Morning Habits : સવારનો નાસ્તો શરીરના (Morning Breakfast) સ્વાસ્થ્ય માટે દિવસની સૌથી મહત્વપૂર્ણ શરૂઆત માનવામાં આવે છે. સવારે લેવામાં આવેલો આહાર આપણા મેટાબોલિઝમ, એનર્જી લેવલ અને આખા દિવસની કાર્યક્ષમતા નક્કી કરે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં અથવા આદતવશ એવી વસ્તુઓ ખાઈ લે છે, જે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંશોધન મુજબ, ખાલી પેટે અમુક ખાસ પ્રકારના ખોરાક શરીરમાં એસિડિટી, બ્લડ શુગરનું અસંતુલન અને પાચન સંબંધી સમસ્યાઓ વધારી શકે છે.
Morning Habits, સંતુલિત અને ઓછી શુગરવાળો નાસ્તો લેવાની સલાહ
નિષ્ણાતોના મતે, સવારમાં વધુ પડતી ખાંડવાળી વસ્તુઓ (High Sugar - Food Item) ખાવાથી શરીર પર તરત જ અસર થાય છે. જ્યારે તમે ખાલી પેટે મીઠાઈઓ અથવા પેકેજ્ડ જ્યુસ લો છો, ત્યારે બ્લડ શુગર ઝડપથી વધી જાય છે. આ અચાનક વધારો શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને પણ ઝડપથી ઉપર લઈ જાય છે. ત્યારબાદ થોડા સમયમાં શુગર લેવલ અચાનક ઘટી જાય છે, જેના કારણે થાક, ચીડિયાપણું અને વધુ ભૂખ લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ જ કારણે ન્યુટ્રિશન એક્સપર્ટ્સ સવારના સમયે સંતુલિત અને ઓછી શુગરવાળો નાસ્તો લેવાની સલાહ આપે છે.
![]()
આ પણ વાંચો ----------- Hot Tea In Summer : ઉનાળામાં ગરમ ચા પીવાથી ફાયદો કે નુકશાન ! જાણો
Morning Habits, ફેટ પર નજર રાખવી જરૂરી
તેવી જ રીતે તળેલી વસ્તુઓ શરીર માટે ભારે પડી શકે છે. સંશોધન દર્શાવે છે કે, તળેલા ખોરાકમાં ફેટનું (Fried Food Item) પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે પચવામાં સમય લે છે, અને તેનાથી ગેસ, અપચો અને પેટમાં ભારેપણું આવી શકે છે. સવારનો સમય એવો હોય છે, જ્યારે આપણું પાચનતંત્ર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું હોય છે, એવામાં તેલી ખોરાક તેના પર વધુ દબાણ લાવે છે. તેથી હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એસિડિટી અને ઉબકા જેવી સમસ્યા પણ થઈ શકે
ઘણા લોકો દિવસની શરૂઆત ચા કે કોફીથી (Morning Tea - Coffee) કરે છે, પરંતુ આ આદત પણ મુશ્કેલી વધારી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ખાલી પેટે કેફીન લેવાથી પેટમાં એસિડનું સ્તર વધી શકે છે. તેનાથી એસિડિટી, બળતરા અને ક્યારેક ઉબકા જેવી સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને પહેલાથી જ ગેસ કે એસિડિટીની ફરિયાદ હોય, તેમના માટે આ આદત વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઠંડા ખોરાકની પાચન પર અસર
આ સિવાય સવારના સમયે ઠંડા પીણાં (Cold Drinks) અથવા ફ્રિજમાં રાખેલો ખોરાક (Refrigerated Food Items) પણ પાચન પર અસર કરી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ઠંડો ખોરાક પાચન ક્રિયાને ધીમી કરી દે છે, કારણ કે શરીરને પહેલા તેને સામાન્ય તાપમાન પર લાવવામાં ઉર્જા ખર્ચવી પડે છે. તેનાથી માત્ર પાચન ધીમું નથી થતું, પરંતુ પેટમાં ભારેપણું પણ થઈ શકે છે.
Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.
આ પણ વાંચો ----------- Expensive mango: સોનાના ભાવે વેચાય છે આ કેરી, એક કિલો ખરીદી કરવા માટે લેવી પડશે લોન!