Train Ticket Rules: જો તમે ટ્રેન(Train)માં મુસાફરી કરો છો તો આ સમાચાર(News) તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જો કોઈપણ મુસાફર ટિકિટ વગર(Without Ticket) પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને પહેલાની જેમ બમણો દંડ વસૂલવામાં આવશે.
માન્ય ટિકીટ નથી તો ડબલ દંડ લાગુ કરાયો
ટ્રેનને એમનેમ જ લાઈફલાઈન કહેવામાં નથી આવતી. ટ્રેનો, જે દરરોજ લાખો લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જાય છે, તે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઓછા ભાડા હોવા છતાં કેટલાક મુસાફરો ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં મુસાફરી કરવા લાગે છે, પરંતુ હવે આવા મુસાફરોની હાલત સારી નથી. ભારતીય રેલ્વેએ મુસાફરો માટે પહેલા કરતા વધુ કડક નિયમો બનાવ્યા છે.
હવે જો કોઈપણ મુસાફર માન્ય ટિકિટ વગર પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ પહેલા કરતા બમણો થશે. આ ફેરફાર પાછળ રેલવેનો એક જ ઉદ્દેશ્ય છે કે આનાથી મુસાફરો શિસ્ત જાળવશે અને ટિકિટ વિના મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે.
નવા નિયમો શું છે?
રેલ્વેના નવા નિયમો અનુસાર, પબ્લિક ટ્રસ્ટ એક્ટ 2026 હેઠળ, રેલ્વે એક્ટ 1989ની કલમ 137 અને 138માં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, ટિકિટ વગર અથવા પહેલાથી જ વપરાયેલી ટિકિટ સાથે મુસાફરી કરવી હવે ગુનો માનવામાં આવશે. જો પકડાઈ જશે તો પેસેન્જરે પૂરેપૂરું ભાડું તો ચૂકવવું પડશે એટલું જ નહીં અલગથી દંડ પણ ભરવો પડશે. નોંધ કરો કે અગાઉ દંડ રૂ. 250 હતો, હવે નવો લઘુત્તમ દંડ રૂ. 500 કરવામાં આવ્યો છે. આ નિયમો 20મી જૂન 2026થી એટલે કે આજથી જ અમલમાં આવ્યા છે.
કયા કેસોમાં દંડ વસૂલવામાં આવશે?
જો કોઈ મુસાફર ટિકિટ વગર મુસાફરી કરતા પકડાય તો.
જો તમે જૂની ટિકિટ લઈને મુસાફરી કરશો તો દંડ લાગશે.
અથવા કોઈ ખોટી ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે.
— DRM - Mumbai Central, WR (@drmbct)
June 20, 2026">http://
નિયમો તોડવામાં આવશે તો શું થશે?
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જો દંડ ન ભરે તો કાર્ટ સામે કાર્યવાહી થઈ શકે છે અને એટલું જ નહીં, નિયમ તોડનારને 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. રેલવેએ મુસાફરોને ટિકિટ ખરીદ્યા વિના મુસાફરી ન કરવાની અપીલ કરી છે. રેલવેના નિયમોનું પાલન કરો, જેથી તમારા પર કોઈ દંડ ન લાગે.
આ પણ વાંચો : Superfood Seeds : તરબૂચના ફેંકી દેવાતા બીજ છે આરોગ્યનો ખજાનો, જાણો શું છે તેના ફાયદા