Fennel Seeds : ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવાતું હોય છે. ઘણા લોકો વરિયાળી (Fennel Seeds) ને માત્ર એક માઉથ ફ્રેશનર કે મુખવાસ તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પોષક તત્વોનો ખજાનો છે.
Fennel Seeds : ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવાતું હોય છે. ઘણા લોકો વરિયાળી (Fennel Seeds) ને માત્ર એક માઉથ ફ્રેશનર કે મુખવાસ તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પોષક તત્વોનો ખજાનો છે. એક રિસર્ચ અનુસાર 100 ગ્રામ વરિયાળીમાં 1.24 ગ્રામ પ્રોટીન અને 3.1 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને એ જેવા મહત્વના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે.
Fennel Seeds : માસિક ધર્મ અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત
ઘણી મહિલાઓને માસિક ધર્મ (Menstrual Pain) દરમિયાન ગંભીર ખેંચાણ અને પાચનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વરિયાળીનું પાણી અત્યંત ગુણકારી છે. એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળી, ગાળીને તેમાં મધ (Honey) ઉમેરીને હૂંફાળું પીવાથી દુખાવામાં નોંધપાત્ર રાહત મળે છે.
ગેસ અને એસિડિટી માટે રાબાણઈલાજ
ખોરાક લીધા પછી પેટ ફૂલવું (Bloating) અથવા એસિડિટી (Acidity) થતી હોય, તો અડધી ચમચી વરિયાળી ચાવીને ખાવી જોઈએ. તે પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે અને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
શ્વાસની દુર્ગંધ અને ઉનાળાની ગરમી સામે રક્ષણ
વરિયાળીના એન્ટીબેક્ટેરિયલ (Antibacterial) ગુણધર્મો શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં અને મોઢાને તાજગી આપવામાં મદદરૂપ થાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે શરીરનું તાપમાન વધે છે અને ડિહાઇડ્રેશન (Dehydration) જેવી સમસ્યાઓ થાય છે, ત્યારે વરિયાળીનું શરબત કે ચા પીવાથી શરીરને કુદરતી ઠંડક મળે છે.
નોંધ : આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તબીબી સલાહનો વિકલ્પ નથી; કોઈપણ ઉપચાર અજમાવતા પહેલા હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ લો.
આ પણ વાંચો : Summer Special Drink : પંજાબનું વર્ષો જૂનો શાહી શરબત 'શરદાઈ' ઘરે બનાવો, ભીષણ ગરમીમાં આપશે શરીરને ઠંડક