Vegan food: વિગન ફૂડથી ઘટે છે આયુષ્ય? ચીનના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
- Vegan food: વિગન ફૂડથી ઘટે છે આયુષ્ય?
- ચીનના રિપોર્ટમાં ચોકાવનારો દાવો
- માંસાહાર ખોરાક લેનારાઓ કરતા પણ ઉંમર ઓછી?
Vegan food: લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે શાકાહારી આહાર (Vegetarian diet) આયુષ્યને વધારે છે. પરંતુ તાજેતરના સંશોધનોએ આ દાવાને પડકાર ફેંક્યો છે. ચીન (China)માં વૃદ્ધ લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો શાકાહારી આહારનું પાલન કરતા હતા. તેઓ માંસાહારી (non-vegetarian) ખોરાક ખાતા લોકો કરતા 100 વર્ષ સુધી જીવવાની શક્યતા ઓછી હતી. વૈજ્ઞાનિકો (Scientists) કહે છે કે એકલા વનસ્પતિ આધારિત આહાર શરીરની પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો નથી. આ અભ્યાસે આરોગ્ય નિષ્ણાતોમાં એક નવી ચર્ચા જગાવી છે. ખાસ કરીને મુદ્દો એ ઉઠ્યો છે કે, વૃદ્ધાવસ્થામાં શરીરને કયા પ્રકારના પોષણની સૌથી વધુ જરૂર હોય છે.
Vegan food: રિપોર્ટ શું કહે છે?
ચાઇનીઝ લોન્ગીટ્યુડિનલ હેલ્ધી લોન્ગીવિટી સર્વે (CLHLS) (Chinese Longitudinal Healthy Longevity Survey) ના ભાગ રૂપે, ચીની વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો. જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના 5 હજાર 203 વૃદ્ધ લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો હતો કે, આહારની આદતો વ્યક્તિના 100 વર્ષ સુધીના આયુષ્ય પર કેવી અસર કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ફક્ત શાકાહારી ખોરાક ખાતા હતા, તેઓ ફક્ત માંસાહારી ખોરાક ખાતા લોકો કરતા ઓછા આયુષ્ય જીવતા હતા.
Vegan food: શાકાહારી આહાર લેનારાઓ માટે વધુ પડકારજનક
સંશોધનમાં, શાકાહારીઓને પેસ્કો-શાકાહારી (Pesco-vegetarian) ઓ (જેઓ માછલી અને સીફૂડ ખાતા હતા), ઓવો-લેક્ટો-શાકાહારી (Lacto-vegetarian)ઓ (જેઓ ઈંડા અને ડેરી ઉત્પાદનો ખાતા હતા) અને શાકાહારીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. પરિણામો દર્શાવે છે કે, જેઓ શાકાહારી આહારનું પાલન કરે છે તેમનામાં 100 વર્ષ સુધી જીવવાની શક્યતા સૌથી ઓછી (લગભગ 29 ટકા) હતી. જે લોકો માછલી અથવા ડેરી ઉત્પાદનો (પેસ્કો-શાકાહારી) ખાતા હતા તેમના જીવનમાં માંસાહારી લોકોની તુલનામાં કોઈ ખાસ તફાવત નહોતો.
Vegan food: વજન વધવા અને કુપોષણનું જોખમ વધુ
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, આહારની સાથે, બોડી માસ ઇન્ડેક્સ (Body mass index)(BMI) પણ આયુષ્ય પર માઠી અસર કરે છે. શાકાહારી આહાર ખાસ કરીને વૃદ્ધ લોકો માટે જોખમી બની શકે છે. જેઓ પહેલાથી જ ઓછા વજનવાળા છે. નિષ્ણાતો કહે છે કે શાકાહારી આહારમાં ઘણીવાર વિટામિન B12 (Vitamin B12), પ્રોટીન (Protein) અને ઓમેગા-3 ફેટી એસિડ (Omega-3 fatty acids) નો અભાવ હોય છે. જેના કારણે વૃદ્ધ લોકોમાં હાડકાના ફ્રેક્ચર અને કુપોષણનું જોખમ વધે છે.
આ પણ વાંચો------ Drink water: સવારે ખાલી પેટે કેટલું પાણી પીવું?, તમે નથી કરતાને આ ભૂલ? જાણો સાચી રીત
Vegan food: વૈજ્ઞાનિકોની સલાહ શું છે?
અભ્યાસના વૈજ્ઞાનિકો માને છે કે, શાકાહારી આહાર નાની ઉંમરે હૃદય રોગ (Heart disease) અને ડાયાબિટીસ (Diabetes) જેવા રોગો સામે રક્ષણ આપી શકે છે. પરંતુ 80 વર્ષની ઉંમર પછી શરીરની માંગ બદલાય છે. સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે "અપવાદરૂપ આયુષ્ય" પ્રાપ્ત કરવા માટે છોડ અને પ્રાણીઓ (જેમ કે દૂધ, માછલી અથવા માંસ) બંનેમાંથી પોષક તત્વો સહિત સંતુલિત આહાર જરૂરી છે.
આ પણ વાંચો------ શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવા નમકવાળી ચા પીઓ, જાણો ફાયદા
આ પણ વાંચો-------Motivation: દુઃખ ખરેખર શું છે? ખુશીનો અભાવ અને ખુશી સાધનોમાં નથી, તમારા મનમાં છે


