Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Premanandji Maharaj on love marriage : શું તમારે લવ મેરેજ પછી રોજ ઝઘડા થાય છે? પ્રેમાનંદજી મહારાજના આ મંત્રોને અપનાવો

પ્રેમાનંદ મહારાજજીએ (Premanandji Maharaj) પ્રેમ લગ્નના (love marriage) બંધનમાં બંધાયેલા યુગલો માટે કેટલાક સરળ, છતાં ગહન અને અચૂક મંત્રો આપ્યા છે. જેને તમારા જીવનમાં અજમાવીને લગ્ન જીવનમાં આવેલી કડવાશને દૂર કરી શકાય છે.
premanandji maharaj on love marriage   શું તમારે લવ મેરેજ પછી રોજ ઝઘડા થાય છે  પ્રેમાનંદજી મહારાજના આ મંત્રોને અપનાવો
Advertisement
  • લવ મેરેજ પછી સબંધોમાં આવતી દૂરી પર પ્રેમાનંદજી મહારાજના (Premanandji Maharaj) મંત્રો
  • થોડો બદલાવ લાવીને સબંધોમાં લાવી શકાય છે મીઠાસ
  • ભાગીને લગ્ન કરતા યુગલોને પ્રેમાનંદજી મહારાજની સલાહ

Premanandji Maharaj on love marriage : પ્રેમ લગ્ન એ બે હૃદયનું મિલન છે, જ્યાં યુગલોને લાગે છે કે તેઓએ જીવનભરની ખુશી માટે ટિકિટ ખરીદી છે. પરંતુ, ઘણીવાર, સમય જતાં, પ્રેમની જગ્યાએ નાની ગેરસમજો, રોજિંદા ઝઘડા અને અનિચ્છનીય અંતર આવે છે. તમે જે સંબંધને ખૂબ આશા સાથે પસંદ કર્યો હતો તે પણ કડવાશ અને નિરાશાથી ભરાઈ જાય છે. જો તમે પણ તે જ મોડ પર છો જ્યાં તમારો સબંધ ધીમે ધીમે ખરાબ થઈ રહ્યો છે. તો તમારે નિરાશ થવાની જરુર નથી. રાધા રાણીના અનન્ય ભક્ત , પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ, તેમના સરળ અને ગહન ઉપદેશો દ્વારા હજારો લોકોને સાચો રસ્તો બતાવે છે. કોઈપણ સંબંધનો પાયો પ્રેમ અને સમજણ પર રહેલો છે, અને થોડો બદલાવ લાવીને સબંધોને ફરીથી સારા કરી શકાય છે. પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના એવા અચૂક મંત્રો છે જેમને અનુસરણ કરીને લવ મેરેજ પછી આવતા અંતરને દૂર કરી શકાય છે અને લગ્ન જીવનમાં ખોવાયેલી મીઠાશને ફરી લાવી શકાય છે.

Premanandji Maharaj - love marriage- gujarat first

Premanandji Maharaj - love marriage- gujarat first

Advertisement

Advertisement

પ્રેમાનંદજી મહારાજે (Premanandji Maharaj) પ્રેમ લગ્ન પર કહી આ વાતો

શ્રી રાધા વલ્લભ શ્રી હરિવંશના યુટ્યુબ પેજ પરથી શેર કરાયેલા એક વિડીયોમાં, એક માણસ એક પત્ર વાંચી રહ્યો છે અને પ્રેમાનંદજી મહારાજને પૂછે છે કે, "ઘણા યુગલો પહેલા પ્રેમમાં પડે છે અને પછી, બળજબરીથી અથવા ભાગી જઈને કોઈક રીતે લગ્ન કરી લે છે અને પછી આગળ જતા તમને ખબર પડે છે કે, તેમના પાર્ટનરનો અન્ય વ્યક્તિ સાથે સબંધ છે ત્યારે સામે વાળાને એવું લાગે છે કે, તેઓ ન ઘરના કે ન ઘાટના રહ્યા...

લગ્ન બાદ છૂટાછેડાની કરો છો વાત?

આના પર મહારાજજી કહે છે કે તમે પ્રેમ લગ્ન કરો છો અને છૂટાછેડાની વાત કરો છો, તમે પ્રેમ લગ્ન શું કહો છો, પ્રેમ, જો એક વાર તે તમને પ્રેમ કરે છે અને તમને સ્વીકારે છે તો તેણે જીવનભર તમારો સાથ આપવો જોઈએ અને પછી બીજા કોઈ તરફ ન જોવું જોઈએ, જવાબ એ હશે કે તમે ખોટા છો, તમારે પોતાને સુધારવું જોઈએ, જો આપણા બાળકો અને આપણી દીકરીઓ ધર્મનું પાલન કરશે તો ઘર ખૂબ સારું બનશે અને જો તમે અધર્મનું પાલન કરશો તો ઘર સારું નહીં બને.

Premanandji Maharaj

આનો અર્થ એ છે કે મહારાજજી કહી રહ્યા છે કે જો તમે પરિણીત છો, તો તમારે હવે તમારા જીવનસાથીનો સાથ નિભાવવો જોઈએ. તમારા વર્તનમાં સુધારો કરો અને તમારા જીવનસાથીની જવાબદારી લો.

આ પણ વાંચો:  વૃંદાવનમાં ગીતા રબારીએ પ્રેમાનંદ મહારાજજી સમક્ષ ગાયું કૃષ્ણ ભજન

Tags :
Advertisement

.

×