિયનથી મુક્ત થાઓ છો, ત્યારે જ તમે ખરા અર્થમાં જીવવાનું શરૂ કરો છો.
- કુદરત સાથે તાલમેલ: 'Natural Life' નો અર્થ એ નથી કે જંગલમાં જતું રહેવું, પરંતુ આપણી જરૂરિયાતોને એટલી સીમિત કરવી કે આપણે વસ્તુઓના ગુલામ ન બનીએ.
એક રસપ્રદ વાત:
કહેવાય છે કે ડાયોજીનીસ ધોમધખતા તડકામાં હાથમાં ફાનસ લઈને એથેન્સની ગલીઓમાં ફરતા હતા. જ્યારે લોકો પૂછતા કે "આ ભરી બપોરે ફાનસ કેમ?" ત્યારે તેઓ કહેતા, "હું એક સાચા 'માણસ'ને શોધી રહ્યો છું." તેમનો કહેવાનો અર્થ એ હતો કે ભીડમાં બધા મનુષ્યો તો છે, પણ એવો માણસ ક્યાં છે જે પોતાની ઓળખ, અહંકાર અને દેખાડાથી મુક્ત હોય?
Cynicism philosophy- લોકો શું કહેશે" એ ડરથી મુક્ત થવું કેટલું શક્ય છે?
માણસ સુખી ત્યારે જ બને જ્યારે તે સમાજની મરજી મુજબ જીવન જીવવાનું છોડે. લોકોએ શું કહેશે તેના ભય તરફથી મુક્ત થઈ જાય પદ, પ્રતિષ્ઠા, સત્તા, ધન જેવા બાહ્ય ચમક-ધમકથી પ્રભાવિત ન થાય
તેમના મત મુજબ “સોશિયલ સ્ટેટસ” એક ખોટો ખ્યાલ છે, તેનાથી વ્યક્તિ સાચું સુખ ને શાંતિ મેળવી શકતો નથી.
એમની વિચારધારા નો બીજો મુખ્ય વિચાર છે
“Natural life” - ‘કુદરત પ્રમાણે જીવો’ – એટલે કે તબિયત માટે જે સહેલું, સાદું, કુદરતી છે એ જ સાચું
ડાયોજીનીસ માનતો હતો કે માણસ અનાવશ્યક ઇચ્છાઓ, શોખ, ભૌતિક સુવિધાઓ પાછળ ભટકે છે.એના બદલે કુદરતી જરૂરિયાતો – ભોજન, નિવાસ, સાદગી, શ્રમ – પૂરતી છે.
તેને “Natural life” કહેવામાં આવે છે.
ત્રીજી મુખ્ય વિચારધારા એ છે કે
" શરમ, ભય, લોકો શું કહે એની ચિંતા...
આ બધું મનના બનાવેલા બંધનો છે".
“લોકો આપણાં વિશે શું વિચારે છે તે અંગે સતત સભાનતા આપણા જીવનને કન્ટ્રોલ કરતું મુખ્ય પરિબળ બનવું જોઈએ નહીં.” તેથી, ડાયોજીનીસ society માં “શરમજનક” કહેવાતી ઘણી ક્રિયાઓ તે ખુલ્લેઆમ કરતા— મુદ્દો એ નહોતો કે તે ક્રિયા સારી–ખરાબ શું છે, મુદ્દો એ હતો કે સોસાયટીના ખોટા ડર અને ખોટી morality માણસને બાંધી નાખે છે.
તેઓ નો સંદેશ એ હતો કે :
“મનને 'લોક શું કહેશે?' માંથી મુક્ત કરો.”
તેમની ફોલોસોફીનું મુખ્ય અંગ છે
સાચું સુખ = ઓછી જરૂરિયાતો અને સંપૂર્ણ સ્વાતંત્ર્ય
ડાયોજીનીસ કહે:
જેટલી ઇચ્છા ઓછી,એટલું બંધન ઓછું,
એટલું મન શાંત.
તેમણે એક વાર અલેક્ઝાન્ડર મહાનને કહ્યું હતું:
“હું મારા માટે રાજા છું કારણ કે મારે કશાની જરૂર નથી.”
ડાયોજિન્સના સમગ્ર જીવન પરથી તારવેલ અમૃત
પદ–પ્રતિષ્ઠા પાછળ દોડશો તો ગુલામ
શરમ–ભય છોડશો તો નિર્ભય માનવ બનશો
તેની આખી ફિલોસોફી(Cynicism philosophy) એક વાક્ય માં:
Live simply.
Want little.
Fear no one.”
આ પણ વાંચો : Being Mode : હ્યુમન 'ડૂઇંગ' નહીં, હ્યુમન 'બીઇંગ' બનો!


