ઘરમાંથી ઉંદરને ભગાડવાનો સસ્તો અને સરળ રસ્તો આ રહ્યો
- ઉંદરની સમસ્યા આટલી આસાનીથી મળશે, તમને વિશ્વાસ નહીં આવે
- સૌથી કીફાયતી ભાવે ઘરમાં ઉંદરની હાજરીમાંથી મુક્તિ મેળવો
- ઉંદરની સાથે સાથે મચ્છરો પણ દૂર ભાગશે
Get Rid Of Rat : ઘર હોય કે દુકાન, ઉંદરો (Get Rid Of Rat) ઘણીવાર અહીં પહોંચી જાય છે. દરેક વખતે, તેમને ભગાડવાનું મુશ્કેલ નથી, પરંતુ તેઓ ઘણું નુકસાન પણ કરે છે. ઉંદરોને માર્યા વિના ઘરમાંથી ભગાડવાનું (Get Rid Of Rat) મુશ્કેલ કાર્ય છે. પરંતુ જો તેમને દૂર ના કરવામાં આવે તો તેઓ કપડાંથી લઈને રાશન સુધી બધું બગાડી શકે છે. જો ઉંદરોએ તમારું જીવન મુશ્કેલ બનાવી દીધું હોય, તો તમે કેળા પર 10 રૂપિયાની વસ્તુ મૂકીને તેમને ભગાડી શકો છો. ઋષિકેશના કૈલાશ યોગ સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ @kailashayogastudiorishik પર એક દેશી રેસીપી શેર કરી છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે, આ રેસીપીથી બધા ઉંદરો ઘરમાંથી ભાગી જશે.
જાણો તમારે શું કરવાનું રહેશે
કૈલાશ યોગ સ્ટુડિયો અનુસાર, એક કેળું કાપીને તેના પર ઇનોનું પેકેટ મૂકો. આ પછી, તેના પર થોડો હળદર પાવડર નાખો. તેને ઘરના બધા ખૂણામાં અને પલંગ નીચે થોડા કલાકો સુધી રાખો. આમ કરવાથી, બધા ઉંદરો ઘરમાંથી ભાગી જશે (Get Rid Of Rat). એટલું જ નહીં, તમને મચ્છર અને માખીઓથી પણ છુટકારો મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે. કિંમત અને તેને લાગુ કરવાની દ્રષ્ટિએ આ પ્રયોગ રસ્તો અને સરળ જણાય છે.
ફટકડીથી ઉંદરોને ભગાડો
સાથે જ તમે ફટકડીથી ઉંદરોને ભગાડવા (Get Rid Of Rat) માટે સ્પ્રે પણ તૈયાર કરી શકો છો. આ માટે, તમારે ફક્ત પાણીમાં ફટકડી ભેળવવાનું છે. તૈયાર મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરો. તેને એવી જગ્યાએ સ્પ્રે કરો જ્યાં ઉંદરોની અવર-જવર વધારે પ્રમાણમાં જણાય છે. અથવા જ્યાં તેઓ ઘરમાં સૌથી વધુ જોવા મળે છે. તેની ગંધને કારણે ઉંદરો ત્યાંથી ભાગી જશે. અને તમને તેના ત્રાસમાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો ----- TeaSideEffects: આ લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થયને થશે નુકસાન