Ketan Agarwal murder case: કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વિવાદ
પુણેના બહુંચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસની આરોપી સિયા ગોયલના વકીલ આશિષ શ્રીવાસ્તવે સિયાના ભાઈ સાહિલને 10 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. આ વિવાદ બાદ હત્યાની તપાસ કરતા આરોપી પરિવારની આંતરિક લડાઈની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમગ્ર મામલો હવે ગંભીર કાનૂની વળાંક પર આવીને ઉભો છે.
Ketan Agarwal murder case: સિયાના વકીલની નિમણૂક પર પરિવારના સવાલ
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સાહિલ ગોયલે મીડિયા સમક્ષ આશિષ શ્રીવાસ્તવના વકીલ પર શંકા વ્યક્ત કરી. સાહિલનો દાવો છે કે પરિવારે આશિષ શ્રીવાસ્તવને ક્યારેય અધિકૃત કર્યા નથી. તેણે આશંકા વ્યક્ત કરી કે સિયાના હસ્તાક્ષર છેતરપિંડીથી મેળવવામાં આવ્યા છે. બીજી તરફ આશિષ શ્રીવાસ્તવ પાસે સિયા દ્વારા સહી કરેલું કાયદેસરનું વકાલતનામું હોવાનો દાવો છે.
શું સિયાએ વકીલની પસંદગી નહોતી કરી હતી?
આશિષ શ્રીવાસ્તવે નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે સિયા એક પુખ્ત વયના આરોપી હોવાથી તેણે પોતાની મરજીથી તેને વકીલ તરીકે નિમ્યો છે. આ નિમણૂક કોઈ મૌખિક વાત નથી, પરંતુ અદાલતી રેકોર્ડમાં પણ નોંધાયેલ દસ્તાવેજ છે. વકીલનું કહેવું છે કે, જરૂર પડ્યે તે અદાલતમાં તમામ દસ્તાવેજો રજૂ કરશે. પરિવારના દાવાઓ પાયાવિહોણા હોવાનો પણ વકીલ આશિષ શ્રીવાસ્તવે કહ્યું છે.
માનહાનિની નોટિસ અને કરોડોની માગ
સાહિલ ગોયલના નિવેદનોથી વકીલની વ્યાવસાયિક છબીને ગંભીર નુકસાન પહોંચ્યું છે. નોટિસમાં આરોપ છે કે, સાહિલના નિવેદનોને કારણે તેને સામાજિક બદનક્ષી અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સાહિલને આ નિવેદનો પાછા ખેંચવા અને જાહેરમાં માફી માંગવા કહેવામાં આવ્યું છે. જો નક્કી સમયમાં જવાબ નહીં મળે તો 10 કરોડ રૂપિયાના વળતર સાથે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
અદાલતની ભૂમિકા નિર્ણાયક
ઉલ્લેખનીય છે કે, આખો વિવાદ સોમવારે અદાલતની સુનાવણી અગાઉ સાર્વજનિક થયો હતો. સાહિલ ગોયલનું માનવું છે કે પરિવારે અન્ય વકીલ વિપુલ દુશિંગની નિમણૂક કરી છે. આ અંગે અદાલતમાં સોગંદનામું પણ દાખલ કરાયું છે. હવે અદાલત આ વિવાદમાં શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું બનશે. આ કાનૂની ખેંચતાણ હત્યાના કેસમાં પણ નવી ગૂંચવણ ઊભી કરી શકે છે.
આ પણ વાંચો--- Jharkhand Breaking News : ઝારખંડમાં ભેળસેળયુક્ત તેલ ખાવાથી એક જ પરિવારના 5 સભ્યના મોત