Tour Tips : હરદ્વાર - ઋષિકેશના પ્રવાસમાં આ સ્થળોની મુલાકાત બની રહેશે ખાસ...
- Hardwar Rishikesh Trip ના પ્રવાસમાં સામેલ કરો આ કુદરતી સ્થળો
- ટ્રેકિંગ લવર્સ માટે ઋષિકેશની પાસે આવેલ Muni Ki Reti એકદમ બેસ્ટ ડેસ્ટિનેશન્સ છે
- જંગલથી ઘેરાયેલું Ghat Garh આપને એકસાઈટેડ ફોરેસ્ટ એક્સપ્લોરિંગ પૂરુ પાડી શકે છે
- Kaudiyala ના રાફ્ટિંગ રેપિડ્સ ખૂબ વખણાય છે
Tour Tips : ઉનાળામાં હરદ્વાર - ઋષિકેશ (Hardwar Rishikesh Trip) ના પ્રવાસનું આયોજન કરો તો તમે આ સ્થળોની ચોક્કસ મુલાકાત લો. અમે આપને જણાવીએ છીએ એવા સ્થળો વિશે કે જે મનોરમ્ય હોવા ઉપરાંત આપને રોમાંચ પણ પૂરો પાડશે. આ સ્થળોમાં મુનિ કી રેતી (Muni Ki Reti), ઘાટ ગઢ (Ghat Garh), કૌડિયાલા (Kaudiyala) અને મોહન ચટ્ટી (Mohan Chatti) નો સમાવેશ થાય છે. આ સ્થળો ઋષિકેશથી માત્ર 40થી 50 કિમીના અંતરે આવેલા છે. જો આપ Hardwar Rishikesh Trip ને લાઈફટાઈમ મેમરી બનાવવા માંગો છો તો આ સ્થળની એકવાર અવશ્ય મુલાકાત લો.
મુનિ કી રેતી (Muni Ki Reti)
ટ્રેકિંગ લવર્સ માટે ઋષિકેશની પાસે આવેલ મુનિ કી રેતી એકદમ બેસ્ટ ડેસ્ટિનેશન્સ છે. અહીંથી તમે ગંગા નદીની સુંદરતાને ઊંચાઈ પરથી માણી શકો છો. અહીં ઘણા નાના મંદિરો અને ધોધ પણ છે. જો તમે મુનિ કી રેતીની મુલાકાત લો છો તો Trekking , મેડિટેશન અને ફોરેસ્ટ એક્સ્પલોરિંગનો આનંદ લઈ શકો છો. આ અનુભવ તમારા પ્રવાસને યાદગાર બનાવશે.
ઘાટ ગઢ (Ghat Garh)
ઋષિકેશથી 22 કિમી દૂર શિવપુરીની નજીક આ સ્થળ ખૂબ જ સુંદર છે. આ જંગલથી ઘેરાયેલું એક નાનું ગામ છે જેનું શાંત વાતાવરણ આપના મનને ખુશ કરી દેશે. અહીં ટાવર કનેક્ટિવિટી ઓછી હોવાને લીધે આપ મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ વિના સોશિયલ મીડિયા (Social Media) થી દૂર રહી શકો છો. અહીં આવતા પ્રવાસીઓ મેન્ટલી રીલેકસેશનનો અનુભવ કરે છે. અહીં તમે હોમ સ્ટે કરીને સ્થાનિક જીવનશૈલીનો આનંદ માણી શકો છો.
આ પણ વાંચોઃ Health Tips: ઉનાળામાં દૂધીના રસનું સેવન છે અત્યંત લાભદાયી...
કૌડિયાલા (Kaudiyala)
ઋષિકેશથી 35 કિમી દૂર આવેલું આ સ્થળ ખૂબ જ સુંદર છે. આ સ્થળ ગંગા નદીના કિનારે આવેલું છે અને સાહસ પ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. અહીંના રાફ્ટિંગ રેપિડ્સ ખૂબ પ્રખ્યાત છે. કૌડિયાલા આસપાસનું જંગલ અને શાંતિપૂર્ણ વાતાવરણ તમને સ્પેશિયલ એક્સપિયરન્સ પૂરો પાડશે. આ સ્થળે તમે રાફ્ટિંગ, કેમ્પિંગ, બર્ડ વોચિંગ, નાઈટ બોનફાયર (Adventure sports) નો આનંદ માણી શકો છો.
મોહન ચટ્ટી (Mohan Chatti)
મોહન ચટ્ટી ઋષિકેશથી માત્ર 17 કિમી દૂર છે. આ સ્થળ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા પરંતુ હવે બંજી જમ્પિંગને કારણે તે ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યું છે. મોહન ચટ્ટીની આસપાસના જંગલો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ આપને આહલાદકતાનો અનુભવ કરાવશે તેમાં કોઈ બેમત નથી. જો તમે અહીં આવો છો તો બંજી જમ્પિંગ અને Forest exploring નો અવશ્ય આનંદ માણો. આ આનંદ આપના માટે કાયમી સંભારણું બની રહેશે.
આ પણ વાંચોઃ Health Tips: શું તમે પણ ઉનાળામાં પાચનતંત્રની સમસ્યાઓથી પરેશાન છો? જાણો નિષ્ણાતો શું કહે છે