Ketan Agarwal Murder Case : પુણેના પ્રખ્યાત લોહગઢ કિલ્લા પર થયેલા ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં લોનાવલા પોલીસની તપા હવે અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. વહેલી સવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે આ ચકચારી Ketan Agarwal Murder Case અંતર્ગત બંને મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઇમ સીન રીક્રિએશન કરવામાં આવ્યું હતું.
લોહગઢ કિલ્લાના ડેથ પોઇન્ટ પર વહેલી સવારે પોલીસ એક્શન અને વીડિયોગ્રાફી
આરોપીઓ સામેના પુરાવાઓને કોર્ટમાં મજબૂત કરવા માટે લોનાવલા પોલીસ તપાસ ટીમ સવારે 6:00વાગ્યે જ કિલ્લા પર પહોંચી ગઈ હતી. સુરક્ષા અને ગુપ્તતા જાળવવા માટે લોહગઢ કિલ્લાને સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાના દિવસની એક-એક મિનિટની ટાઇમલાઇનને સમજવા માટે સમગ્ર ઘટનાક્રમ ફરીથી દોહરાવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાનું સત્તાવાર વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે, જેથી કોર્ટમાં તેને મજબૂત વૈજ્ઞાનિક પુરાવા તરીકે રજૂ કરી શકાય.
પોલીસ ડિજીટલ પુરાવા એકત્રિત કરી રહી છે
આ લોહગઢ કિલ્લો ક્રાઇમ સીન એટલા માટે પણ ડરામણો છે કારણ કે માત્ર ત્રણ અઠવાડિયા પહેલા આ જ વિસ્તારમાં એક અન્ય મોટી ઘટના બની હતી. પોલીસ હવે આ કેસમાં કાયદાકીય પકડ મજબૂત કરવા માટે ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરતી પોલીસ ટીમો
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કિલ્લાના જે આંતરિક અને સાંકડા રસ્તાઓ પરથી કેતનને લઈ જવામાં આવ્યો હતો, ત્યાં કયા સમયે આરોપીઓની લોકેશન હતી તેનું ટેકનિકલ મેચિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ ન હોવાને કારણે પોલીસે ખૂબ જ શાંતિપૂર્વક ભૌતિક પુરાવા એકત્ર કર્યા છે.
હુડી પહેરીને પીછો અને સિયા ગોયલનો ખૂની કોડવર્ડ
ક્રાઇમ સીન રીક્રિએશન દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ જે ખુલાસા કર્યા છે તે પથ્થર દિલના માણસને પણ ધ્રુજાવી દે તેવા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચેતન ચૌધરી ઘટનાના દિવસે પોલીસ અને કિલ્લાના સીસીટીવી કેમેરાથી બચવા માટે ખાસ હુડીપહેરીને આવ્યો હતો . તે ટિકિટ લીધા વિના જ ગુપ્ત રસ્તેથી કિલ્લા પર પહોંચ્યો હતો અને કેતનની જાણ બહાર સતત તેનો પીછો કરી રહ્યો હતો.
મર્ડર પ્લાનની અંદરની વિગતો
જેવો કેતન પહાડના પટ્ટા નજીક પહોંચ્યો, પૂર્વ આયોજિત યોજના મુજબ સિયા ગોયલે ચેતનને મોટો સંકેત આપ્યો હતો. સિયાએ પોલીસને જણાવ્યું કે તેણીએ ચેતનને ગુપ્ત કોડવર્ડ આપ્યો હતો કે, “જેવી હું નીચે બેસી જાઉં, તું કેતનને ખાઈમાં ધક્કો મારી દેજે.” આ ખૌફનાક સ્ક્રિપ્ટ મુજબ સિયા કૂવાના મુહાને નીચે બેસી ગઈ અને ચેતને પાછળથી આવીને કેતનને ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો.
પીડિત પરિવારનો આક્રોશ
આ દર્દનાક હત્યાકાંડ બાદ કેતન અગ્રવાલના પરિવારની સ્થિતિ અત્યંત ગંભીર છે. મીડિયા સાથે વાતચીત કરતા કેતનના દાદાએ રડતા રડતા જણાવ્યું કે, “અમારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે અને દુઃખ એ વાતનું છે કે આ ધોકો આપણી પોતાની વ્યક્તિએ જ આપ્યો છે. સિયાના પરિવાર સાથે અમારો વર્ષો જૂનો કૌટુંબિક સંબંધ છે. પરંતુ આ કેસની પાછળ એક મોટું સત્ય એ પણ છે કે સિયા પર દબાણ લાવીને તેને કેતન સાથે લગ્ન કરવા મજબૂર કરાઈ હતી. તેની પર દબાણ લાવનારા તે 4-5 લોકો પણ એટલા જ ગુનેગાર છે. આ બંનેને તો ફાંસી મળે જ, પરંતુ તે માસ્ટરમાઇન્ડ્સ પર પણ કડક એકશન લેવાય.”
માતાએ માગી ફાંસીની સજા અને માસ્ટરમાઇન્ડ પર કડક કાર્યવાહી
બીજી તરફ કેતનની માતા રાખી અગ્રવાલનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે વિલાપ કરતા માત્ર એક જ માંગ કરી છે કે, “મને મારા કેતન માટે ન્યાય જોઈએ. મને સિયા માટે પણ ફાંસી જોઈએ અને ચેતન માટે પણ ફાંસીની સજા જોઈએ. જે લોકોએ કાવતરું રચીને મારા દીકરાનો જીવ લીધો છે, તે તમામને ફાંસીના ફંડે લટકાવવામાં આવે.”
ફાસ્ટ ટ્રેક કોર્ટ તરફ પોલીસના પગલાં
લોનાવલા પોલીસ હવે આરોપીઓના સત્તાવાર નિવેદનો, ટેકનિકલ સાક્ષીઓ અને આજના રીક્રિએશન વીડિયો ફૂટેજનું સચોટ મિલાન કરી રહી છે. પોલીસનો દાવો છે કે તેમની પાસે ગુનેગારો વિરૂદ્ધ સજ્જડ પુરાવા છે અને ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
આ પણ વાંચો : Ayodhya Donation Theft Case: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન, લોકલ મેજિસ્ટ્રેટની હાજરીમાં આરોપીઓના ઘરે પોલીસના દરોડા