ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ FIR નોંધાઈ...

બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ 10 જૂને FIR નોંધવામાં આવી હતી. FIR માં પપ્પુ યાદવ પર એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી...
10:26 AM Jun 11, 2024 IST | Dhruv Parmar
બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ 10 જૂને FIR નોંધવામાં આવી હતી. FIR માં પપ્પુ યાદવ પર એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી...

બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ 10 જૂને FIR નોંધવામાં આવી હતી. FIR માં પપ્પુ યાદવ પર એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે FIR કરનાર વેપારી પૂર્ણિયામાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. વેપારીએ પોતાની લેખિત અરજીમાં જણાવ્યું કે 4 જૂને મતગણતરી સમયે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવ્યો અને 1 કરોડ રૂપિયા આપવા કહ્યું. જો તે 1 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. વેપારીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તે આગામી 5 વર્ષ સુધી શાંતિથી જીવવા માંગે છે તો તેણે ખંડણી કર ચૂકવવો પડશે. નહીં તો તેણે પૂર્ણિયા છોડી દેવી જોઈએ.

વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી...

પોલીસને FIR કરતા વેપારીએ જણાવ્યું કે 2 એપ્રિલ, 2021 ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું કે વર્ષ 2023 માં દુર્ગા પૂજા દરમિયાન તેની પાસેથી 15 લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગવામાં આવ્યા હતા. FIR ના આધારે, પૂર્ણિયાના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 385/504/506/34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી સાંસદ પપ્પુ યાદવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

વિરોધીઓ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ...

કેસ નોંધાયા બાદ પપ્પુ યાદવનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, 'દેશની રાજનીતિમાં મારા વધતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા સ્નેહથી નારાજ થયેલા લોકો આજે પૂર્ણિયામાં એક જઘન્ય ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓના આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ દોષિત હોય તેને ફાંસી આપવી જોઈએ.

તાજેતરમાં સાંસદ બન્યા...

પપ્પુ યાદવ હાલમાં જ પૂર્ણિયા સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પપ્પુ યાદવે પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમને 5.67 લાખથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે જેડીયુના ઉમેદવારને 5.43 લાખ વોટ મળ્યા હતા. આરજેડી તરફથી ચૂંટણી લડી રહેલી બીમા ભારતીને અહીંથી માત્ર 27,120 વોટ જ મળ્યા છે.

આ પણ વાંચો : NEET માં ગેરરીતિ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી, શું ફરીથી લેવાશે પરીક્ષા?

આ પણ વાંચો : Mohan Bhagwat : “1 વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ નથી તે દુ:ખદ..”

આ પણ વાંચો : MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી એસ.જયશંક અને અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો કાર્યભાર

Tags :
BIhar NewsCase on Pappu YadavFIR Registered on Purnia MP Pappu YadavGujarati NewsIndiaNationalPappu YadavPappu Yadav CasePappu Yadav Demanding One Crore RupeesPappu Yadav ExtortionPurneaPurnia
Next Article