ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Special discussion on Vande Mataram : રાજ્યસભામાં વંદે માતરમ પર વિશેષ ચર્ચા દરમિયાન જાણો શું કહી રહ્યા છે કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah

01:25 PM Dec 09, 2025 IST | Mahesh OD
Special discussion on Vande Mataram_Gujarat_First

Special discussion on Vande Mataram : સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે લોકસભામાં વંદે માતરમ પર ખૂબ ચર્ચા જોવા મળી. જ્યા વડા પ્રધાન મોદીએ વંદે માતરમ વિશે ચર્ચા શરૂ કરી અને વિપક્ષનું પ્રતિનિધિત્વ કરતા પ્રિયંકા ગાંધીએ શાસક પક્ષનો વિરોધ કર્યો. આજે રાજ્યસભામાં આ જ મુદ્દા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરકાર તરફથી વંદે માતરમની શરૂઆત કરી રહ્યા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શું કહ્યું?

રાજ્યભામાં વંદે માતરમ પર બોલતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 7 નવેમ્બર, 1875 ના રોજ, બંકિમચંદ્ર ચેટરજીની રચના વંદે માતરમ પ્રથમ વખત પ્રકાશિત થઈ હતી. શરૂઆતમાં તેને એક સાહિત્યિક કૃતિ માનવામાં આવતી હતી, તે ટૂંક સમયમાં દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બની ગઈ, જેણે સ્વતંત્રતા ચળવળનો માર્ગ મોકળો કર્યો. અમિતભાઈ શાહે કહ્યું કે, વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામનો આત્મા છે, જેણે લાખો લોકોને પ્રેરણા આપી છે.

મલ્લિકાર્જુન ખડગેએ દલિત સમાજના પ્રશ્નો ઉઠાવ્યો

December 9, 2025 2:53 pm

રાજ્યસભામાં હોબાળો મચ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ અચાનક દલિતોના અવાજમાં ઉઠાવતા કહ્યું, "દલિતોને મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમને લગ્નમાં ઘોડા પર સવારી કરવામાં દેવામાં આવતી નથી. હું પૂછું છું કે દલિતો પ્રત્યે આટલો બધો નફરત કેમ છે." જેપી નડ્ડા ફરી ઉભા થયા અને કહ્યું, "અહીંનો વિરોધ દલિતો સામે નથી. ફક્ત એટલું જ કે તમે વિષયથી અલગ બોલી રહ્યા છો. તમને વંદે માતરમ માટે સમય આપવામાં આવ્યો છે." જેપી નડ્ડાએ ખડગેને અટકાવતા કહ્યું, "આજે વંદે માતરમ પર ચર્ચા થઈ રહી છે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો; તમે અન્ય મુદ્દાઓ ઉઠાવી રહ્યા છો. આ ચર્ચા કરવાની રીત નથી."

જેપી નડ્ડાએ મલ્લિકાર્જુન ખડગેને અટકાવતાં હોબાળો

December 9, 2025 2:45 pm

જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ વંદે માતરમ પર બોલતી વખતે અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે જેપી નડ્ડાએ રાજ્યસભામાં તેમને અટકાવતા કહ્યું કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ ચર્ચા માટે એક સ્તર છે. જો તમે વિદેશ નીતિ કે આર્થિક નીતિ પર ચર્ચા કરવા માંગતા હો, તો તે ઠીક છે, પરંતુ અત્યારે વંદે માતરમ સિવાયના વિષયો પર આગળ વધશો નહીં. આના કારણે રાજ્યસભામાં ઘણો હંગામો થયો હતો.

અમે મુદ્દાઓથી ડરતા નથી: અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

December 9, 2025 2:33 pm

વંદે માતરમ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "ગઈકાલે મેં ઘણા કોંગ્રેસના સભ્યોને વંદે માતરમ પરની ચર્ચાને રાજકીય ચાલ અથવા હાથ પરના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે એક હથિયાર તરીકે જોયા. અમે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં ડરતા નથી. અમે સંસદનો બહિષ્કાર કરતા નથી. જો સંસદને કામ કરવાની મંજૂરી આપવામાં આવે, તો બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી."

અમિતભાઈ શાહે ભૂતપૂર્વ PM જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું

December 9, 2025 2:31 pm

રાજ્યસભામાં વંદે માતરમ સંબંધિત ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે આક્ષેપ કર્યો કે નેહરુએ 'વંદે માતરમ'ને 2 ભાગમાં વિભાજિત કર્યું હતું અને તેનો વિરોધ તુષ્ટિકરણની નીતિને કારણે થયો હતો. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જે સમયે દેશ 'વંદે માતરમ'ની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો, તે જ સમયે દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની આ તીખી ટિપ્પણીઓના પગલે કોંગ્રેસ પક્ષે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી, જેના પરિણામે ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને મામલો ગરમાયો હતો.

વંદે માતરમનો વિરોધ નેહરુથી આજ સુધી કોંગ્રેસ નેતૃત્વના લોહીમાં છે - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:15 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુલામીના સમયગાળા દરમિયાન, વંદે માતરમ ગીતે ગુલામીના અંધકાર વચ્ચે સ્વતંત્રતા માટે લડવાની ભાવના જગાવી હતી. જ્યારે વંદે માતરમ 100 વર્ષ પૂરા થયા, ત્યારે સમગ્ર દેશને નજરકેદ કરવામાં આવ્યો. ગઈકાલે ગૃહમાં 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ થઈ ત્યારે ગાંધી પરિવારના સભ્યો ગેરહાજર હતા. વંદે માતરમનો વિરોધ નેહરુથી આજ સુધી કોંગ્રેસ નેતૃત્વના લોહીમાં છે." કોંગ્રેસ પક્ષના એક નેતાએ લોકસભામાં કહ્યું કે હવે વંદે માતરમ પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી.

વંદે માતરમમાં ઉજાગર થતી માતૃભૂમિની ભાવના - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:13 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વંદે માતરમમાં ભારત માતાને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે, જે જ્ઞાન, સમૃદ્ધિ અને શૌર્યનું પ્રતિક છે. તેમણે કહ્યું કે આ ત્રણેય મૂલ્યો આપણા દેશની માટીમાં જ વસેલા છે. રામાયણનો ઉલ્લેખ કરતાં શાહે યાદ અપાવ્યું કે ભગવાન રામે લંકામાં રહેવાની ઓફર નકારી હતી, કારણ કે તેમના માટે માતા અને માતૃભૂમિ ભગવાન કરતાં પણ ઊંચા હતા. શાહના મતે બંકિમચંદ્રે આ જ ભાવનાને વંદે માતરમના સ્વરૂપમાં જીવંત બનાવી, જેને કારણે આ ગીત રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનું શક્તિશાળી પ્રતિક બની ગયું છે.

ભારતની સરહદો કોઈ કાયદાથી નહીં, પરંતુ સંસ્કૃતિથી ઘડાઈ - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:10 pm

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે ભારતની સરહદો કોઈ કાયદાથી નહીં, પરંતુ સંસ્કૃતિથી ઘડાઈ હતી. તેમના મતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની જાગૃતિ લાવવા મહત્ત્વનું કામ કર્યું હતું. શાહે જણાવ્યું કે અંગ્રેજોના પ્રતિબંધ વચ્ચે પણ બંકિમબાબુએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનું બાકીનું સાહિત્ય ભલે ગંગામાં ફેંકી શકાય છે, પરંતુ વંદે માતરમ હંમેશા લોકોને જોડતું ગીત રહેશે. તેમના શબ્દોમાં આ ભાવના એ સમજાવે છે કે રાષ્ટ્રની ઓળખ કાયદાના પાનાંઓ પર નહીં, પરંતુ તેની સંસ્કૃતિ અને પરંપરામાં જીવંત રહે છે.

બ્રિટિશ યુગ દરમિયાન, વંદે માતરમ ગાનારાઓને કોરડા મારવામાં આવ્યા - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:06 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ એક એવું ગીત રહ્યું હતું, જેણે દેશને જાગૃત કર્યો અને આ કારણે તેની ચર્ચા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. તેમણે યાદ અપાવ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન આ ગીત ગાનારાઓને કોરડા મારવામાં આવતા હતા, છતાં વંદે માતરમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજતું રહ્યું. શાહના શબ્દોમાં બ્રિટિશોએ પોતાના મૂલ્યો અને સંસ્કૃતિ લાદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે વંદે માતરમ રાષ્ટ્રીય પુનર્જાગરણનું શક્તિશાળી મંત્ર બની ગયું હતું, જે લોકોની ભાવનાને એક સૂત્રમાં બાંધતું રહ્યું.

દેશના વિભાજન સમયે વંદે માતરમના ટુકડા કરવામાં આવ્યા - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:04 pm

અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું કે દેશના વિભાજન સમયે વંદે માતરમના ટુકડા કરવામાં આવ્યા હતા અને તેની 50મી વર્ષગાંઠે પણ આવી જ ભૂલ ફરી કરવામાં આવી. તેમના કહેવા પ્રમાણે જો ત્યારે તુષ્ટિકરણ ન થયું હોત, તો દેશને વિભાજનનું દુઃખ સહન કરવું ન પડ્યું હોત. શાહે આ મુદ્દો ઉઠાવીને સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય પ્રતીકોને તોડવાનો નિર્ણય હંમેશા લાંબાગાળે નુકસાનકારક સાબિત થયો છે અને રાષ્ટ્રની એકતા માટે આવી ભૂલોને સમજવી જરૂરી છે.

રાષ્ટ્રીય સમર્પણનો આહ્વાન હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 2:01 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય સમર્પણનો આહ્વાન હંમેશા મહત્વનું રહ્યું છે અને 2047 સુધી પણ તેનું સ્થાન અડગ રહેશે. તેમણે ભારતની ઓળખ અને લોકશાહી ભાવનામાં તેના કાયમી સ્થાન પર ભાર મૂક્યો. શાહે ભાર આપ્યો કે આ મૂલ્યો માત્ર વર્તમાન માટે જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ માર્ગદર્શક બનશે, કારણ કે રાષ્ટ્રીય સમર્પણ એ એવી ભાવના છે જે સમય સાથે ક્યારેય કમજોર નથી પડતી.

સૈનિકોના બલિદાનમાં ગુંજે છે વંદે માતરમ : અમિતભાઈ શાહ

December 9, 2025 1:57 pm

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વંદે માતરમ માત્ર બંગાળ કે ભારતનો વિષય નથી, તેના પ્રભાવને વિશ્વના અનેક સ્વતંત્રતા આંદોલનોમાં પણ માન મળ્યું છે. તેમણે કહ્યું કે, આ ગીત માત્ર રાષ્ટ્રગૌરવનું પ્રતિક જ નથી, પરંતુ તેવા ક્ષણોમાં પણ સૈનિકોના મનમાં ગુંજે છે જ્યારે તેઓ સરહદ પર પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપે છે. શાહના શબ્દોમાં વંદે માતરમ એક એવી ભાવના છે જે રાષ્ટ્રની એકતા અને અડગ હિંમતને જીવંત રાખે છે.

આવી ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવું આપણે સૌ માટે સન્માનની વાત : અમિતભાઈ શાહ

December 9, 2025 1:52 pm

રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વંદે માતરમના મહિમા પર થતી ચર્ચા આવનારી પેઢીઓને તેના યોગદાનને સમજવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે આવી ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવું આપણે સૌ માટે સન્માન છે, કારણ કે આ ગૃહમાં રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા વિષય પર વિચાર થઈ રહ્યો છે. શાહે યાદ અપાવ્યું કે ગઈકાલે લોકસભામાં કેટલાક સભ્યોએ આ ચર્ચાની જરૂર વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો, પરંતુ જરૂર તો ત્યારે પણ હતી જ્યારે વંદે માતરમ રચાયું હતું અને આજે પણ એટલી જ છે. તેમની દ્રષ્ટિએ આ ચર્ચા યુવાનો અને કિશોરોમાં દેશપ્રેમની સમજણ વધુ ગાઢ કરશે.

વંદે માતરમની ચર્ચા પર અમિતભાઈ શાહનું સ્પષ્ટ નિવેદન

December 9, 2025 1:46 pm

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે વંદે માતરમ પર થઈ રહેલી ચર્ચાને કેટલાક લોકો બંગાળની ચૂંટણીઓ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. તેમના જણાવ્યા અનુસાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પૃષ્ઠભૂમિ ભલે બંગાળની હોય, પણ વંદે માતરમનો ઉદ્ભવ અને તેનો સંઘર્ષ માત્ર એક રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરહદ પર આપણા સૈનિકો જ્યારે બલિદાન આપે છે, ત્યારે તેમના હોઠ પર એક જ મંત્ર હોય છે – વંદે માતરમ. આ નારા સ્વતંત્રતા આંદોલન દરમિયાન પ્રેરણાશક્તિ રહ્યો હતો અને આજે પણ રાષ્ટ્રીય એકતા અને બલિદાનનું પ્રતિક છે. શાહના શબ્દોમાં, બંને ગૃહોમાં આ વિષય પર ચર્ચા થવાથી બાળકો અને આવનારી પેઢીઓને વંદે માતરમનું સાચું મહત્વ સમજવામાં મદદ મળશે.

વંદે માતરમ પર ચર્ચા કરવાની હંમેશા જરૂર રહી છે - કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 1:34 pm

વંદે માતરમ માત્ર એક રાષ્ટ્રીય ગીત નથી, તેમાં દેશભક્તિ, આપણા મૂલ્યો અને સંસ્કૃતિની એવી ભાવના છે જે પેઢીને પેઢી જોડતી રહી છે. આજની રાજ્યસભાની ચર્ચાએ ફરી યાદ અપાવ્યું કે આ ગીત પર વિચાર કરવાની જરૂર ક્યારેય પૂરી થતી નથી. કેટલાક સભ્યો આજે ચર્ચાની જરૂર શા માટે, એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો, પણ સત્ય એ છે કે ભૂતકાળમાં પણ આ વિષય મહત્વનો રહ્યો છે અને આગળ પણ રહેશે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા અને તેમાં જોડાઈ શક્યા, કારણ કે આવી ચર્ચાઓ રાષ્ટ્રીય ચેતનાને વધુ મજબૂત બનાવે છે.

વંદે માતરમ એ સ્વતંત્રતાની ઘોષણા છે - કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

December 9, 2025 1:28 pm

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "વંદે માતરમ એ સ્વતંત્રતાની ઘોષણા છે. તેની ચર્ચા કરીને, આપણી ભાવિ પેઢીઓ તેનો મહિમા સમજી શકશે."

Next Article