Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Holi માં ભાંગના હેંગઓવરથી બચવા માટેની બેસ્ટ ટિપ્સ, હવે માથાનો દુખાવો થશે ગાયબ

હોળીના ઉત્સાહમાં ક્યારેક ભાંગની જ્યાફત ભારે પડી શકે છે, જેના કારણે થતી બેચેની અને માથાનો દુખાવો આખા દિવસની મજા બગાડે છે. આ હેંગઓવરને માત્ર ઊંઘ કે દવાઓથી નહીં, પણ રસોડાની કેટલીક ખાસ વસ્તુઓથી પણ કુદરતી રીતે મટાડી શકાય છે.
holi માં ભાંગના હેંગઓવરથી બચવા માટેની બેસ્ટ ટિપ્સ  હવે માથાનો દુખાવો થશે ગાયબ
Advertisement
  • Holi બાદ ભાંગના હેંગઓવરે મચાવી ધૂમ, જાણો ઉતારવાના ઉપાય!
  • શરીરમાં ડિહાઈડ્રેશન રોકવા નાળિયેર પાણી અને લીંબુ પાણી છે શ્રેષ્ઠ
  • ખાટી વસ્તુઓ અને છાશના સેવનથી નશાના કેમિકલ્સ થશે બેઅસર
  • તળેલો ખોરાક ટાળી હળવી ખીચડી કે સંતરા ખાવાથી મળશે મોટી રાહત
  • માથાના દુખાવા અને ચક્કરમાંથી બચવા પૂરતી ઊંઘ લેવી છે અનિવાર્ય
  • દેશી નુસખાઓ મિનિટોમાં દૂર કરશે ભાંગનો ભારે નશો અને ગભરામણ

હોળી (Holi 2026) નો તહેવાર રંગો, મસ્તી અને પરંપરાગત વાનગીઓનો સંગમ છે. આ ઉત્સવમાં અનેક જગ્યાએ ઠંડાઈ કે મીઠાઈના રૂપમાં ભાંગનું (Bhang) સેવન કરવાની પરંપરા છે. જોકે, ઘણીવાર મજાક-મસ્તીમાં ભાંગનું પ્રમાણ વધી જાય છે, જે બીજા દિવસે ભારે હેંગઓવર, અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા અને ગભરામણ જેવી સમસ્યાઓ નોંતરે છે. જો તમે પણ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો (Home Remedies) દ્વારા તમે આ નશાને ઉતારી શકો છો.

Holi માં ભાંગના સેવનથી શરીરમાં પાણીની ભારે અછત સર્જાય

સૌ પ્રથમ, ભાંગના સેવનથી શરીરમાં પાણીની ભારે અછત એટલે કે ડિહાઈડ્રેશન (Dehydration) થાય છે. આથી, હેંગઓવર દૂર કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા નાળિયેર પાણી (Coconut Water) પીવું જોઈએ. નાળિયેર પાણી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે અને ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે.

Advertisement

ખાટી વસ્તુઓ ભાંગના નશાને કાપવા માટે રામબાણ

નિષ્ણાતોના મતે, ખાટી વસ્તુઓ ભાંગના નશાને કાપવા માટે રામબાણ ગણાય છે. લીંબુ, સંતરા કે આમલી જેવી ખાટી વસ્તુઓમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે નશો વધારતા કેમિકલ્સની અસર ઘટાડે છે. આ સિવાય, એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ અને મધ (Lemon and Honey) ભેળવીને પીવાથી પણ પેટને આરામ મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

Advertisement

દહીં અથવા છાશનું સેવન કરવું શ્રેષ્ઠ

જો નશાને કારણે પેટમાં બળતરા કે ભારેપણું લાગતું હોય તો દહીં અથવા છાશનું (Buttermilk) સેવન કરવું શ્રેષ્ઠ છે. તે પેટને ઠંડક આપે છે. આ સમયે તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને તેની જગ્યાએ ખીચડી કે સૂપ જેવા હળવા ખોરાક પર ભાર મૂકવો જોઈએ. અંતે, શરીર અને મગજને રિકવર કરવા માટે પૂરતી ઊંઘ (Proper Sleep) અને શાંત વાતાવરણમાં આરામ કરવો અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : Holi : હોળીના જીદ્દી રંગોથી પરેશાન? લગાવો આ જાદુઈ ઉબટન અને જુઓ ચમત્કાર!

Tags :
Advertisement

.

×