Gujarat Latest News: સત્તાના અહંકારમાં રાજકોટના મેયર ભૂલ્યા ભાન!
Gujarat Latest News : ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢ: SC-ST સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ
August 5, 2026 11:10 pm
જૂનાગઢમાં ફ્રીશિપ અને એક્સટર્નલ અભ્યાસની લાલચ આપી વગર પરીક્ષાએ પાસ કરવાની ગેરંટી આપીને 21 વિદ્યાર્થીઓની 24 લાખ રૂપિયાથી વધુની SC-ST સ્કોલરશીપમાં ગેરરીતિ આચરનાર મુખ્ય આરોપી દર્શન મેસવાણીયાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ 11.3 લાખની સરકારી રકમની ઉચાપત કરી હતી, જેની ઓફિસમાંથી બેંક કીટ, 110 સિમકાર્ડ, 9 મોબાઇલ અને બિહાર તથા દિલ્હી બોર્ડની નકલી માર્કશીટો જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપી સામે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા પોલીસ સ્ટેશન સામે નશામાં ધૂત કારચાલકે સર્જ્યો ગંભીર અકસ્માત
August 5, 2026 10:04 pm
વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશન સામે નશામાં ધૂત કારચાલકે બે થી ત્રણ કિલોમીટર સુધી બેફામ કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂક્યા બાદ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત પહેલાં લોકોએ કારચાલકને રોકવાના અનેક પ્રયાસો કર્યા છતાં તે બેફામ રીતે કાર દોડાવતો રહ્યો હતો, જે અંતે પોલીસ સ્ટેશન સામે જ અકસ્માતનો ભોગ બની હતી. આ ગંભીર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આવા બેફામ ચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
કૈલાશ રોડ પર કાદવ-કીચડના કારણે બાઈક સ્લીપ થતાં ટ્રેક્ટર નીચે કચડાવાથી યુવકનું મોત
August 5, 2026 9:03 pm
વલસાડના કૈલાશ રોડ પર ભારે વરસાદને કારણે ફેલાયેલા કાદવ-કીચડના કારણે બાઈક સ્લીપ થઈ જતા સામેથી આવતા ટ્રેક્ટર નીચે કચડાવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તારમાં કાદવ-કીચડના કારણે અકસ્માતો થયા હોવા છતાં તંત્રની બેદરકારીને લીધે યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
કચ્છ મોરબીના વિરપાડા ગામે કૂવાના પાણીમાં હલચલથી ચર્ચા.
August 5, 2026 7:52 pm
કચ્છ મોરબીના વિરપાડા ગામે કૂવાના પાણીમાં હલચલથી ચર્ચા,કચ્છ યુનિવર્સિટીના ડો. ગૌરવ ચૌહાણે વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું,ભારે વરસાદ બાદ આસપાસના ખડકોમાં રહેલી તિરાડોમાંથી પાણીનો પ્રવાહ થઈ શકે,તેનાથી કૂવાના પાણીમાં હલચલ અથવા ફેરફાર જોવા મળી શકે છે,વરસાદી પાણીના પ્રવાહથી ભૂગર્ભ જળસ્તર પર પણ અસર પડે છે,ડેમ ભરાયા બાદ પાણીનો ફ્લો નજીકના કુવાઓને પણ અસર કરી શકે છે,કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવેલા છે,જોકે હાલ કોઈ ભૂકંપ આવ્યો હોવાની શક્યતા નથી,કૂવાના પાણીની હલચલને ભૂકંપ સાથે જોડવી યોગ્ય નથી,ડો. ચૌહાણે લોકોને અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક સમજ અપનાવવા અપીલ કરી
સુરતના ભેસ્તાનમાં ધોળા દિવસે યુવકની હત્યા, ગેંગવોરની આશંકા
August 5, 2026 6:48 pm
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે સતીષ મરાઠા નામના યુવકની હત્યા થતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ 5થી 6 શખ્સોએ હુમલો કરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને ગેંગ સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી છે.
કઠલાલથી વાવડી સુધીનો 70 કિમી હાઇવે બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન
August 5, 2026 6:40 pm
ચોમાસાના વરસાદ બાદ કઠલાલથી ગોધરાના વાવડી સુધીનો આશરે 70 કિલોમીટર હાઇવે બિસ્માર બન્યો છે. કઠલાલ, ફાગવેલ અને ગળતેશ્વર તાલુકામાં ઠેર-ઠેર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. માર્ગ પર બે ટોલ પ્લાઝા હોવા છતાં રસ્તાની હાલત ખરાબ હોવાનો આક્ષેપ થયો છે. ભારે અવરજવર વચ્ચે અકસ્માતનું જોખમ વધતાં તાત્કાલિક મરામતની માગ ઉઠી છે.
'મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ રહુ તે વાત ખોટી' સુરતમાં કોર્પોરેટર જયશ્રીબેન વોરા પર હુમલા મામલે ધારાસભ્યનું નિવેદન
August 5, 2026 6:39 pm
સુરતમાં કોર્પોરેટર જયશ્રીબેન વોરા પર હુમલાની ઘટનાને લઈને ધારાસભ્ય કાંતિ બલરે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેમની ઓફિસમાં મારામારી થાય અને તેઓ ચૂપ રહે તે શક્ય નથી. કાર્યક્રમમાં બોલાવવાના મુદ્દે ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં ઝપાઝપી થઈ હતી. બંને પક્ષની જાણકારી પક્ષ સુધી પહોંચી હોવાનું અને હવે સમાધાનથી મામલો ઉકેલવો જોઈએ તેમ તેમણે જણાવ્યું.
ખાતર વિતરણમાં પારદર્શિતા માટે સરકારનો કડક નિર્ણય, કાળાબજારી સામે વિશેષ ટીમ તૈનાત
August 5, 2026 6:29 pm
રાજ્ય સરકારે સબસિડાઇઝડ ખાતરની કાળાબજારી, ટેગિંગ અને બિન-કૃષિ ઉપયોગ અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. બનાવટી ખાતર, સંગ્રહખોરી અને ગેરરીતિ રોકવા માટે ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી થશે. કંટ્રોલ રૂમ મારફતે રોજબરોજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી થશે.
ધોલેરામાં 11KV વીજલાઇનના 12,420 મીટર તારની ચોરી, 7.76 લાખનું નુકસાન
August 5, 2026 6:29 pm
અમદાવાદ જિલ્લાના ધોલેરા વિસ્તારમાં 11KV વીજલાઇનના તાર ચોરાઈ જતા ચકચાર મચી છે. એક્સપ્રેસ-વે, એરપોર્ટ ફીડર અને બુરાનપુર નજીકથી કુલ 12,420 મીટર વીજતારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા તારની કિંમત અંદાજે 7.76 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. ધોલેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત
August 5, 2026 6:19 pm
ગાંધીનગર પોલીસે છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાંથી રૂ. 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો છે. પામ ઓઇલમાં કેમિકલ ભેળવી દેશી ઘી તરીકે બજારમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. 30 હજાર લીટર શંકાસ્પદ ઓઇલ સપ્લાય થતું હતું. FSL અને ફૂડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ચાંદખેડામાં વેપારીના ફ્લેટમાં રૂ. 27.50 લાખની ચોરી, નોકર અને તેના બનેવી પર શંકા
August 5, 2026 5:29 pm
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વેપારીના ફ્લેટમાંથી રૂ. 27.50 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. કબાટનું લોકર તોડી રૂ. 7 લાખ રોકડા તેમજ રૂ. 20.50 લાખના સોના-ચાંદીના દાગીના ચોરાયા હોવાનો આક્ષેપ છે. ઘરમાં સફાઈ કામ કરતા સુનિલ અને તેના બનેવી રાજુ સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
કંડલા બંદરે 3 કરોડથી વધુની સૂકી ખજૂરની જપ્તી, પાકિસ્તાનથી દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટની શંકા
August 5, 2026 5:29 pm
કચ્છના કંડલા બંદરે ડીઆરઆઈએ 364 મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત કરી છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ છે. દસ્તાવેજોમાં માલનો સ્ત્રોત યુએઈ દર્શાવાયો હતો, પરંતુ તપાસ દરમિયાન દસ્તાવેજો અને માલ વચ્ચે વિસંગતતા મળી આવી. પ્રાથમિક તપાસમાં માલ પહેલા દુબઈ પહોંચાડી ત્યારબાદ પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી થતી હોવાની શંકા સામે આવી છે. સમગ્ર કન્સાઇનમેન્ટ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરાઈ છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમે મુખ્યમંત્રીને 6.33 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો
August 5, 2026 5:09 pm
ગુજરાત રાજ્ય બીજ નિગમે વર્ષ 2024-25 માટે 6.33 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ રાજ્ય સરકારને રકમ સોંપી હતી. રાજ્યના સ્થાપનથી અત્યાર સુધી નિગમે કુલ 42.82 કરોડનો ડિવિડન્ડ ચૂકવ્યો છે. વર્ષ દરમિયાન 3.34 લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવ્યું હતું.
વાયરલ સોંગમાં વિવાદિત શબ્દપ્રયોગથી વિવાદ ગરમાયો, ઠાકોર સમાજમાં રોષ
August 5, 2026 5:06 pm
સોશિયલ મીડિયામાં વાયરલ બનેલા એક સોંગમાં ઠાકોર સમાજ માટે વર્ષોથી પ્રતિબંધિત માનવામાં આવતા શબ્દનો ઉપયોગ થતાં વિવાદ વકર્યો છે. સાંસદ ભરતસિંહ ડાભીની રજૂઆત બાદ આવા શબ્દપ્રયોગ પર પ્રતિબંધની માગ ઉઠી હતી. સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ સોંગ બનાવનાર વ્યક્તિએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
રસોડાનું બજેટ ખોરવાયુ! તેલ, દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા
August 5, 2026 4:55 pm
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા 4 થી 5 મહિનામાં અનેક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ વધુ મોંઘા બન્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી તેજી અને આયાત ખર્ચમાં થયેલો વધારો આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આગામી તહેવારોની સિઝન પહેલા જ ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક ભાર વધુ વધવા જઈ રહ્યો છે
આ અંગે ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF) ના સેક્રેટરી ડો. હિરેન ગાંધીએ જણાવ્યું છે કે, રાશનની લગભગ 99 ટકા વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં રૂ. 8 સુધીનો, દાળના ભાવમાં રૂ. 6 સુધીનો, દૂધમાં રૂ. 3 અને ખાંડમાં રૂ. 2.25 સુધીનો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિ જોતા દાળમાં 5 થી 10 ટકા અને ખાદ્યતેલમાં 3 થી 8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, જેમાં ખાદ્યતેલ અને દાળના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે.
તાપીના માણેકપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી, પાંચ મુસાફરોને સામાન્ય ઈજા
August 5, 2026 4:52 pm
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની સીમમાં નિઝરથી સુરત જતી શર્મા કંપનીની ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ગઈ હતી. ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં ઊંધી વળી ગઈ હતી. ફરિયાદી સહિત પાંચ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીમાં લાંબા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસનો કેસ: પૂરગ્રસ્ત 80 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ
August 5, 2026 4:45 pm
નવસારીના કાશીવાડી વિસ્તારમાં લાંબા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પૂરગ્રસ્ત 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અન્ય એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ તપાસ માટે મોકલાયો છે. પૂરના પાણીમાં રહેવું અને ઓછી પ્રતિકારક શક્તિ સંક્રમણનું કારણ માનવામાં આવી રહ્યું છે.
વડોદરાની જમનાબાઇ હોસ્પિટલ કેમ્પસમાં કરુણ અકસ્માત: મહિલા તબીબની કાર નીચે આવી 3 વર્ષના બાળકનું મોત
August 5, 2026 4:23 pm
વડોદરાની જમનાબાઇ હોસ્પિટલના કેમ્પસમાં થયેલા અકસ્માતમાં 3 વર્ષના બાળકનું મોત થયું છે. સાબરકાંઠાના પોશીનાના નરેશભાઇ અંગારીનો પુત્ર હોસ્પિટલ પરિસરમાં રમી રહ્યો હતો ત્યારે મહિલા તબીબ ડો. ગુડિયા પ્રમોદ સિન્હાની કારના પૈડા તેના પર ફરી વળ્યા હતા. SSG હોસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે અને વડોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આણંદ મનપામાં 1,000થી વધુ કર્મચારીઓ હડતાલ પર
August 5, 2026 3:55 pm
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના 1,000થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. કાયમી, રોજમદાર અને આઉટસોર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કમિશ્નર દ્વારા અપમાનિત કરાયા હોવાના આક્ષેપ સાથે વિવિધ માંગણીઓ રજૂ કરી છે. હડતાલને કારણે મનપાની દૈનિક કામગીરી તેમજ અનેક નાગરિક સેવાઓ પ્રભાવિત થઈ છે. હવે કર્મચારીઓ અને તંત્ર વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે છે તેના પર સૌની નજર છે.
પાટડીમાં સગીરા પર દુષ્કર્મનો આરોપ, 57 વર્ષીય આરોપી ઝડપાયો
August 5, 2026 3:28 pm
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 57 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે. સગીરાના તબીબી પરીક્ષણ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી મુલતવી, હવે શુક્રવારે થશે સુનાવણી
August 5, 2026 3:00 pm
કડાણા તાલુકા પંચાયત કચેરીમાં મારામારી, મહિલા સરપંચ સહિત બંને પક્ષે ફરિયાદ નોંધાઈ
August 5, 2026 3:00 pm
મહીસાગરના કડાણા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં મારામારીની ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયતની માહિતી માંગવા ગયેલા બે યુવકો પર મહિલા સરપંચ શાંતાબેન માછી, તેમના પતિ જગાભાઈ માછી અને પુત્ર ધર્મેશ માછીએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મહિલા સરપંચે પણ દિનેશ માછી અને હાર્દિક માછી સામે હુમલો અને કામગીરીમાં અડચણ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં વરસાદી રજાઓ બાદ રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે
August 5, 2026 2:56 pm
અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી શાળાની રજાઓ બાદ અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. તેના અનુસાર, શાળા સંચાલકો ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખીને બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે. નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક નુકસાનને ઘટાડવાનો છે.
તારંગા ધામમાં દંપતીના મૃતદેહ મળતા ચકચાર, હત્યા બાદ આત્મહત્યાની આશંકા
August 5, 2026 2:08 pm
ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેનના મૃતદેહ રૂમમાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં સામાન્ય બોલાચાલી બાદ પત્નીની હત્યા કરીને પૂજારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
August 5, 2026 2:03 pm
હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રાજકોટમાં કાર્યવાહી, પ્રદૂષણ માફિયાને ક્લોઝર નોટિસ
August 5, 2026 2:02 pm
સાકરાઈ ટીંબા ખાતે ગેરકાયદે ખનન ઝડપાયું, 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત
August 5, 2026 2:01 pm
કચ્છના ભુજ તાલુકાના સાકરાઈ ટીંબા ખાતે ગેરકાયદે સાદીમાટી ખનન સામે સંયુક્ત ટીમે તવાઈ બોલાવી છે. ફ્લાઈંગ સ્કવોર્ડ, ભુજ પ્રાંત અને પધ્ધર પોલીસની હાજરીમાં કરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન એક્સેવેટર, લોડર અને ટ્રેક્ટર સહિત 6 વાહનો કબ્જે કરાયા. કુલ 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે. માપણી બાદ જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.
ગીરગઢડા: જસાધાર રેન્જમાં રસ્તા પર સિંહ પરિવાર નજરે પડ્યો
August 5, 2026 1:53 pm
ગીરગઢડાની જસાધાર રેન્જમાં ખિલાવડ-ઈટવાયા રોડ નજીક રસ્તા પર સિંહ પરિવાર આવી ચડ્યો હતો. આ દરમિયાન વન વિભાગે સતર્કતા દાખવી તુરંત જ પસાર થતા વાહનોને અટકાવી દીધા હતા. સિંહોએ સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કર્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ભૂખી ખાડી ગડીતુર બનતા જળબંબાકાર
August 5, 2026 1:32 pm
ભરૂચમાં ભૂખી ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. પૂલવાળી મેલડી માતાના મંદિરના પ્રાંગણમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ખાડીમાં પાણીની સતત આવક ચાલુ રહેતા આ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં પણ મોટો વધારો થયો છે.
ચાંદીપુરા વાયરસ વિજય,રાજકોટ સિવિલ હોસ્પિટલની મોટી સફળતા
August 5, 2026 1:30 pm
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોંડલના સુલતાનપુરનું માત્ર ત્રણ મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસને હરાવી સાજું થયું છે, જે રાજ્યનું સૌથી નાનું બાળક છે. ગત ૧૯ જુલાઈએ દાખલ થયેલા આ બાળકને આજે ૫ ઓગસ્ટે રજા અપાઈ છે. હાલ હોસ્પિટલમાં જૂનાગઢ અને રાજકોટના બે શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે.
કોમનવેલ્થ ગેમ્સ ખેલાડી દ્વારા બેટન અને ધ્વજ મુખ્યમંત્રી સોંપ્યો
August 5, 2026 12:52 pm
અમદાવાદમાં વર્ષ 2023 માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે કોમનવેલ્થ પ્લેયર સોનલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બેટન અને ધ્વજ સુપરત કર્યો છે. અમદાવાદ જેવા શહેરમાં આ વૈશ્વિક ગેમ્સનું આયોજન થવું એ રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે અને આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે, જ્યારે અગાઉ સ્કોટલેન્ડમાં પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
August 5, 2026 12:52 pm
મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી સહાયતા કેન્દ્ર સ્થાપવાની માંગણી કરી છે. આ કેન્દ્ર શરૂ થવાથી કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણો મહેસાણામાં જ મળી રહેશે અને તેના રિપેરિંગ માટે હવે અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે, જેથી સમગ્ર સુવિધા એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનતા દિવ્યાંગોના સશક્તિકરણ સાથે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે.
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની બબાલ
August 5, 2026 12:52 pm
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં અંબિકાનગરની ચાલીમાં મોડી રાત્રે અંદરોઅંદર ઝઘડતા શખ્સોને ફરિયાદી પિનાકીન જાદવે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પપ્પુ રાઠોડ સહિત 8 અસામાજિક તત્વોના ટોળાએ પરિવાર પર ઈંટો અને પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમજ આરોપીઓએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી મોબાઈલ ફોન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હોસ્પિટલમાં ખબર કાઢવા જતા અન્ય એક પાડોશીને પણ રસ્તામાં રોકીને ઢોર માર માર્યો હતો, જેથી શહેરકોટડા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાનો ફતેગંજ બ્રિજ બન્યો અકસ્માત ઝોન
August 5, 2026 12:52 pm
વડોદરાનો ફતેગંજ બ્રિજ છેલ્લા એક મહિનામાં 7 જેટલા અકસ્માતો સર્જાવાને કારણે 'અકસ્માત ઝોન' બની ગયો છે, જેમાં તાજેતરમાં જ વોલ્વો બસની અડફેટે એક વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત પણ નીપજ્યું હતું. બ્રિજ પરના ભયજનક વળાંકના કારણે વારંવાર અકસ્માતો થતા હોવાથી આલોચના બાદ પાલિકા અને ટ્રાફિક વિભાગ જાગ્યું છે અને બ્રિજ પર રમ્બલ સ્ટ્રિપ્સ મૂકવાની સાથે સ્પીડ લિમિટ તથા ભયજનક વળાંકના બોર્ડ લગાવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા બ્રિજની ડિઝાઇનમાં ખામી હોવાનો આક્ષેપ કરી 12 વર્ષ પહેલાં બ્રિજ બનાવનાર અધિકારીઓ સામે જવાબદારીની માંગ કરવામાં આવી છે.
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટ દ્વારા એશિયાટિક સિંહોના ઝુંડને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યા
August 5, 2026 12:52 pm
ભાવનગર મંડળમાં રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સમન્વય તેમજ લોકો પાયલોટોની જાગૃતતાના કારણે વધુ એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. ધીર નજીક રેલવે ટ્રેક પર બચ્ચાંઓ સાથેના 10 એશિયાટિક સિંહોનું કુટુંબ ઊભું હોવાનું જણાતા લોકો પાયલોટોએ તાત્કાલિક સૂઝબૂઝ વાપરી ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી અને બાદમાં વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે ઘટનાસ્થળે પહોંચી તમામ સિંહોને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે ખસેડ્યા હતા, નોંધનીય છે કે વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં કુલ ૪૩ એશિયાટિક સિંહોને આ પ્રકારે રેલ દુર્ઘટનામાંથી બચાવવામાં આવ્યા છે.
ચૈતર વસાવા જામીન બાબતે હાઈકોર્ટ માં સુનાવણી શરૂ
August 5, 2026 12:03 pm
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી 7 વર્ષની સજા પર સ્ટે મેળવવા અને જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જે અંગેની સુનાવણી હાલ હાઈકોર્ટમાં શરૂ થઈ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની X પોસ્ટ
August 5, 2026 11:52 am
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર પોસ્ટ કરીને બદલાયેલા કાશ્મીરની પ્રશંસા કરી છે. તેમણે 'નવી પેઢી, નવું કાશ્મીર' તેવા સૂત્ર સાથે પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે આ નવું કાશ્મીર સૌને સતત પ્રેરણા આપી રહ્યું છે.
બોટાદના બે પોલીસ કોન્સ્ટેબલ ને કર્યા સસ્પેન્ડ
August 5, 2026 11:52 am
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયપાલભાઈ ગગજીભાઈ ચાવડા અને હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશોકભાઈ વલ્લભભાઈ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાવનગર જેલ જાપ્તા દરમિયાન આરોપીને ગેરકાયદેસર રીતે સવલતો પૂરી પાડવાના મામલે આ બંને કોન્સ્ટેબલો સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરાથી ભરૂચ જતી ટ્રેનમાં પેસેન્જરને હાર્ટ એટેક આવ્યો
August 5, 2026 11:52 am
વડોદરાથી ભરૂચ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરને અચાનક હાર્ટ એટેક આવતા કન્ટ્રોલને કોલ કરવામાં આવ્યો હતો, જેના પગલે ઇમરજન્સી ધોરણે ટ્રેન રોકવામાં આવી હતી. દર્દીને તાત્કાલિક કરજણ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગાંધીનગર ના પીંડારડા પાસે ગમખ્વાર અકસ્માત
August 5, 2026 11:52 am
ગાંધીનગરના પીંડારડા પાસે રીક્ષા અને આઈશર ટ્રક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જેને પગલે પેથાપુર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ - પેટ ડોગ અને પેટ કેટના ફરજિયાત રજિસ્ટ્રેશન માટે AMCનું વિશેષ અભિયાન
August 5, 2026 11:52 am
અમદાવાદમાં 'રેબિઝ ફ્રી અમદાવાદ' ના લક્ષ્ય સાથે AMC દ્વારા પાલતુ કૂતરા (પેટ ડોગ) અને પાલતુ બિલાડી (પેટ કેટ) ના રજિસ્ટ્રેશન માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેરમાં પેટ ડોગ માટે 1જુલાઈથી અને પેટ કેટ માટે 9 જુલાઈથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત 30 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવાનો સમય આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 19,746 પેટ ડોગ અને189 પેટ કેટનું સત્તાવાર રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ચૂક્યું છે.
જામનગરના લાલપુર પંથકમાંથી 1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
August 5, 2026 11:28 am
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ આરબલુસ ગામની સીમમાં સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને 1.30 કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 9,024 દારૂની બોટલો તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે આ કાર્યવાહીમાં તમામ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પૂર્વે જ એસએમસી (SMC) ની ટીમે પણ લાલપુરમાંથી એક કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો.
હાઇકોર્ટની બેંચ માટે બાર એસોસિએશનની રજૂઆતો અને સમર્થન અભિયાન
August 5, 2026 11:28 am
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે બાર એસોસિએશન દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વકીલોએ સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને આવેદનપત્ર પાઠવ્યું છે. આ અગાઉ બે દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને વકીલોએ રાજકોટના મેયર તથા શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવ્યા છે. આ માંગણીને વધુ વેગ આપવા માટે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળને પત્ર પણ લખ્યો છે, જેથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા વિવિધ રાજકીય અગ્રણીઓનું સમર્થન મેળવવાના પ્રયાસો ચાલુ છે.
રાજકોટ - 2017ના હત્યા અને હત્યાની કોશિશના કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
August 5, 2026 11:28 am
રાજકોટમાં વર્ષ 2017 માં બનેલા હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપીને બે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. તા. 29.12.2017 ના રોજ રાજકોટના પુનિતનગર પાસે જયરાજસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી અને ઋતરાજ જાડેજા પર હત્યાની કોશિશ કરવામાં આવી હતી, જે ચર્ચાસ્પદ કેસમાં કોર્ટે આરોપી અજયસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો જાડેજાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
હિંમતનગરમાં પોસ્ટ ઓફિસથી ઘરે જતી મહિલાની થેલી કાપી રૂ. 14,500 ની ચોરી
August 5, 2026 11:28 am
સાબરકાંઠાના હિંમતનગરમાં જનરલ પોસ્ટ ઓફિસમાંથી પોતાના સેવિંગ ખાતામાંથી 15 હજાર રૂપિયા ઉપાડીને ઘરે જઈ રહેલી મહિલા ચોરીનો ભોગ બની છે. મહાકાળી મંદિર રોડ સ્થિત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતી આ મહિલા જ્યારે પોસ્ટ ઓફિસથી ટાવર અને બસ સ્ટેશન તરફના માર્ગ પર જઈ રહી હતી, ત્યારે અજાણ્યા ચોરે નજર ચૂકવીને તેની કપડાની થેલી કાપી નાખી હતી અને 14,500 રૂપિયા તફડાવીને ફરાર થઈ ગયો હતો, જેથી થેલીમાં માત્ર 500 રૂપિયાની એક જ નોટબચી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ હાથ ધરી જાહેર સ્થળોએ સાવચેતી રાખવા અપીલ કરી છે.
મહિસાગરના લુણાવાડામાં મહાકાય મગરના દિલધડક રેસ્ક્યું દરમિયાન નાસભાગ
August 5, 2026 11:28 am
મહિસાગરના લુણાવાડા ખાતે એનિમલ હેલ્થના સભ્ય રમેશભાઈ બારોટે 10 ફૂટ લાંબા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યું કર્યું છે. જે.જે. હોસ્પિટલ પાછળ રહેણાક વિસ્તાર નજીક થયેલા આ રેસ્ક્યું દરમિયાન મગર પકડમાંથી અચાનક છટકી ગયો હતો, જેના કારણે મગર જોવા માટે એકત્ર થયેલા સ્થાનિક રહીશોના ટોળામાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અંતે ભારે જહેમત અને મહેનત બાદ રમેશભાઈ બારોટ દ્વારા આ મહાકાય મગર પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો હતો.
ઉનામાં ભાચા ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
August 5, 2026 11:28 am
ઉના તાલુકાના ભાચા ગામમાંથી રામજી મંદિર નજીક આવેલ ગઢ વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાયો છે. આ વિસ્તારમાં છેલ્લા ૩ થી 4 દિવસથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, અને આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને પરીક્ષણ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાંથી તેને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે.
પોરબંદરમાં કે.કે.નગર આવાસમાં ફરી છત ધસી પડી
August 5, 2026 11:07 am
પોરબંદરના કે.કે.નગર આવાસમાં ફરી એકવાર છત ધસી પડવાની ઘટના બની છે, જેમાં બે માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો છે. છેલ્લા એક જ મહિનામાં આશરે ૧૦ જેટલા બ્લોકની છત તૂટી પડવાને કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત બનેલા આ આવાસો ડેન્જર ઝોનમાં ફેરવાયા હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સમારકામ કરવામાં આવતું નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ પ્રર્વતી રહ્યો છે અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવા ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં સાબુના પાણી જેવા ફીણ
August 5, 2026 11:07 am
અમદાવાદની સાબરમતી નદીમાં પાણી પર સાબુના પાણી જેવા ફીણ જોવા મળ્યા છે, જે નદીને ગંદુ કરવાનું કોઈ સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. વાડજ નજીક નદીમાં આ પ્રકારે ફીણ જોવા મળતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને નદીની જાળવણી પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજકોટમાં વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ અને તપાસ
August 5, 2026 11:07 am
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવા અંગે વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સીટી એન્જિનિયર કે.પી. ડેથલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મે અને જૂન મહિનામાં કુલ 7,228 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 262 બેક્ટેરિયોલોજિકલ સેમ્પલ હતા. આ સમયગાળા દરમિયાન અક્ષરનગર, અમિતનગર અને કૈલાશ ધારા સોસાયટીના કુલ ત્રણ સેમ્પલ ફેલ થયા હતા, ત્યારબાદ આ વિસ્તારોમાં રિપેરિંગની કામગીરી પૂર્ણ કરીને ફરીથી નવા સેમ્પલ લેવામાં આવ્યા છે.
સુરતમાં ખાડીપૂરની રેલીને પરમિશન ન મળતા વિવાદ
August 5, 2026 11:07 am
સુરતમાં ગોડાદરા પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે ખાડીપૂરના પીડિતો દ્વારા જનઆંદોલનના ભાગરૂપે યોજાનારી રેલીની મંજૂરી રદ કરવામાં આવી છે. મગોબ અને મીઠી ખાડીના પૂરપીડિતો આ રેલી કાઢવાના હતા, પરંતુ રેલી ન નીકળે તે માટે રેલવે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સ્થાનિકોના આક્ષેપ મુજબ પોલીસે દબાણ હેઠળ રાત્રે બે વાગ્યે લોકોને બોલાવી મોબાઈલ જપ્ત કરી પરમિશન રદ કરી હતી, જેથી હવે10 થી 15 લોકો સીધા કલેક્ટરને જ રજૂઆત કરવા જનાર છે.
ગીર સોમનાથના કોડીનારના છારા ગામે દરિયામાં ડૂબેલા બંને કિશોરોના મૃતદેહ મળ્યા
August 5, 2026 11:07 am
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ નજીક દરિયામાં ગરકાવ થયેલા બંને કિશોરોના મૃતદેહ આજે મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પાંચ યુવકો દરિયામાં ડૂબ્યા હતા, જેમાંથી સ્થાનિક લોકોની સતર્કતાથી ત્રણ યુવકોને બચાવી લેવાયા હતા પરંતુ બે કિશોરો ગુમ થયા હતા. પોલીસ, મરીન પોલીસ, સ્થાનિક માછીમારો અને બચાવ ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધર્યા બાદ આજે શાપુરજી જેટી પાસેથી નિર્મલભાઈ હમીરભાઈ ચુડાસમા (ઉંમર ૧૬ વર્ષ) અને ભાવસિંહભાઈ ભરતભાઈ ચુડાસમા (ઉંમર ૧૬ વર્ષ) નામના બંને કિશોરોના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી અપાયા છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે મહાકાય મગર દેખાતા અફરાતફરીનો માહોલ
August 5, 2026 10:27 am
વડોદરાના જાંબુઆ ગામ પાસે પાણી ઓછું થતાં એક મહાકાય મગર બહાર આવીને રોડ પર પહોંચી ગયો હતો, જેના કારણે વાહનચાલકોમાં ભારે ભય ફેલાયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મગરને જોવા માટે જાંબુઆ બ્રિજ પર લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી, જેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે.
અમદાવાદમાં CNG ભાવવધારા સામે રીક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ
August 5, 2026 10:27 am
અમદાવાદમાં સીએનજી (CNG) ના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા બે દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું, જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. શહેરના અમુક વિસ્તારોને બાદ કરતા મોટાભાગની રિક્ષાઓ ચાલુ રહી હતી, જો કે રિક્ષા ચાલકોનું એક ગ્રૂપ વેજલપુર વિસ્તારમાં રિક્ષાઓ બંધ કરાવી રહ્યું હતું. આ હડતાળમાં 1 લાખ રિક્ષા ચાલકો જોડાશે તેવો દાવો પોકળ સાબિત થયો હતો અને મોટાભાગના રિક્ષા ચાલકો તેમાં જોડાયા ન હતા, પરંતુ આ અવ્યવસ્થા વચ્ચે મુસાફરોને રિક્ષામાંથી નીચે ઉતારવાની ફરજ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારનાં ફ્લેટમાંથી કુલ રૂ. 27.50લાખની ચોરીની ઘટના
August 5, 2026 10:27 am
અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા સેરેનીટી સ્પેસ ફ્લેટમાં ગત 3 ઓગસ્ટે વેપારીના ઘરે લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. વેપારીના ફ્લેટમાં કચરા-પોતાનું કામ કરતા નોકર સુનિલ લીલારામ કલાસવા અને તેના બનેવી રાજુએ જ મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ બેડરૂમના કબાટનું લોકર તોડીને અંદાજે 7 લાખ રૂપિયા રોકડા અને 20,50,000 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના મળીને કુલ 27.50 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં વેપારી સાથે છેતરપિંડી થતા ફરિયાદ
August 5, 2026 10:27 am
અમદાવાદ શહેરમાં એક વેપારી સાથે ઔડાના આવાસમાં મકાન અપાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘોડાસરના અભુ ખોડાભાઈ દેસાઈ અને વટવાના મહેબુબ ઉર્ફે બાબુ અજગર હુસેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી ફાઇલ પાસ કરવા અ 5 લાખની લોન મંજૂર કરાવવાના બહાને 4.86 લાખ રૂપિયા પડાવી લીધા હતા તેમજ કોરા સ્ટેમ્પ પર સહી અને અંગૂઠા કઢાવીને ખોટા દસ્તાવેજો પર સહીઓ કરાવી છેતરપિંડી આચરી હતી.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 1 લાખ 85 હજારી સાયબર ફ્રોડની ઘટના
August 5, 2026 10:27 am
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામે શ્રીરામ માર્કેટમાં 'અમરત ક્રિએશન' નામની દુકાન ચલાવતા વેપારી ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે. બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડ પર ૪ હજાર રિવોર્ડ પોઈન્ટ આપવાની લાલચ આપીને ગઠિયાઓએ 1 લાખ 85 હજાર રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હતું, જે બાબતે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ગોતા વંદેમાતરમ રોડ પરથી ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા
August 5, 2026 10:27 am
અમદાવાદના ગોતા વંદેમાતરમ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ડ્રગ્સ સાથે અભી પટેલ અને સાહિલ પટેલ નામના બે યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1 ગ્રામ 400 મિલિગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ) તેમજ સ્કૂટર અને બે મોબાઈલ ફોન સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ આપનાર મુખ્ય શખ્સ આકાશ ઠાકોર ફરાર થઈ ગયો હોય, ક્રાઈમ બ્રાન્ચે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.
વિજાપુર સાબરમતી નદીની કોતરોમાં મેગા ઓપરેશન
August 5, 2026 9:22 am
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાબરમતી નદીની કોતરોમાં એલસીબીની વિવિધ ટીમો દ્વારા ડ્રોન કેમેરાની મદદથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હીરપુરાથી હાથીપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન ચારથી વધુ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું દૂષણ નાથવા ચલાવાયેલા આ અભિયાનમાં અંદાજે 65,000 રૂપિયાની કિંમતના દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
મોરબી હળવદના ચરાડવા ગામે જુગાર રમતાં ગ્રામ પંચાયત સદસ્ય સહિત 3 પકડાયા
August 5, 2026 9:22 am
મોરબી જિલ્લાના હળવદના ચરાડવા ગામે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને ગ્રામ પંચાયતના સદસ્ય વિજય પટેલ સહિત ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 61 હજાર રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી હતી અને આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
August 5, 2026 9:22 am
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રીને કોમનવેલ્થ ગેમ્સનો બેટન અને ફ્લેગ સોંપવામાં આવશે તેમજ ગુજરાતમાં યોજાનારી આ ગેમ્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવવામાં આવશે. આ બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા, ચાલી રહેલા સર્વે, સહાયની ચૂકવણી, માલસામાનના નુકસાન, દક્ષિણ ગુજરાતમાં બાગાયતી તથા અન્ય જિલ્લાઓમાં કૃષિ નુકસાન અંગે ચર્ચા થશે. આ ઉપરાંત, ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરી, 15 મી ઓગસ્ટના કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારના આગામી નીતિગત વિષયો પર પણ વિસ્તૃત ચાર કરવામાં આવશે.
રાજકોટમાં 2017 માં હત્યા અને હત્યા ની કોસીસ માં આરોપીનો આજીવન કેદ
August 5, 2026 9:22 am
રાજકોટના પુનિતનગર પાસે 29 ડિસેમ્બર 2017ના રોજ જયરાજસિંહ જાડેજાની હત્યા અને ઋતરાજ જાડેજાની હત્યાની કોશિશ કરવાના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપીઓ અજયસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો જાડેજાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે.
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે બાર એસોસિએશનને રજુઆતો કરી
August 5, 2026 9:22 am
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે બાર એસોસિએશન દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રીને તેમજ રાજકોટના મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ આ અંગે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળને પણ પત્ર લખીને સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા છે.
અમદાવાદના મનપસંદ જુગારધામ કેસમાં મોટો ખુલાસો
August 5, 2026 9:22 am
અમદાવાદના ચર્ચાસ્પદ મનપસંદ જુગારધામ કેસમાં મોટો ખુલાસો થયો છે કે ત્યાંથી મળેલા કાળા નાણાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં વપરાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માધુપુરા અને કાલુપુરની અંગડિયા પેઢીઓ મારફતે હવાલાના વ્યવહારો થયા હોવાની આશંકાને પગલે પોલીસને કરોડોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને કોડવર્ડથી ચાલતા હિસાબોના મહત્વના પુરાવા મળ્યા છે, જેના આધારે વિવિધ તપાસ એજન્સીઓએ તપાસ વધુ તેજ બનાવી છે.
રાજકોટ - શહેરની સ્વચ્છતા અને એર ક્વોલિટી સુધારવા વધુ 1.10 કરોડનું આંધણ
August 5, 2026 9:22 am
રાજકોટ શહેરમાં સ્વચ્છતા અને એર ક્વોલિટી સુધારવા માટે વધુ 1.10 કરોડના ખર્ચે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત સામે આવી છે. તાજેતરમાં જ RMC દ્વારા શહેરની સ્વચ્છતા માટે 110 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં શહેર સંપૂર્ણ સ્વચ્છ થયું નથી અને આગામી સમયમાં સ્વચ્છ શહેરનું રેન્કિંગ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આ કરોડોનું વધુ આંધણ કરવા સામે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજકોટ RTO દ્વારા સપાટો બોલાવ્યો
August 5, 2026 9:22 am
રાજકોટ RTO દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જુલાઈ મહિના દરમિયાન ઓવરલોડ, વીમો, PUC, LED લાઈટ, હેલ્મેટ અને ઓવર ડાયમેન્શન જેવા નિયમ ભંગના કુલ 2,061 કેસ કરીને 70.16 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ, PUC, વીમો અને ફિટનેસ સર્ટિફિકેટ હંમેશા સાથે રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો મામલો
August 5, 2026 9:22 am
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી 20 ઓગસ્ટ આસપાસ યોજાવાની શક્યતા છે, જેના કારણે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 15 સભ્યોને ચૂંટવા માટે 61 મતદારો મતદાન કરશે અને આજે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની સાથે જ ચૂંટણી જાહેરનામાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જ્યારે જાન્યુઆરી 2026માં મળેલી છ મહિનાની મુક્તિ બાદ અનેક નવા મુરતિયાઓ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરવા તૈયાર બેઠા છે.
રાજકોટમાં ગણેશ મહોત્સવ અંગે જાહેરનામું
August 5, 2026 9:22 am
રાજકોટમાં આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને અધિક કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પીએલપી (POP) અને 9 ફૂટથી ઊંચી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પંડાલોમાં અગ્નિશામક સાધનો અને CCTV કેમેરા ફરજિયાત રાખવા, મૂર્તિકારોને ઇકો ફ્રેન્ડલી રંગો વાપરવાની સૂચના આપવામાં આવી છે તેમજ ડીજે (DJ) સિસ્ટમ મર્યાદામાં જ વગાડી શકાશે તેવા નિયમો ફરજિયાત કરાયા છે.
ડીસા હાઇવે પરથી ડ્રગ્સ સાથે ચાર ઇસમોની અટકાયત
August 5, 2026 8:41 am
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા લડબી નાળા પાસેથી SOG પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરીને એમ.ડી. ડ્રગ્સ સાથે ચાર ઇસમોની અટકાયત કરી છે. પોલીસે કુલ 19.80 લાખની કિંમતનું 198 ગ્રામ માદક પદાર્થ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રોકડ રકમ સહિત કુલ 25.35 લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી છે. આ પ્રકરણે ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ અમદાવાદના અને એક દાંતીવાડાનો હોવાનું સામે આવ્યું છે, જેથી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આ માદક દ્રવ્ય ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવતું હતું તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ગ્લાસગોથી પરત ફર્યા બાદ DyCM હર્ષભાઈ સંઘવીનું નિવેદન
August 5, 2026 8:29 am
ગ્લાસગોથી પરત ફર્યા બાદ DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારત અને અમદાવાદ માટે અત્યંત ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા' સંકલ્પથી દેશને મોટો ફાયદો થયો છે. આ રમતોત્સવમાં દેશની બહેનોએ શાનદાર દેખાવ કરી ડંકો વગાડ્યો છે અને તિરંગો લહેરાવીને દેશનું ગૌરવ ઊંચું કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાઓ નશા મુક્ત બને તે દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. અંતે હર્ષભાઈએ આગામી સમયમાં વર્ષ 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સમાં અવ્વલ રહે તેવી શુભકામનાઓ પાઠવી છે.
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નં. 13માં પ્રાથમિક સુવિધાઓના અભાવે કોંગ્રેસનું મોડી રાત્રે રિયાલિટી ચેક
August 5, 2026 8:03 am
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ વોર્ડની સોસાયટીઓ, મુખ્ય માર્ગો તેમજ વઢવાણ-લીંબડી રોડ પર મોટા ખાડાઓ, ખુલ્લાં ગટરના ઢાંકણાં અને વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યાના કારણે સ્થાનિક રહીશો ત્રાસી ગયા છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ જઈને ઉબડ-ખાબડ બનવાથી સતત અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો: ડેમ 75 ટકા ભરાયો
August 5, 2026 8:02 am
ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી 35, 778 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના પગલે ડેમની સપાટી વધીને 132,36 મીટર પર પહોંચી ગઈ છે.
માત્ર છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 31 સેમીનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે 138.68 મીટરની મહત્તમ સપાટી ધરાવતો આ ડેમ હાલમાં 75 ટકા ભરાઈ ચૂક્યો છે. પાણીની આાવક વધવાથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ છે.
140 કરોડ ભારતીયો માટે આ એક અત્યંત ગૌરવવંતી ક્ષણ છે: અરુણ હરિયાણી
August 5, 2026 7:23 am
ગ્લાસગોથી CWG 2030નું બેટન લઈને પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અરુણ હરિયાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવું એ 140 કરોડ ભારતીયો માટે અત્યંત ગૌરવવંતી ક્ષણ છે.
રાજકોટના કોઠારિયા રોડ પર સુભાષ નગરમાં મકાનમાં લાગી આગ
August 5, 2026 7:07 am
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા સુભાષ નગર વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટના સમયે ઘરમાં પાંચ લોકો ફસાયા હતા, પરંતુ સમયસર ફાયર વિભાગ દ્વારા તમામનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત
August 5, 2026 6:39 am
ગ્લાસગોથી CWG 2030ની યજમાનીનું બેટન લઈને અમદાવાદ એરપોર્ટ પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 2030માં અમદાવાદ ખાતે સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સનું ઐતિહાસિક આયોજન થશે. ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓએ 39 મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યજમાની ભારત અને ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ છે.

